રાજકોટ : આવતીકાલથી રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. ત્યારે રાજકોટ જિલ્લાનાં 11 તાલુકાનાં 22 સેન્ટરો પર પણ મગફળીની ખરીદી કરવામાં આવશે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી આર. આર. ટીલવાએ આજે વિગતો આપી હતી. જેમાં મગફળી ખરીદીમાં કોરોનાનાં નિયમોનો ખાસ ખ્યાલ રાખવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું છે.
ટીલવાનાં જણાવ્યા અનુસાર, તમામ કેન્દ્રો પર વર્ગ 2ના અધિકારી દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. જેમાં વર્ગ 3 તેમજ નિગમનાં અધિકારીઓ પણ હાજર રહેશે. તમામ સ્થળો માટે અગાઉથી શહેર પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા પોલીસ વડા પાસેથી પોલીસ બંદોબસ્તની માંગ પણ કરવામાં આવી છે.
https://youtu.be/ezMuo0YOlck
આ ઉપરાંત મગફળી ખરીદ થયા બાદ 150 જેટલા ગોડાઉનમાં રાખવામાં આવશે. આ તમામ ગોડાઉનમાં સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે. જરૂર પડ્યે વધુ ગોડાઉન ભાડે રાખવામાં આવશે. શરૂઆતમાં ઓછા ખેડૂતોને બોલાવવામાં આવશે. હાલ દરરોજનાં 100 જેટલા ખેડૂતોને બોલાવવાનો નિર્ણય કરાયો હોવાનું તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના 145 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થનાર છે. અત્યાર સુધીમાં 4.60 લાખ જેટલા ખેડૂતોની નોંધણી થઇ છે. મગફળી સરકાર માટે 'સંવેદનશીલ' મુદ્દો છે. તેમજ કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે તમામ જિલ્લાનાં કલેકટરોને પત્ર પાઠવી મગફળી ખરીદીમાં વહીવટી ઉપરાંત કોરોના વિષયક ગાઇડલાઇનનું પાલન કરાવવા અનુરોધ કરાયો છે.
રાજકોટ : આવતીકાલથી રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. ત્યારે રાજકોટ જિલ્લાનાં 11 તાલુકાનાં 22 સેન્ટરો પર પણ મગફળીની ખરીદી કરવામાં આવશે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી આર. આર. ટીલવાએ આજે વિગતો આપી હતી. જેમાં મગફળી ખરીદીમાં કોરોનાનાં નિયમોનો ખાસ ખ્યાલ રાખવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું છે.
ટીલવાનાં જણાવ્યા અનુસાર, તમામ કેન્દ્રો પર વર્ગ 2ના અધિકારી દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. જેમાં વર્ગ 3 તેમજ નિગમનાં અધિકારીઓ પણ હાજર રહેશે. તમામ સ્થળો માટે અગાઉથી શહેર પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા પોલીસ વડા પાસેથી પોલીસ બંદોબસ્તની માંગ પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત મગફળી ખરીદ થયા બાદ 150 જેટલા ગોડાઉનમાં રાખવામાં આવશે. આ તમામ ગોડાઉનમાં સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે. જરૂર પડ્યે વધુ ગોડાઉન ભાડે રાખવામાં આવશે. શરૂઆતમાં ઓછા ખેડૂતોને બોલાવવામાં આવશે. હાલ દરરોજનાં 100 જેટલા ખેડૂતોને બોલાવવાનો નિર્ણય કરાયો હોવાનું તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના 145 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થનાર છે. અત્યાર સુધીમાં 4.60 લાખ જેટલા ખેડૂતોની નોંધણી થઇ છે. મગફળી સરકાર માટે 'સંવેદનશીલ' મુદ્દો છે. તેમજ કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે તમામ જિલ્લાનાં કલેકટરોને પત્ર પાઠવી મગફળી ખરીદીમાં વહીવટી ઉપરાંત કોરોના વિષયક ગાઇડલાઇનનું પાલન કરાવવા અનુરોધ કરાયો છે.