પરમીશન લેવા જનારને તંત્ર દ્વારા કોઈપણ પરિપત્ર મળ્યો નથી, જેવા ઉડાઉ જવાબ મળતા લોકોમાં ભારોભાર રોષ
ભાજપનાં કાર્યક્રમોમાં કેમ કોરોના નડતો નથી?
દિવસ દરમિયાનનાં પ્રસંગો માટે તો માત્ર પોલીસની મંજૂરી લેવી પડશે.
WatchGujarat. તહેવારો બાદ રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણને રોકવા અમદાવાદની સાથે રાજકોટ સહિતનાં શહેરોમાં રાત્રી કરફ્યુ લાદવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો છે. પરંતુ હાલ લગ્નની સિઝનમાં અચાનક જાહેર થયેલા રાત્રી કરફ્યુને લઈને અનેક પરિવારોમાં દોડધામ મચી ગઇ છે. એટલું જ નહીં પરમીશન લેવા જનારને તંત્ર દ્વારા કોઈપણ પરિપત્ર મળ્યો નથી. જેવા ઉડાઉ જવાબ મળતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો. જો કે બપોર બાદ પોલીસે ગાઈડલાઇન જાહેર કરી છે. જેમાં કરફ્યુનાં સમય પહેલા જ લગ્ન કરવા અને તે માટે પોલીસની મંજૂરી જરૂરી હોવાનું પણ જણાવાયું છે. અને ભાજપનાં કાર્યક્રમોમાં કેમ કોરોના નડતો નથી?
આગામી 1 ડિસેમ્બરે રાજકોટ શહેરનાં હરિધવા રોડ પર રહેતા સુરેશભાઈ નાગજીભાઈ સગપરીયાની દિકરી પૂજાનાં લગ્ન નિર્ધારિત થયા છે. પૂજાના ભાઈ વિશાલે જણાવ્યું હતું કે, અમે છેલ્લા એકાદ મહિનાથી લગ્નની તૈયારીઓ કરીએ છીએ. રાત્રીના લગ્ન હોવાથી લાઈટ ડેકોરેશન, કેટરિંગ, મંડપ સર્વિસ સહિતનુ બુકિંગ કરી બધાના પેમેન્ટ ચુકવી દીધા છે. પણ હવે જ્યારે માત્ર 5 દિવસ બાકી છે ત્યારે સરકારે રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે. એટલું જ નહીં આ માટે કલેક્ટર અને પોલીસ પાસે પરમિશન લેવા જતા જવાબ મળે છે કે, અમારી પાસે પરમિશનનો પરિપત્ર જ આવ્યો નથી ! તંત્રનાં આ નિર્ણયથી બહારગામથી આવતા લોકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારને એટલું પૂછવું છે કે ભાજપ સરકાર રેલીઓ અને સભાઓ કરીને 200-500 લોકો ભેગા થઈને ઉજવણી કરે છે ત્યારે કોરોના કેમ નથી ફેલાતો ?
ઉલ્લેખનીય છે કે, નજીકના સમયમાં શહેરમાં અનેક પરિવારોમાં લગ્ન છે. અને સ્વાભાવિક રીતે જ લોકોએ આ માટેની તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. ત્યારે હવે દિવસ દરમિયાનનાં પ્રસંગો માટે તો માત્ર પોલીસની મંજૂરી લેવી પડશે. પરંતુ ખાસ તો જે લોકોને રાત્રીનાં લગ્ન હોય તેણે તાત્કાલિક નવેસરથી આયોજન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઈને લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
પરમીશન લેવા જનારને તંત્ર દ્વારા કોઈપણ પરિપત્ર મળ્યો નથી, જેવા ઉડાઉ જવાબ મળતા લોકોમાં ભારોભાર રોષ
ભાજપનાં કાર્યક્રમોમાં કેમ કોરોના નડતો નથી?
દિવસ દરમિયાનનાં પ્રસંગો માટે તો માત્ર પોલીસની મંજૂરી લેવી પડશે.
WatchGujarat. તહેવારો બાદ રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણને રોકવા અમદાવાદની સાથે રાજકોટ સહિતનાં શહેરોમાં રાત્રી કરફ્યુ લાદવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો છે. પરંતુ હાલ લગ્નની સિઝનમાં અચાનક જાહેર થયેલા રાત્રી કરફ્યુને લઈને અનેક પરિવારોમાં દોડધામ મચી ગઇ છે. એટલું જ નહીં પરમીશન લેવા જનારને તંત્ર દ્વારા કોઈપણ પરિપત્ર મળ્યો નથી. જેવા ઉડાઉ જવાબ મળતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો. જો કે બપોર બાદ પોલીસે ગાઈડલાઇન જાહેર કરી છે. જેમાં કરફ્યુનાં સમય પહેલા જ લગ્ન કરવા અને તે માટે પોલીસની મંજૂરી જરૂરી હોવાનું પણ જણાવાયું છે. અને ભાજપનાં કાર્યક્રમોમાં કેમ કોરોના નડતો નથી?
આગામી 1 ડિસેમ્બરે રાજકોટ શહેરનાં હરિધવા રોડ પર રહેતા સુરેશભાઈ નાગજીભાઈ સગપરીયાની દિકરી પૂજાનાં લગ્ન નિર્ધારિત થયા છે. પૂજાના ભાઈ વિશાલે જણાવ્યું હતું કે, અમે છેલ્લા એકાદ મહિનાથી લગ્નની તૈયારીઓ કરીએ છીએ. રાત્રીના લગ્ન હોવાથી લાઈટ ડેકોરેશન, કેટરિંગ, મંડપ સર્વિસ સહિતનુ બુકિંગ કરી બધાના પેમેન્ટ ચુકવી દીધા છે. પણ હવે જ્યારે માત્ર 5 દિવસ બાકી છે ત્યારે સરકારે રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે. એટલું જ નહીં આ માટે કલેક્ટર અને પોલીસ પાસે પરમિશન લેવા જતા જવાબ મળે છે કે, અમારી પાસે પરમિશનનો પરિપત્ર જ આવ્યો નથી ! તંત્રનાં આ નિર્ણયથી બહારગામથી આવતા લોકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારને એટલું પૂછવું છે કે ભાજપ સરકાર રેલીઓ અને સભાઓ કરીને 200-500 લોકો ભેગા થઈને ઉજવણી કરે છે ત્યારે કોરોના કેમ નથી ફેલાતો ?
ઉલ્લેખનીય છે કે, નજીકના સમયમાં શહેરમાં અનેક પરિવારોમાં લગ્ન છે. અને સ્વાભાવિક રીતે જ લોકોએ આ માટેની તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. ત્યારે હવે દિવસ દરમિયાનનાં પ્રસંગો માટે તો માત્ર પોલીસની મંજૂરી લેવી પડશે. પરંતુ ખાસ તો જે લોકોને રાત્રીનાં લગ્ન હોય તેણે તાત્કાલિક નવેસરથી આયોજન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઈને લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.