ICUમાં દિવસમાં ઓછામાં ઓછી 2 વખત સિનિયર તબીબોએ મુલાકત લેવાનો આદેશ
જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલ દ્વારા વધારાના ચાર્જ અંગે કોઈને ફરિયાદ કરવી હોય તો હેલ્પલાઈન નંબર શરૂ કરાયા છે.
રાજકોટ : શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને મુખ્યમંત્રી સતત ચિંતામાં છે. અને આરોગ્ય અગ્ર સચિવને ખાસ ડોક્ટરોની ટિમ સાથે રાજકોટ મોકલ્યા બાદ આજે CM ડેશબોર્ડ મારફતે સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. જેમાં તેમણે દર્દીઓ ડોક્ટર્સ તેમજ નર્સ સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે ICUમાં દિવસમાં ઓછામાં ઓછી 2 વખત સિનિયર તબીબોએ મુલાકત લેવાનો આદેશ પણ આપ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા આ વર્ચ્યુઅલ સંવાદ દરમિયાન રૂપાણીએ ICUમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થઈને જાય તેવા પ્રયાસો કરવાની સૂચના ડોક્ટર્સને આપી હતી. રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં હાલ 7 બાળકો સારવાર હેઠળ છે અને 1 બાળકને ઓક્સિજન પર છે. વિજય રૂપાણીએ ખાસ બાળ દર્દીઓની વિગતો મેળવી હતી. અને તેના માટે કોઈપણ સુવિધાની જરૂર હોય તો તે તાત્કાલિક ધોરણે પુરી પાડવાની ખાતરી આપી બાળકોના માતા પિતાને સધિયારો આપ્યો હતો.
આ તકે હાજર રહેલા આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલ દ્વારા વધારાના ચાર્જ અંગે કોઈને ફરિયાદ કરવી હોય તો હેલ્પલાઈન નંબર શરૂ કરાયા છે. જેમાં આવતી તમામ ફરિયાદ પર ચોક્કસ એક્શન લેવાની ખાતરી પણ તેમણે આપી હતી. સાથે જ રાજકોટમાં ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થા હોવાની વાતનું ખંડન કર્યું હતું. રાજકીય નેતાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે તેમણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ.
- ICUમાં દિવસમાં ઓછામાં ઓછી 2 વખત સિનિયર તબીબોએ મુલાકત લેવાનો આદેશ
- જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલ દ્વારા વધારાના ચાર્જ અંગે કોઈને ફરિયાદ કરવી હોય તો હેલ્પલાઈન નંબર શરૂ કરાયા છે.
રાજકોટ : શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને મુખ્યમંત્રી સતત ચિંતામાં છે. અને આરોગ્ય અગ્ર સચિવને ખાસ ડોક્ટરોની ટિમ સાથે રાજકોટ મોકલ્યા બાદ આજે CM ડેશબોર્ડ મારફતે સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. જેમાં તેમણે દર્દીઓ ડોક્ટર્સ તેમજ નર્સ સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે ICUમાં દિવસમાં ઓછામાં ઓછી 2 વખત સિનિયર તબીબોએ મુલાકત લેવાનો આદેશ પણ આપ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા આ વર્ચ્યુઅલ સંવાદ દરમિયાન રૂપાણીએ ICUમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થઈને જાય તેવા પ્રયાસો કરવાની સૂચના ડોક્ટર્સને આપી હતી. રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં હાલ 7 બાળકો સારવાર હેઠળ છે અને 1 બાળકને ઓક્સિજન પર છે. વિજય રૂપાણીએ ખાસ બાળ દર્દીઓની વિગતો મેળવી હતી. અને તેના માટે કોઈપણ સુવિધાની જરૂર હોય તો તે તાત્કાલિક ધોરણે પુરી પાડવાની ખાતરી આપી બાળકોના માતા પિતાને સધિયારો આપ્યો હતો.
આ તકે હાજર રહેલા આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલ દ્વારા વધારાના ચાર્જ અંગે કોઈને ફરિયાદ કરવી હોય તો હેલ્પલાઈન નંબર શરૂ કરાયા છે. જેમાં આવતી તમામ ફરિયાદ પર ચોક્કસ એક્શન લેવાની ખાતરી પણ તેમણે આપી હતી. સાથે જ રાજકોટમાં ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થા હોવાની વાતનું ખંડન કર્યું હતું. રાજકીય નેતાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે તેમણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ.