રાજકોટમાં કોરોનાના કેસોમાં વધારો થયા ચિંતાના વાદળો છવાયા
રાત્રી કર્ફ્યુ બાદ પણ સ્થિતી યથાવત
[caption id="attachment_18415" align="aligncenter" width="1280"] ડેપ્યુટી કમિશ્નર સી. કે. નંદાણી[/caption]
WatchGujarat. શહેરમાં તહેવારો બાદ ચાલી રહેલા રાત્રી કરફ્યુ વચ્ચે પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં વધુ 35 પોઝીટીવ કેસ નોંધાવાની સાથે જ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વધુ ચાર દર્દીઓનાં મોત નિપજ્યા છે. તો કોર્પોરેશનનાં ડેપ્યુટી કમિશ્નર સી. કે. નંદાણીનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને આઈસોલેશનમાં ખસેડાયા છે. અને પોતાના સંપર્કમાં આવેલા તમામને કવોરંટાઈન થવાની અપીલ પણ તેમણે કરી છે.
મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં 35 કેસ નોંધાતા કુલ આંક 10,234 એ પહોંચ્યો છે. જોકે ગઈકાલે 89 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ 9333 થયા છે. અને શહેરનો રિકવરી રેટ 91.50 ટકા આસપાસ સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, આજ દિવસ સુધીમાં મનપા દ્વારા કુલ 4,11,494 સેમ્પલ લેવામાં આવ્યા છે.
રાજકોટમાં કોરોનાના કેસોમાં વધારો થયા ચિંતાના વાદળો છવાયા
WatchGujarat. શહેરમાં તહેવારો બાદ ચાલી રહેલા રાત્રી કરફ્યુ વચ્ચે પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં વધુ 35 પોઝીટીવ કેસ નોંધાવાની સાથે જ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વધુ ચાર દર્દીઓનાં મોત નિપજ્યા છે. તો કોર્પોરેશનનાં ડેપ્યુટી કમિશ્નર સી. કે. નંદાણીનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને આઈસોલેશનમાં ખસેડાયા છે. અને પોતાના સંપર્કમાં આવેલા તમામને કવોરંટાઈન થવાની અપીલ પણ તેમણે કરી છે.
મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં 35 કેસ નોંધાતા કુલ આંક 10,234 એ પહોંચ્યો છે. જોકે ગઈકાલે 89 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ 9333 થયા છે. અને શહેરનો રિકવરી રેટ 91.50 ટકા આસપાસ સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, આજ દિવસ સુધીમાં મનપા દ્વારા કુલ 4,11,494 સેમ્પલ લેવામાં આવ્યા છે.