છેલ્લી ત્રણ રાત દરમિયાન જાહેરનામાં ભંગ સહિત 349 કેસ કરવામાં આવ્યા છે
શેરી-ગલીઓમાં બિનજરૂરી બહાર નિકળેલા 1542 લોકોને ડ્રોન કેમેરા વડે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
અત્યાર સુધી લગ્ન માટે 561 અરજીઓ આવી
WatchGujarat. શહેરમાં ચાલી રહેલા રાત્રી કરફ્યુ દરમિયાન પોલીસે કરેલી કામગીરીની વિગતો આપવા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જણાવ્યા મુજબ, હાલ રાત્રી કરફ્યુનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. અને આગામી સમયમાં પણ વધુ સારી રીતે કરફ્યુ પાલન કરાવી શકાય તે માટે ખાસ 40 ચેકપોસ્ટ અને 32 ઈન્ટરનલ ચેકપોસ્ટ સહિત કુલ 72 નવી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત આખી રાત CCTV અને ડ્રોન કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં ઝોન 2 DCP મનોહરસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ, શહેરમાં છેલ્લી ત્રણ રાત દરમિયાન જાહેરનામાં ભંગ સહિત 349 કેસ કરવામાં આવ્યા છે. તો સોશિયલ ડિસ્ટન્સ ભંગના 192 કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે 234 વાહન ડિટેઈન કરી લેવામાં આવ્યા છે. ડ્રોન કેમેરા દ્વારા રાત્રી કરફ્યુ દરમિયાન બહાર નીકળતા લોકો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. તેમજ શેરી-ગલીઓમાં બિનજરૂરી બહાર નિકળેલા 1542 લોકોને ડ્રોન કેમેરા વડે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવેલા લોકોને પણ સેફ રાજકોટ એપની મદદથી ચેક કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને પોઝિટિવ દર્દીનાં સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કવોરંટાઈન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં કુલ 17795 લોકોએ સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરી છે. અને અત્યાર સુધીમાં 19507 લોકોને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યા છે.
લગ્ન માટેની મંજૂરી અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી લગ્ન માટે 561 અરજીઓ આવી છે. અને આ પૈકી 100 કરતા વધુ અરજદારોને મંજૂરી આપી દેવામાં આવી છે. બાકીની અરજીઓ અંગે ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત રાત્રી કરફ્યુ દરમિયાન બહારગામથી આવતા લોકોને જરૂર પડ્યે પીસીઆર વાન દ્વારા પણ સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તો ઉદ્યોગોમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીનો સમય સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી રાખવા અંગે ઉદ્યોગકારો સાથે ચર્ચા ચાલી રહી હોવાનું પણ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવાયું છે.
છેલ્લી ત્રણ રાત દરમિયાન જાહેરનામાં ભંગ સહિત 349 કેસ કરવામાં આવ્યા છે
શેરી-ગલીઓમાં બિનજરૂરી બહાર નિકળેલા 1542 લોકોને ડ્રોન કેમેરા વડે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
અત્યાર સુધી લગ્ન માટે 561 અરજીઓ આવી
WatchGujarat. શહેરમાં ચાલી રહેલા રાત્રી કરફ્યુ દરમિયાન પોલીસે કરેલી કામગીરીની વિગતો આપવા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જણાવ્યા મુજબ, હાલ રાત્રી કરફ્યુનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. અને આગામી સમયમાં પણ વધુ સારી રીતે કરફ્યુ પાલન કરાવી શકાય તે માટે ખાસ 40 ચેકપોસ્ટ અને 32 ઈન્ટરનલ ચેકપોસ્ટ સહિત કુલ 72 નવી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત આખી રાત CCTV અને ડ્રોન કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં ઝોન 2 DCP મનોહરસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ, શહેરમાં છેલ્લી ત્રણ રાત દરમિયાન જાહેરનામાં ભંગ સહિત 349 કેસ કરવામાં આવ્યા છે. તો સોશિયલ ડિસ્ટન્સ ભંગના 192 કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે 234 વાહન ડિટેઈન કરી લેવામાં આવ્યા છે. ડ્રોન કેમેરા દ્વારા રાત્રી કરફ્યુ દરમિયાન બહાર નીકળતા લોકો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. તેમજ શેરી-ગલીઓમાં બિનજરૂરી બહાર નિકળેલા 1542 લોકોને ડ્રોન કેમેરા વડે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવેલા લોકોને પણ સેફ રાજકોટ એપની મદદથી ચેક કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને પોઝિટિવ દર્દીનાં સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કવોરંટાઈન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં કુલ 17795 લોકોએ સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરી છે. અને અત્યાર સુધીમાં 19507 લોકોને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યા છે.
લગ્ન માટેની મંજૂરી અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી લગ્ન માટે 561 અરજીઓ આવી છે. અને આ પૈકી 100 કરતા વધુ અરજદારોને મંજૂરી આપી દેવામાં આવી છે. બાકીની અરજીઓ અંગે ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત રાત્રી કરફ્યુ દરમિયાન બહારગામથી આવતા લોકોને જરૂર પડ્યે પીસીઆર વાન દ્વારા પણ સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તો ઉદ્યોગોમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીનો સમય સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી રાખવા અંગે ઉદ્યોગકારો સાથે ચર્ચા ચાલી રહી હોવાનું પણ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવાયું છે.