પરિવાર નાના બાળકો સાથે ચાલીને આવતા જોવા મળ્યો
ફરજ પરનાં સ્ટાફે તરત જ માનવતા વાદી અભિગમ અપનાવવાનો નિર્ણય કર્યો
પીસીઆર વાનમાં પરિવારને તેના રહેણાંક મકાન સુધી સુરક્ષીત પહોંચાડવામાં આવ્યો
WatchGujarat. રાજ્ય સરકારના આદેશ અનુસાર શહેરમાં રાત્રે 9 થી 6 દરમિયાન રાત્રી કર્ફ્યુ અમલમાં છે. જેને પગલે કરફ્યુનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે રાત્રી કર્ફ્યુ વચ્ચે જ પોલીસનો એક સંવેદનશીલ ચહેરો પણ સામે આવ્યો હતો. જેમાં મોડી રાત્રે બહારગામથી આવ્યા હોઈ વાહન ન મળવાને કારણે પગપાળા જતા એક પરીવારને પોલીસે પીસીઆર વાન દ્વારા તેમના ઘરે પહોંચાડ્યો હતો. પોલીસની આ કામગીરીની સૌકોઈ પ્રશંસા કરી રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગઈરાત્રે જ કર્ફ્યુ અંતર્ગત ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ માધાપર ચોકડી ખાતે બંદોબસ્તમાં હતો. દરમિયાન એક પરિવાર નાના બાળકો સાથે ચાલીને આવતા જોવા મળ્યો હતો. જેને પગલે ફરજ પરનાં રહેલ પો. ઇન્સ. કે ઐ.વાળા તથા સ્ટાફના માણસોએ તેમની પૂછપરછ કરી હતી. જેમાં આ પરિવાર જામનગરથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
https://youtu.be/Nd6YnQojsKI
પરિવારની પૂછપરછમાં તેઓ રૈયારોડ બાપાસીતારામ ચોક પાસે રહેતા હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે આ સમયે ઠંડી વધુ હતી અને પરિવારમાં નાના બાળકો પણ હતા. જેને લઈ પોલીસ કમિશ્નર અગ્રવાલે કરેલી સૂચના અનુસાર ફરજ પરનાં સ્ટાફે તરત જ માનવતા વાદી અભિગમ અપનાવવાનો નિર્ણય કર્યો હતો. અને આ મુજબ પીસીઆર વાનમાં પરિવારને તેના રહેણાંક મકાન સુધી સુરક્ષીત પહોંચાડવામાં આવ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસ મથકના પો. ઇન્સ. કે.એ.વાળા, પો. કોન્સ. કેતનકુમાર છગનભાઇ, પો. કોન્સ. શૈલેષભાઇ મકનભાઇ દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરી ધ્યાને આવતા જ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પણ તેમની સરાહના કરી છે. અને માનવતાની સારી કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓને પ્રશંસાપત્ર પાઠવી તેઓને પ્રોત્સાહીત કરવાનો નિર્ણય પણ તેમણે જાહેર કર્યો છે. જેથી આવનારા સમયમાં અન્ય પોલીસ કર્મચારીઓ પણ કડક રીતે ફરજ બજાવવાની સાથે જ માનવતા ભૂલે નહીં. અને પોલીસ પ્રજાનો મિત્ર છે, આ બાબતને સાચા અર્થમાં સાર્થક કરી શકાય.
[caption id="attachment_18428" align="aligncenter" width="1136"] શહેર પોલીસ કમિશ્નરે સરાહનીય કામગીરી કરનાર પોલીસ કર્મીઓની સરાહના કરી[/caption]
પરિવાર નાના બાળકો સાથે ચાલીને આવતા જોવા મળ્યો
ફરજ પરનાં સ્ટાફે તરત જ માનવતા વાદી અભિગમ અપનાવવાનો નિર્ણય કર્યો
પીસીઆર વાનમાં પરિવારને તેના રહેણાંક મકાન સુધી સુરક્ષીત પહોંચાડવામાં આવ્યો
WatchGujarat.રાજ્ય સરકારના આદેશ અનુસાર શહેરમાં રાત્રે 9 થી 6 દરમિયાન રાત્રી કર્ફ્યુ અમલમાં છે. જેને પગલે કરફ્યુનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે રાત્રી કર્ફ્યુ વચ્ચે જ પોલીસનો એક સંવેદનશીલ ચહેરો પણ સામે આવ્યો હતો. જેમાં મોડી રાત્રે બહારગામથી આવ્યા હોઈ વાહન ન મળવાને કારણે પગપાળા જતા એક પરીવારને પોલીસે પીસીઆર વાન દ્વારા તેમના ઘરે પહોંચાડ્યો હતો. પોલીસની આ કામગીરીની સૌકોઈ પ્રશંસા કરી રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગઈરાત્રે જ કર્ફ્યુ અંતર્ગત ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ માધાપર ચોકડી ખાતે બંદોબસ્તમાં હતો. દરમિયાન એક પરિવાર નાના બાળકો સાથે ચાલીને આવતા જોવા મળ્યો હતો. જેને પગલે ફરજ પરનાં રહેલ પો. ઇન્સ. કે ઐ.વાળા તથા સ્ટાફના માણસોએ તેમની પૂછપરછ કરી હતી. જેમાં આ પરિવાર જામનગરથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
પરિવારની પૂછપરછમાં તેઓ રૈયારોડ બાપાસીતારામ ચોક પાસે રહેતા હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે આ સમયે ઠંડી વધુ હતી અને પરિવારમાં નાના બાળકો પણ હતા. જેને લઈ પોલીસ કમિશ્નર અગ્રવાલે કરેલી સૂચના અનુસાર ફરજ પરનાં સ્ટાફે તરત જ માનવતા વાદી અભિગમ અપનાવવાનો નિર્ણય કર્યો હતો. અને આ મુજબ પીસીઆર વાનમાં પરિવારને તેના રહેણાંક મકાન સુધી સુરક્ષીત પહોંચાડવામાં આવ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસ મથકના પો. ઇન્સ. કે.એ.વાળા, પો. કોન્સ. કેતનકુમાર છગનભાઇ, પો. કોન્સ. શૈલેષભાઇ મકનભાઇ દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરી ધ્યાને આવતા જ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પણ તેમની સરાહના કરી છે. અને માનવતાની સારી કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓને પ્રશંસાપત્ર પાઠવી તેઓને પ્રોત્સાહીત કરવાનો નિર્ણય પણ તેમણે જાહેર કર્યો છે. જેથી આવનારા સમયમાં અન્ય પોલીસ કર્મચારીઓ પણ કડક રીતે ફરજ બજાવવાની સાથે જ માનવતા ભૂલે નહીં. અને પોલીસ પ્રજાનો મિત્ર છે, આ બાબતને સાચા અર્થમાં સાર્થક કરી શકાય.