રા.લો. સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પહેલા બંને જૂથ ફરીવાર આમનેસામને આવી ગયા છે.
ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ત્રણ સભ્યો સામે સહકારી સચિવ પાસેથી સ્ટે લેતા રાજકારણ ગરમાયું
રાજકોટ.રા.લો. સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પહેલા ખેંચતાણ જોવા મળી રહી છે. અને બંને જૂથ ફરીવાર આમનેસામને આવી ગયા છે. ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ત્રણ સભ્યો સામે સહકારી સચિવ પાસેથી સ્ટે લેતા રાજકારણ ગરમાયું છે. આગામી 24 સપ્ટેમ્બરે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી જાહેર થયા બાદ જ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ધારાસભ્ય અરવિંદ રૈયાણી તેમજ વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જો કે આ મુજબ 15 સભ્યોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. પરંતુ ત્રણ બેઠકો પર એક-એક વધુ ફોર્મ ભરાયું હતું. ઢાંકેચા જૂથ દ્વારા આ ફોર્મ પરત ખેંચવાનો આગ્રહ રખાયો હતો. પણ રૈયાણી જૂથ દ્વારા ફોર્મ પરત નહીં લેવાતા વિવાદ વકર્યો હતો. અને ત્રણ બેઠક પર ચૂંટણી કરવાની ફરજ પડી હતી.
જો કે ત્રણેય બેઠક પર ઢાંકેચા જૂથનો વિજય થતા તે સંઘમાં વધુ મજબૂત બનતા રૈયાણીએ સરકાર દ્વારા નિયુક્ત ત્રણ સભ્યો સામે સ્ટે લીધો છે. હાલ બંને જુથ પાસે 8-8 સભ્યો હોવાનું મનાઇ રહ્યું છે,ત્યારે સરકારે નિયુક્ત કરેલા સભ્યો ઢાંકેચા જુથ તરફ વળે તો ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ઢાંકેચા જુથનો દબદબો વધી જવાની શક્યતાને જોતા રૈયાણી જુથ દ્વારા આ સ્ટે લેવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
રા.લો. સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પહેલા બંને જૂથ ફરીવાર આમનેસામને આવી ગયા છે.
ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ત્રણ સભ્યો સામે સહકારી સચિવ પાસેથી સ્ટે લેતા રાજકારણ ગરમાયું
રાજકોટ.રા.લો. સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પહેલા ખેંચતાણ જોવા મળી રહી છે. અને બંને જૂથ ફરીવાર આમનેસામને આવી ગયા છે. ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ત્રણ સભ્યો સામે સહકારી સચિવ પાસેથી સ્ટે લેતા રાજકારણ ગરમાયું છે. આગામી 24 સપ્ટેમ્બરે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી જાહેર થયા બાદ જ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ધારાસભ્ય અરવિંદ રૈયાણી તેમજ વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જો કે આ મુજબ 15 સભ્યોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. પરંતુ ત્રણ બેઠકો પર એક-એક વધુ ફોર્મ ભરાયું હતું. ઢાંકેચા જૂથ દ્વારા આ ફોર્મ પરત ખેંચવાનો આગ્રહ રખાયો હતો. પણ રૈયાણી જૂથ દ્વારા ફોર્મ પરત નહીં લેવાતા વિવાદ વકર્યો હતો. અને ત્રણ બેઠક પર ચૂંટણી કરવાની ફરજ પડી હતી.
જો કે ત્રણેય બેઠક પર ઢાંકેચા જૂથનો વિજય થતા તે સંઘમાં વધુ મજબૂત બનતા રૈયાણીએ સરકાર દ્વારા નિયુક્ત ત્રણ સભ્યો સામે સ્ટે લીધો છે. હાલ બંને જુથ પાસે 8-8 સભ્યો હોવાનું મનાઇ રહ્યું છે,ત્યારે સરકારે નિયુક્ત કરેલા સભ્યો ઢાંકેચા જુથ તરફ વળે તો ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ઢાંકેચા જુથનો દબદબો વધી જવાની શક્યતાને જોતા રૈયાણી જુથ દ્વારા આ સ્ટે લેવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.