31stની ઉજવણી માટે જાહેર સ્થળો પાર્ટી પ્લોટમાં કે ફાર્મ હાઉસમાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ રહેશે - મનોજ અગ્રવાલ
જાહેરનામાનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહીનાં નિર્દેશ પણ આપાયા
WatchGujarat. શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા લાખોની કિંમતના વિદેશી દારૂની માહિતી આપી હતી. તેમજ રંગીલા રાજકોટિયનોને 31st ઘરે રહીને ઉજવવાની અપીલ કરી હતી. સાથે જ ઈમેમોની બાકી રકમ નહીં ભરનાર સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપ્યા હતાં.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને લઈને લોકોએ 31stની ઉજવણી ઘરે રહીને જ કરવાની રહેશે. આ માટે જાહેર સ્થળો પાર્ટી પ્લોટમાં કે ફાર્મ હાઉસમાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. તેમજ રાત્રી કરફ્યુનો ચુસ્તપણે અમલ કરીને બિનજરૂરી રીતે બહાર ન નિકળવાની અપીલ પણ તેમણે કરી છે. સાથે જ જાહેરનામાનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહીનાં નિર્દેશ પણ આપ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સેંકડો વાહન ચાલકોને પોલીસ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા ઇ-મેમા મોકલાય છે. પરંતુ ઘણા લોકો આ દંડની રકમ સમયસર ભરતા ન હોઈ ઇ-મેમાની કડક વસુલાત કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત દંડની રકમ નહીં ભરનાર વાહન ચાલકોનું લીસ્ટ તૈયાર કરાયું છે. જેમાં 20થી પણ વધુ ભરવાના બાકી હોય તેવા વાહનચાલકોના ઘરે ટ્રાફિક પોલીસની ટીમ જશે. અને સમજાવવા છતા દંડની રકમ નહિ ભરે તો વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
31stની ઉજવણી માટે જાહેર સ્થળો પાર્ટી પ્લોટમાં કે ફાર્મ હાઉસમાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ રહેશે - મનોજ અગ્રવાલ
જાહેરનામાનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહીનાં નિર્દેશ પણ આપાયા
WatchGujarat. શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા લાખોની કિંમતના વિદેશી દારૂની માહિતી આપી હતી. તેમજ રંગીલા રાજકોટિયનોને 31st ઘરે રહીને ઉજવવાની અપીલ કરી હતી. સાથે જ ઈમેમોની બાકી રકમ નહીં ભરનાર સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપ્યા હતાં.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને લઈને લોકોએ 31stની ઉજવણી ઘરે રહીને જ કરવાની રહેશે. આ માટે જાહેર સ્થળો પાર્ટી પ્લોટમાં કે ફાર્મ હાઉસમાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. તેમજ રાત્રી કરફ્યુનો ચુસ્તપણે અમલ કરીને બિનજરૂરી રીતે બહાર ન નિકળવાની અપીલ પણ તેમણે કરી છે. સાથે જ જાહેરનામાનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહીનાં નિર્દેશ પણ આપ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સેંકડો વાહન ચાલકોને પોલીસ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા ઇ-મેમા મોકલાય છે. પરંતુ ઘણા લોકો આ દંડની રકમ સમયસર ભરતા ન હોઈ ઇ-મેમાની કડક વસુલાત કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત દંડની રકમ નહીં ભરનાર વાહન ચાલકોનું લીસ્ટ તૈયાર કરાયું છે. જેમાં 20થી પણ વધુ ભરવાના બાકી હોય તેવા વાહનચાલકોના ઘરે ટ્રાફિક પોલીસની ટીમ જશે. અને સમજાવવા છતા દંડની રકમ નહિ ભરે તો વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.