એક તરફ તંત્ર કોરોના રોકવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે, તો બીજી તરફ ગરબા એસોશિયેશન દ્વારા ગરબા પ્રેક્ટીસ માટે મંજુરી મંગાઇ
ગઈકાલે એક જ દિવસમાં 100થી વધુ નવા પોઝીટીવ કેસ તેમજ ગતરાત્રે 28 દર્દીઓનાં મોત પણ નોંધાયા છે
રાજકોટ : શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે. અને કોરોનાં રોકવા હવાતિયાં મારી રહ્યું હોય તેમ એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત કોવિડ હોસ્પિટલની આસપાસનાં વિસ્તારને રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જો કે આ કામ તંત્ર દ્વારા ઘણું વહેલી તકે થવું જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે.
શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને ગઈકાલે એક જ દિવસમાં 100થી વધુ નવા પોઝીટીવ કેસ તેમજ ગતરાત્રે 28 દર્દીઓનાં મોત પણ નોંધાયા છે. કોરોનાને અટકાવવા માટે આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ નિષ્ણાંત ડોક્ટરોની ટિમ સાથે છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં છે. પરંતુ પોઝીટીવ કેસો અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોઈ તંત્ર તદ્દન નિષ્ફળ પુરવાર થતું હોય તેવું લાગી રહ્યું છે.
ત્યારે હવે સિવિલ હોસ્પિટલ આસપાસનાં વિસ્તારને રેડઝોન જાહેર કરાયો છે. જે અંતર્ગત સામાન્ય લોકોની હોસ્પિટલમાં અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. સાથે જ બીમાર વ્યક્તિ સાથે પણ મર્યાદિત લોકોને જવાની છૂટ રાખવામાં આવી છે. જોકે તાજેતરમાં હોસ્પિટલનાં રસોડા સહિતના વિડીયો વાયરલ થયા બાદ મુકાયેલા આ પ્રતિબંધને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે નિર્ણયથી વધતા સંક્રમણને રોકવામાં કેટલી મદદ મળશે તે તો આવનારો સમય જ બતાવશે.
ગરબા એસોસિએશન દ્વારા ફિટનેસ માટે પ્રેક્ટિસની મંજૂરી આપવા મુખ્યમંત્રીને પત્ર
રાજકોટ સહિત ગુજરાતમાં નવરાત્રીનું ખાસ મહત્વ છે. જો કે કોરોના કાળને લઈને ચાલુ વર્ષે આ તહેવારની ઉજવણી થવાની શક્યતાઓ ધૂંધળી દેખાય છે. ત્યારે રાજકોટ ગરબા એસોસિએશન દ્વારા ગરબા પ્રેક્ટિસની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે. ગરબાથી ફિટનેસ જળવાતી હોવાના તેમજ આ વ્યવસાય પાર પાંચ હજારથી વધુ લોકોની રોજીરોટી નિર્ભર હોવાનું જણાવી આ અંગે સીએમ રૂપાણીને રજુઆત પણ કરવામાં આવી છે.
એક તરફ તંત્ર કોરોના રોકવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે, તો બીજી તરફ ગરબા એસોશિયેશન દ્વારા ગરબા પ્રેક્ટીસ માટે મંજુરી મંગાઇ
ગઈકાલે એક જ દિવસમાં 100થી વધુ નવા પોઝીટીવ કેસ તેમજ ગતરાત્રે 28 દર્દીઓનાં મોત પણ નોંધાયા છે
રાજકોટ : શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે. અને કોરોનાં રોકવા હવાતિયાં મારી રહ્યું હોય તેમ એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત કોવિડ હોસ્પિટલની આસપાસનાં વિસ્તારને રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જો કે આ કામ તંત્ર દ્વારા ઘણું વહેલી તકે થવું જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે.
શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને ગઈકાલે એક જ દિવસમાં 100થી વધુ નવા પોઝીટીવ કેસ તેમજ ગતરાત્રે 28 દર્દીઓનાં મોત પણ નોંધાયા છે. કોરોનાને અટકાવવા માટે આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ નિષ્ણાંત ડોક્ટરોની ટિમ સાથે છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં છે. પરંતુ પોઝીટીવ કેસો અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોઈ તંત્ર તદ્દન નિષ્ફળ પુરવાર થતું હોય તેવું લાગી રહ્યું છે.
ત્યારે હવે સિવિલ હોસ્પિટલ આસપાસનાં વિસ્તારને રેડઝોન જાહેર કરાયો છે. જે અંતર્ગત સામાન્ય લોકોની હોસ્પિટલમાં અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. સાથે જ બીમાર વ્યક્તિ સાથે પણ મર્યાદિત લોકોને જવાની છૂટ રાખવામાં આવી છે. જોકે તાજેતરમાં હોસ્પિટલનાં રસોડા સહિતના વિડીયો વાયરલ થયા બાદ મુકાયેલા આ પ્રતિબંધને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે નિર્ણયથી વધતા સંક્રમણને રોકવામાં કેટલી મદદ મળશે તે તો આવનારો સમય જ બતાવશે.
ગરબા એસોસિએશન દ્વારા ફિટનેસ માટે પ્રેક્ટિસની મંજૂરી આપવા મુખ્યમંત્રીને પત્ર
રાજકોટ સહિત ગુજરાતમાં નવરાત્રીનું ખાસ મહત્વ છે. જો કે કોરોના કાળને લઈને ચાલુ વર્ષે આ તહેવારની ઉજવણી થવાની શક્યતાઓ ધૂંધળી દેખાય છે. ત્યારે રાજકોટ ગરબા એસોસિએશન દ્વારા ગરબા પ્રેક્ટિસની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે. ગરબાથી ફિટનેસ જળવાતી હોવાના તેમજ આ વ્યવસાય પાર પાંચ હજારથી વધુ લોકોની રોજીરોટી નિર્ભર હોવાનું જણાવી આ અંગે સીએમ રૂપાણીને રજુઆત પણ કરવામાં આવી છે.