દેશમાં પ્રથમ વખત એઇમ્સ ભોપાલ ખાતે કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોરપ્સી કરવામાં આવશે
ઓટોપ્સી રિપોર્ટથી વાયરસ શરીરમાં કેટલા પ્રમાણમાં, ક્યાં-ક્યાં અને કેવી અસર કરે તે જાણવામાં મોટી મદદ મળશે.
પરિવાર આ માટે સ્વેચ્છાએ આગળ આવે તેમના સ્વજનના કોરોના ગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેનું પરિક્ષણ કરવામાં આવશે
રાજકોટ : ગુજરાતમાં સૌપ્રથમ અને દેશમાં બીજી વખત રાજકોટમાં કોરોનાનાં મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સી કરવામાં આવનાર છે. રિસર્ચ દ્વારા વાયરસ શરીરમાં કેટલા પ્રમાણમાં, ક્યાં-ક્યાં અને કેવી અસર કરે તે જાણવામાં મોટી મદદ મળશે. અને કોરોનાગ્રસ્ત દર્દીના શરીર પર રિસર્ચ કરી સારવાર પધ્ધતિમાં જરૂરી બદલાવ કરી શકાય તે માટે ઓટોપ્સી (ખાસ પોસ્ટમોર્ટમ) કરવાનો નિર્ણય લેવાયો છે. મૃતકનાં પરિવારજનોની મંજૂરી બાદ જ મૃતદેહની ઓટોપ્સી કરવામાં આવશે. આ માટે ખાસ પોસ્ટમોર્ટમ રૂમ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.
રાજકોટને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ-19 હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડાએ કહ્યું હતું કે, કોરોના એક નવા પ્રકારની બિમારી છે. તેની માનવ શરીર પર શું અસર થાય છે ? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે, તેનું શબ પરિક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવશે. જેના દ્વારા માનવ શરીર પર થતી તેની અસરો અને અટકાવવાના ઉપાયો જાણી શકાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મૃતકનાં પરિવારજનોની મંજૂરી વિના આ કાર્ય શક્ય નથી. અને જે પરિવાર આ માટે સ્વેચ્છાએ આગળ આવે તેમના સ્વજનના કોરોના ગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેનું પરિક્ષણ કરવામાં આવશે. અને મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાઈ નહી તે માટે સરકારની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે સહમત થનાર મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાલ માત્ર એઈમ્સ ભોપાલ ખાતે જ મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સી કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટને આ મંજુરી આપવામાં આવી છે. પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચ દરમિયાન કોરોનાના ચેપ સિવાય અન્ય કોઈ ગંભીર બિમારી ન હોય તેવા તથા હોસ્પિટલમાં પાંચ દિવસ કે તેથી વધારે દિવસ સારવાર લીધા બાદ મૃત્યુ થયુ હોય તેનો સમાવેશ કરવામાં આવશે. હાલ આ માટેનો ખાસ પોસ્ટમોર્ટમ રૂમ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. અને આરોગ્ય સચિવ જયંતી રવિ તથા અધિક આરોગ્ય સચિવ રાહુલ ગુપ્તાએ રૂબરૂ મુલાકાત લઈને જરૂરી સુચનો પણ કર્યા છે.
દેશમાં પ્રથમ વખત એઇમ્સ ભોપાલ ખાતે કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોરપ્સી કરવામાં આવશે
ઓટોપ્સી રિપોર્ટથી વાયરસ શરીરમાં કેટલા પ્રમાણમાં, ક્યાં-ક્યાં અને કેવી અસર કરે તે જાણવામાં મોટી મદદ મળશે.
પરિવાર આ માટે સ્વેચ્છાએ આગળ આવે તેમના સ્વજનના કોરોના ગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેનું પરિક્ષણ કરવામાં આવશે
રાજકોટ : ગુજરાતમાં સૌપ્રથમ અને દેશમાં બીજી વખત રાજકોટમાં કોરોનાનાં મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સી કરવામાં આવનાર છે. રિસર્ચ દ્વારા વાયરસ શરીરમાં કેટલા પ્રમાણમાં, ક્યાં-ક્યાં અને કેવી અસર કરે તે જાણવામાં મોટી મદદ મળશે. અને કોરોનાગ્રસ્ત દર્દીના શરીર પર રિસર્ચ કરી સારવાર પધ્ધતિમાં જરૂરી બદલાવ કરી શકાય તે માટે ઓટોપ્સી (ખાસ પોસ્ટમોર્ટમ) કરવાનો નિર્ણય લેવાયો છે. મૃતકનાં પરિવારજનોની મંજૂરી બાદ જ મૃતદેહની ઓટોપ્સી કરવામાં આવશે. આ માટે ખાસ પોસ્ટમોર્ટમ રૂમ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.
રાજકોટને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ-19 હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડાએ કહ્યું હતું કે, કોરોના એક નવા પ્રકારની બિમારી છે. તેની માનવ શરીર પર શું અસર થાય છે ? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે, તેનું શબ પરિક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવશે. જેના દ્વારા માનવ શરીર પર થતી તેની અસરો અને અટકાવવાના ઉપાયો જાણી શકાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મૃતકનાં પરિવારજનોની મંજૂરી વિના આ કાર્ય શક્ય નથી. અને જે પરિવાર આ માટે સ્વેચ્છાએ આગળ આવે તેમના સ્વજનના કોરોના ગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેનું પરિક્ષણ કરવામાં આવશે. અને મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાઈ નહી તે માટે સરકારની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે સહમત થનાર મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાલ માત્ર એઈમ્સ ભોપાલ ખાતે જ મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સી કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટને આ મંજુરી આપવામાં આવી છે. પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચ દરમિયાન કોરોનાના ચેપ સિવાય અન્ય કોઈ ગંભીર બિમારી ન હોય તેવા તથા હોસ્પિટલમાં પાંચ દિવસ કે તેથી વધારે દિવસ સારવાર લીધા બાદ મૃત્યુ થયુ હોય તેનો સમાવેશ કરવામાં આવશે. હાલ આ માટેનો ખાસ પોસ્ટમોર્ટમ રૂમ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. અને આરોગ્ય સચિવ જયંતી રવિ તથા અધિક આરોગ્ય સચિવ રાહુલ ગુપ્તાએ રૂબરૂ મુલાકાત લઈને જરૂરી સુચનો પણ કર્યા છે.