રાજકોટ PDU મેડિકલ કોલેજને કોરોનાગ્રસ્ત મૃતદેહનાં પોસ્ટમોર્ટમ માટે અલગ રૂમ તૈયાર કર્યો
રાજકોટમાં થનારા રિસર્ચમાં કોરોનાથી મગજ, હાર્ટ, આંખ, પેશાબામાં અને પેટમાં તેમજ શરીરના અન્ય પાર્ટમાં કેવી અસર થાય છે તે જાણવા શરીરના અલગ અલગ અંગોમાંથી સેમ્પલ લઇ તેનું પૃથક્કરણ કરાશે
ડાયબિટીસ, બીપી જેવી ગંભીર બીમારી ધરાવતા ડેડબોડીનું પરીક્ષણ નહીં થાય
https://youtu.be/khuH0fe-dQs
રાજકોટ. ગુજરાતમાં સૌ-પ્રથમ વખત રાજકોટ PDU મેડિકલ કોલેજને કોરોનાગ્રસ્ત મૃતદેહનાં પોસ્ટમોર્ટમની મંજૂરી મળી છે. આ માટે સિવિલ હોસ્પિટલમાં ખાસ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આ પેથોલોજીકલ પોસ્ટમોર્ટમ રૂમની અંદરનો વિડીયો સામે આવ્યો છે. જેમાં અહીંની સુવિધા છે અને આધુનિક સાધનોની વ્યવસ્થા જોઈ શકાય છે.
આ પોસ્ટમોર્ટમ રૂમ અંગે ફોરેન્સિક મેડિસીન વિભાગનાં હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રિટેન્ડેન્ટ ડોકટર હેતલ ક્યાડાએ માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આ રૂમની ખાસીયત છે કે, ઇન્ફેક્શનને કંટ્રોલ કરે છે. તેમજ તેને ટેમ્પરેચર સાથે કોઈ નિસ્બત નથી. જો કોઈ એર બોન્ડ બીમારી હોય તો વાયરસ પીએમ કરનાર અને રૂમની આજુબાજુ ફેલાય તેવી શક્યતા રહેતી હોય છે. જો કે કોરોના વાયરસ હવામાં ફેલાતો ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં માત્ર ભોપાલ એઇમ્સ ખાતે મૃતદેહની પેથોલોજિકલ ઓટોપ્સી કરવામાં આવી હતી. જેમાં માત્ર ફેફસાંના જ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટમાં થનારા રિસર્ચમાં કોરોનાથી મગજ, હાર્ટ, આંખ, પેશાબામાં અને પેટમાં તેમજ શરીરના અન્ય પાર્ટમાં કેવી અસર થાય છે તે જાણવા શરીરના અલગ અલગ અંગોમાંથી સેમ્પલ લઇ તેનું પૃથક્કરણ કરીને સંશોધન કરવામાં આવશે.
કામગીરી શરૂ કરવા અંગે તેમણે કહ્યું હતું કે, હાલ તો કોરાના વાયરસમાં મૃત્યુ પામેલા દર્દીઓના સગાઓનું કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે. જેમાં એક દર્દીના સગા પોઝિટિવ જણાય છે. તેમની અથવા અન્ય કોઈકની મંજૂરી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકશે. પરંતુ આ માટે ડાયબિટીસ, બીપી જેવી ગંભીર બીમારી ધરાવતા ડેડબોડીનું પરીક્ષણ નહીં થાય. તેમજ દાખલ થયાના કે પોઝિટિવ રિપોર્ટ આવ્યાના એક-બે દિવસમાં મૃત્યુ પામનારના શરીરમાં વાયરસનો લોડ ખૂબ વધારે હોવાથી તેવા મૃતદેહને પણ નહીં લેવાનું તેમણે કહ્યું છે.
- રાજકોટ PDU મેડિકલ કોલેજને કોરોનાગ્રસ્ત મૃતદેહનાં પોસ્ટમોર્ટમ માટે અલગ રૂમ તૈયાર કર્યો
- રાજકોટમાં થનારા રિસર્ચમાં કોરોનાથી મગજ, હાર્ટ, આંખ, પેશાબામાં અને પેટમાં તેમજ શરીરના અન્ય પાર્ટમાં કેવી અસર થાય છે તે જાણવા શરીરના અલગ અલગ અંગોમાંથી સેમ્પલ લઇ તેનું પૃથક્કરણ કરાશે
- ડાયબિટીસ, બીપી જેવી ગંભીર બીમારી ધરાવતા ડેડબોડીનું પરીક્ષણ નહીં થાય
રાજકોટ. ગુજરાતમાં સૌ-પ્રથમ વખત રાજકોટ PDU મેડિકલ કોલેજને કોરોનાગ્રસ્ત મૃતદેહનાં પોસ્ટમોર્ટમની મંજૂરી મળી છે. આ માટે સિવિલ હોસ્પિટલમાં ખાસ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આ પેથોલોજીકલ પોસ્ટમોર્ટમ રૂમની અંદરનો વિડીયો સામે આવ્યો છે. જેમાં અહીંની સુવિધા છે અને આધુનિક સાધનોની વ્યવસ્થા જોઈ શકાય છે.
આ પોસ્ટમોર્ટમ રૂમ અંગે ફોરેન્સિક મેડિસીન વિભાગનાં હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રિટેન્ડેન્ટ ડોકટર હેતલ ક્યાડાએ માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આ રૂમની ખાસીયત છે કે, ઇન્ફેક્શનને કંટ્રોલ કરે છે. તેમજ તેને ટેમ્પરેચર સાથે કોઈ નિસ્બત નથી. જો કોઈ એર બોન્ડ બીમારી હોય તો વાયરસ પીએમ કરનાર અને રૂમની આજુબાજુ ફેલાય તેવી શક્યતા રહેતી હોય છે. જો કે કોરોના વાયરસ હવામાં ફેલાતો ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં માત્ર ભોપાલ એઇમ્સ ખાતે મૃતદેહની પેથોલોજિકલ ઓટોપ્સી કરવામાં આવી હતી. જેમાં માત્ર ફેફસાંના જ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટમાં થનારા રિસર્ચમાં કોરોનાથી મગજ, હાર્ટ, આંખ, પેશાબામાં અને પેટમાં તેમજ શરીરના અન્ય પાર્ટમાં કેવી અસર થાય છે તે જાણવા શરીરના અલગ અલગ અંગોમાંથી સેમ્પલ લઇ તેનું પૃથક્કરણ કરીને સંશોધન કરવામાં આવશે.
કામગીરી શરૂ કરવા અંગે તેમણે કહ્યું હતું કે, હાલ તો કોરાના વાયરસમાં મૃત્યુ પામેલા દર્દીઓના સગાઓનું કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે. જેમાં એક દર્દીના સગા પોઝિટિવ જણાય છે. તેમની અથવા અન્ય કોઈકની મંજૂરી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકશે. પરંતુ આ માટે ડાયબિટીસ, બીપી જેવી ગંભીર બીમારી ધરાવતા ડેડબોડીનું પરીક્ષણ નહીં થાય. તેમજ દાખલ થયાના કે પોઝિટિવ રિપોર્ટ આવ્યાના એક-બે દિવસમાં મૃત્યુ પામનારના શરીરમાં વાયરસનો લોડ ખૂબ વધારે હોવાથી તેવા મૃતદેહને પણ નહીં લેવાનું તેમણે કહ્યું છે.