શહેરમાં રાત્રી કર્ફ્યુના પાલનમાં પોલીસ સક્રિય
મોડી રાત્રે બહારગામથી આવતા મુસાફરો સંસાધનને કારણે અટવાયા
WatchGujarat. શહેરમાં છેલ્લા 2 દિવસથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન બહારગામથી આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને રોજ અંદાજે 500 જેટલા મુસાફરો શહેરનાં બાયપાસ અને રેલવે સ્ટેશન પર રાતભર રઝળી રહ્યા છે. બીજીતરફ પોલીસે સતત બીજા દિવસે કર્ફ્યુનો ભંગ કરનારા 44 સહિત વધુ 119 સામે જાહેરનામા ભંગનાં ગુના નોંધ્યા છે.
શહેરભરમાં પોલીસ દ્વારા રાત્રી કરફ્યુનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે. જેને પગલે શહેરમાં એસ.ટી બસ 9 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા જઈ શકતી નથી. જેના કારણે આ ચાર મહાનગરમાં એસ.ટી અને ખાનગી બસો બાયપાસ દોડી રહી છે. તમામ એસ.ટી બસો પણ રાત્રે 9 પછી યાત્રિકોને બાયપાસ ઉતારીને જતી રહે છે. અને કરફ્યુને કારણે રિક્ષા કે અન્ય કોઈ વાહનો પણ ઉપલબ્ધ ન હોવાથી યાત્રિકોને પગપાળા ચાલીને જવું પડી રહ્યું છે. રેલવે સ્ટેશનેથી પણ વાહન ન મળતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય આ અંગે ચોક્કસ વ્યવસ્થા કરવાની માંગ લોકો કરી રહ્યા છે.
રવિવારે કર્ફ્યુની બીજી રાત્રે પણ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. અને કામ વગર ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરનાર 44 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. આ સાથે જ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર 119 લોકો સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં નવ વાગ્યા પછી નાસ્તાની રેંકડી, દુકાનો ખુલ્લી રાખનાર છ વેપારી, ટુ વ્હિલર, ફોર વ્હિલર, ઓટો રિક્ષા સહિતના વાહનોમાં નિયત કરતા વધુ લોકોને બેસાડનાર 45 ચાલકો સામે, ઉપરાંત નાસ્તા સહિતની દુકાનોમાં લોકોની ભીડ એકઠી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર 21 વેપારી અને માસ્ક નહીં પહેરનારા સાત સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
શહેરમાં રાત્રી કર્ફ્યુના પાલનમાં પોલીસ સક્રિય
મોડી રાત્રે બહારગામથી આવતા મુસાફરો સંસાધનને કારણે અટવાયા
WatchGujarat. શહેરમાં છેલ્લા 2 દિવસથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન બહારગામથી આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને રોજ અંદાજે 500 જેટલા મુસાફરો શહેરનાં બાયપાસ અને રેલવે સ્ટેશન પર રાતભર રઝળી રહ્યા છે. બીજીતરફ પોલીસે સતત બીજા દિવસે કર્ફ્યુનો ભંગ કરનારા 44 સહિત વધુ 119 સામે જાહેરનામા ભંગનાં ગુના નોંધ્યા છે.
શહેરભરમાં પોલીસ દ્વારા રાત્રી કરફ્યુનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે. જેને પગલે શહેરમાં એસ.ટી બસ 9 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા જઈ શકતી નથી. જેના કારણે આ ચાર મહાનગરમાં એસ.ટી અને ખાનગી બસો બાયપાસ દોડી રહી છે. તમામ એસ.ટી બસો પણ રાત્રે 9 પછી યાત્રિકોને બાયપાસ ઉતારીને જતી રહે છે. અને કરફ્યુને કારણે રિક્ષા કે અન્ય કોઈ વાહનો પણ ઉપલબ્ધ ન હોવાથી યાત્રિકોને પગપાળા ચાલીને જવું પડી રહ્યું છે. રેલવે સ્ટેશનેથી પણ વાહન ન મળતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય આ અંગે ચોક્કસ વ્યવસ્થા કરવાની માંગ લોકો કરી રહ્યા છે.
રવિવારે કર્ફ્યુની બીજી રાત્રે પણ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. અને કામ વગર ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરનાર 44 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. આ સાથે જ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર 119 લોકો સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં નવ વાગ્યા પછી નાસ્તાની રેંકડી, દુકાનો ખુલ્લી રાખનાર છ વેપારી, ટુ વ્હિલર, ફોર વ્હિલર, ઓટો રિક્ષા સહિતના વાહનોમાં નિયત કરતા વધુ લોકોને બેસાડનાર 45 ચાલકો સામે, ઉપરાંત નાસ્તા સહિતની દુકાનોમાં લોકોની ભીડ એકઠી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર 21 વેપારી અને માસ્ક નહીં પહેરનારા સાત સામે ગુનો નોંધવામાં આવ્યો છે.