તહેવારો બાદ સતત વધતા કોરોનાં સંક્રમણને લઈને તંત્ર દોડતું થયું
કલેક્ટર દ્વારા રાત્રી કરફ્યુની શક્યતા વ્યક્ત કરવામાં આવી
WatchGujarat. શહેરમાં તહેવારો બાદ સતત વધતા કોરોનાં સંક્રમણને લઈને તંત્ર દોડતું થયું છે. કલેક્ટર દ્વારા પણ રાત્રી કરફ્યુની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શહેરના મેયર બીનાબેન આચાર્યએ પણ હવે સરકારના આદેશ બાદ રાત્રી કરફ્યુ લાગવાની શક્યતા દર્શાવી છે. સાથે જ શહેરનાં તમામ પ્રવેશદ્વારો અને વિવિધ ટેસ્ટિંગ બુથ પર બહારથી આવતા લોકોનાં આરોગ્યની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
મેયર બીનાબેન આચાર્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોરોનાનાં કેસમાં વધારો થયો છે. જેને લઈ અધિકારીઓ સાથેની બેઠક કરી ચાની કિટલી તેમજ પાનનાં ગલ્લાઓ પર લોકોની ભીડ જામે તો તેની સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. સાથે હોકર્સ ઝોનમાં શાકભાજી ખરીદી કરતી સમયે સામાજીક અંતર જળવાય તેની પણ તકેદારી રાખવા સુચનો આપવામાં આવ્યા છે.
https://youtu.be/VShdxKtwDDg
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટનાં પ્રવેશ દ્વાર અને ટોલ બુથ પર બહારગામથી આવતા લોકોનાં ટેસ્ટીંગ શરૂ કરવા તંત્રને તાકીદ કરી દેવામાં આવ્યું છે. જોકે રાજકોટમાં હાલમાં કોઇ કર્ફ્યુ અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. આવ્યો પરંતુ જો કેસ વધે તો સરકારનાં આદેશ બાદ રાત્રી કર્ફ્યુ લગાડી શકાય છે. હાલ કર્ફ્યુની શક્યતાઓને લઇને બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે. ત્યારે લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવી ખાતરી પણ મેયરે આપી છે.
તહેવારો બાદ સતત વધતા કોરોનાં સંક્રમણને લઈને તંત્ર દોડતું થયું
કલેક્ટર દ્વારા રાત્રી કરફ્યુની શક્યતા વ્યક્ત કરવામાં આવી
WatchGujarat. શહેરમાં તહેવારો બાદ સતત વધતા કોરોનાં સંક્રમણને લઈને તંત્ર દોડતું થયું છે. કલેક્ટર દ્વારા પણ રાત્રી કરફ્યુની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શહેરના મેયર બીનાબેન આચાર્યએ પણ હવે સરકારના આદેશ બાદ રાત્રી કરફ્યુ લાગવાની શક્યતા દર્શાવી છે. સાથે જ શહેરનાં તમામ પ્રવેશદ્વારો અને વિવિધ ટેસ્ટિંગ બુથ પર બહારથી આવતા લોકોનાં આરોગ્યની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
મેયર બીનાબેન આચાર્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોરોનાનાં કેસમાં વધારો થયો છે. જેને લઈ અધિકારીઓ સાથેની બેઠક કરી ચાની કિટલી તેમજ પાનનાં ગલ્લાઓ પર લોકોની ભીડ જામે તો તેની સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. સાથે હોકર્સ ઝોનમાં શાકભાજી ખરીદી કરતી સમયે સામાજીક અંતર જળવાય તેની પણ તકેદારી રાખવા સુચનો આપવામાં આવ્યા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટનાં પ્રવેશ દ્વાર અને ટોલ બુથ પર બહારગામથી આવતા લોકોનાં ટેસ્ટીંગ શરૂ કરવા તંત્રને તાકીદ કરી દેવામાં આવ્યું છે. જોકે રાજકોટમાં હાલમાં કોઇ કર્ફ્યુ અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. આવ્યો પરંતુ જો કેસ વધે તો સરકારનાં આદેશ બાદ રાત્રી કર્ફ્યુ લગાડી શકાય છે. હાલ કર્ફ્યુની શક્યતાઓને લઇને બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે. ત્યારે લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવી ખાતરી પણ મેયરે આપી છે.