Watchgujarat. સુરતની સુમુલ ડેરીની ચુટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આજે 16 ડિરેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારના ચેરમેન અને વાઈસ ચેરમેનના ઉમેદવારોને મળેલા મતની ગણતરી થઈ હતી. જેમાં ચેરમેન પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સુમુલની ચૂંટણી બાદ આખો મામલો હોઈકોર્ટમાં ગયો હતો. ત્યારબાદ આજે મતગણતરી કરવામાં આવી હતી. માનસિંહ પટેલને પ્રમુખ માટે 15 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર ભરત પટેલને 2 મત મળ્યા હતા.જેથી પ્રમુખ પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે રાજુ પાઠકને ઉપપ્રમુખ માટે 14 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર સુનિલ ગામીતને 3 મત મળ્યા હતા. જેથી ઉપપ્રમુખ પદે રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે.
સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોચ્યો હતો
સુમુલ ડેરીમાં 7 ઓગસ્ટે ના રોજ ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરકાર તરફથી મતદાન કરવા માટે 2 પ્રતિનિધિઓ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપૂતની નિમણુંક સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી હતી. જેની સામે ચૂંટાયેલા 2 ડિરેક્ટર ભરત પટેલ અને સુનિલ ગામીતે વાંધો લેતાં મામલો હાઈકોર્ટ ગયો હતો. જિલ્લા રજિસ્ટ્રાર પાસે નિમણુંકની પ્રક્રિયા અને ક્યા આધારે 2 પ્રતિનિધિઓની નિમણુંક થઈ હોવાની હાઇકોર્ટે પુચ્છા કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ચુકાદો આપતાં 2 સરકારી પ્રતિનિધિઓની નિમણુંક રદ્દ કરી હતી. અને આજે સુમુલ ડેરીના ચુંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં ચેરમેન પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે.
Watchgujarat. સુરતની સુમુલ ડેરીની ચુટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આજે 16 ડિરેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારના ચેરમેન અને વાઈસ ચેરમેનના ઉમેદવારોને મળેલા મતની ગણતરી થઈ હતી. જેમાં ચેરમેન પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સુમુલની ચૂંટણી બાદ આખો મામલો હોઈકોર્ટમાં ગયો હતો. ત્યારબાદ આજે મતગણતરી કરવામાં આવી હતી. માનસિંહ પટેલને પ્રમુખ માટે 15 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર ભરત પટેલને 2 મત મળ્યા હતા.જેથી પ્રમુખ પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે રાજુ પાઠકને ઉપપ્રમુખ માટે 14 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર સુનિલ ગામીતને 3 મત મળ્યા હતા. જેથી ઉપપ્રમુખ પદે રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે.
સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોચ્યો હતો
સુમુલ ડેરીમાં 7 ઓગસ્ટે ના રોજ ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરકાર તરફથી મતદાન કરવા માટે 2 પ્રતિનિધિઓ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપૂતની નિમણુંક સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી હતી. જેની સામે ચૂંટાયેલા 2 ડિરેક્ટર ભરત પટેલ અને સુનિલ ગામીતે વાંધો લેતાં મામલો હાઈકોર્ટ ગયો હતો. જિલ્લા રજિસ્ટ્રાર પાસે નિમણુંકની પ્રક્રિયા અને ક્યા આધારે 2 પ્રતિનિધિઓની નિમણુંક થઈ હોવાની હાઇકોર્ટે પુચ્છા કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ચુકાદો આપતાં 2 સરકારી પ્રતિનિધિઓની નિમણુંક રદ્દ કરી હતી. અને આજે સુમુલ ડેરીના ચુંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં ચેરમેન પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે.