1982 થી આજદીન સુધીમાં કુલ 3,950 જેટલા કેમ્પ દ્વારા 2,20,293 જેટલા યુવાઓએ પ્રાકૃતિક શિક્ષણનો લાભ લીધો
હિંગોળગઢ વન્યજીવ અભ્યારણમાં આજ સુધીમાં કુલ 66 કુળની 155 જેટલી વનસ્પતિની પ્રજાતીઓ નોંધાયેલી છે. જંગલની વૃક્ષ ઘનતા 7.1 વૃક્ષ/હેક્ટર છે.
ભારતીય સંસ્કૃતિના પૌરાણીક ગ્રંથો વેદો, પુરાણ અને ઉપનિષદમાં માનવ સમાજ, વન્ય અને પાલતુ વન્યજીવો, વૃક્ષો, પક્ષીઓ વચ્ચેના સબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૈરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ પ્રકૃતિના સાનિંધ્યમાં જ હતો. બદલાતા સમય અને વિશ્વના અન્ય દેશોમાં વધતા જતા શહેરીકરણની અસરને કારણે પ્રકૃતિના કાર્યોમાં વિક્ષેપ થવા લાગ્યો હતો. આ વાતને ધ્યાને રાખીને વન્યજીવ સૃષ્ટીના સંરક્ષણ અને સંવર્ધન કરવા સરકારશ્રી દ્વારા આજથી ૪૦ વર્ષ પહેલા તા. 29-08-1980 ના રોજ રાજકોટ જિલ્લાના હીંગોળગઢને વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ 1972 કલમ 33/B હેઠળ અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અભ્યારણ જાહેર કર્યા અગાઉ આ વિસ્તાર “મોતીસરી વીડી” તરીકે ઓળખાતો હતો. તેના વહીવટી સંચાલનનો હક્ક રાજાશાહી વખતમાં જસદણના રાજ્ય પાસે હતો.1973માં સરકારે ખાનગી જંગલોને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો અને ત્યાર પછી આ વિસ્તાર વન વિભાગને સોંપવામાં આવ્યો. વર્ષ ૧૯૭૩માં આ વિસ્તારને સરકારે અનામત વન તરીકે જાહેર કર્યો અને ત્યારબાદ વર્ષ 1980 માં તેને અભ્યારણનો દરજ્જો આપવામાં આવ્યો. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય એક એવું અભ્યારણ છે જે ખાસ પ્રાકૃતિક શિક્ષણ આપવા માટે સ્થાપવામાં આવ્યું છે. વર્ષ 1977 ના સપ્ટેમ્બર માસ દરમિયાન વિશ્વ વિખ્યાત પક્ષીવિદ્ સલીમઅલીએ પણ આ હિંગોળગઢ અભ્યારણની મુલાકાત લીધી છે.
ગીર ફાઉન્ડેશન અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે સંચાલીત હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ રાજકોટ શહેર થી 78 કિ.મી. જેટલુ દુર આવેલુ છે. જૈવ વિવિધતા અને વન્ય સંપદાઓથી ભરપુર હિંગોળગઢ - પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ 654 હેક્ટર જમીનમાં ફેલાયેલુ છે. વર્ષ 1982 થી દર વર્ષે શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજદીન સુધીમાં કુલ 3,950 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો લાભ 2,20,293 જેટલા વિવિધ સ્કુલના કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાઓએ લીધો છે. પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ભાગ લેનારને વનભ્રમણ, વિવિધ વનસ્પતિની ઓળખ, પક્ષી દર્શન અને તેનો વિસ્તૃત અભ્યાસ, રાત્રીના આકાશ દર્શન, કેમ્પફાયર, સાંસ્કૃતિક કાર્યક્રમ કરાવવામાં આવે છે.
હિંગોળગઢ વન્યજીવ અભ્યારણમાં આજ સુધીમાં કુલ 66 કુળની 155 જેટલી વનસ્પતિની પ્રજાતીઓ નોંધાયેલી છે. જંગલની વૃક્ષ ઘનતા 7.1 વૃક્ષ/હેક્ટર છે. જેમાં મુખ્યત્વે ગોરડ, હરમો, ઈંગોરીયો, દેશી બાવળ, મદીઠ, કાંચનાર, લીમળો, ખીજળો, મીંઢળ, રોહિડો, સંડેસરો, ગરમાળાો, અસિત્રો, રગતરોપડો, વડલો, અરબી સાગર, કદમ, બુલબુલ, બહેડા, રાયણ, ગુલમહોર, રણમાં ઉગતી એક પ્રકારની જાર – પીલુ, અર્જુનસાગર, અંજીર વગેરે પ્રકારના વૃક્ષો જોવા મળે છે. ઓછી ઉંચાઈ ધરાવતા શાખીત ક્ષુપો શાકાહારી પશુ-પક્ષીઓને ખોરાક પુરો પાડે છે. જેમાં વિકળો, સિસોટી, થોર, ખપાટ, થૂમરી, આવળ, ચનિબોર, ગૂગળ, જેઠીમધ, વજ્રદંતી, મકરોડી, મામેજવો (ડાયાબીટીસના નિયંત્રણમાં લાભદાયક), કળાયો (એક જાતનો ગુંદર છે જેનો ફાર્માસ્યુટીકલ અને ટેક્સટાઈલમાં ઉપયોગ થાય છે), ઈન્દ્રજવ(ડાયાબીટીસ અને પેટની તકલીફમાં ઉપયોગી), અરડુસી, નગોળ (પેટના દર્દમાં અને ફેક્ચરમાં તેના પાંદળા વીંટાળવાથી રાહત થાય) જેવા ઔષધિય ક્ષુપો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ચણોઠી, સાટોડી,બટકણી, ખજવણી, શત્તાવળી, કારોડી, પડવેલ, નોડવેલ, દૂધિયો, પેશી, અમરવેલ, વેવડી વગેરેના વેલા જોવા મળે છે.અહીંયા ૩૧ પ્રકારના ઘાસ જોવા મળે છે. જેમાં લાપડુ, રાતળ, ફોફલુ, શનિયર, ફાટેલુ, અજાન, કણેરૂ, ધ્રપડો, ખારિયું, બરૂ, ચકલુ, સરવાડી, જીંજવો, રોસા નો સમાવેશ થાય છે. અહીંયા ચોમાસાની ઋતુ અને શિયાળાની ઠંડી હવા, વિવિધ જાતની વનસ્પતિ અને આંખોને ગમે તેવી નયનરમ્ય હરીયાળી પક્ષીઓના વસવાટની આગવી પસંદગી રહી છે જેને કારણે અહીં ૨૨૯ પ્રકારના પક્ષીઓની વિશાળતા જોવા મળે છે. નવરંગ, દુધરાજ, અધરંગ, ચાતક, દૈયળ, પરદેશી કોયલ, પચનક લટોરો, કાઠીયાવાડી લટોરો, શોબીગી, નાનો રાજાલાલ, કાબરો રાજાલાલ સહિતના અનેક પક્ષીઓ જોવા મળે છે. ચોમાસાની ઋુતુમાં પ્રજનન માટે આવતુ નવરંગ પક્ષી (Indian Pitta) તેના અવાજથી સૌ કોઈને મોહિત કરી દે છે.
દુધરાજ (Indian paradise flycatcher) મધ્ય એશિયાના દક્ષીણ-પૂર્વીય ચીન, નેપાળ, દક્ષીણ ભારત, શ્રીલંકા, મ્યાનમારમાં જોવા મળતું મહત્વનું પક્ષી છે. તેની પાંખો 86-92 મીમી લાંબી તેની પુંછળી 24 થી 30 સે.મી. સુધી પૂંછડી લંબાઈ હોય છે. દુધરાજને જોવો તે પણ અલૌકિક લ્હાવો છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થતા સુગરીએ આ વિસ્તારને પોતાનું હેબિટાટ(રહેઠાણ) બનાવતા તેના માળાઓ આ વિસ્તારમાં મોટા પાયે જોવા મળે છે. અહીંયા કુલ 62 પ્રકારના પ્રાણીઓની પ્રજાતી જોવા મળે છે જે પૈકી 21 પ્રકારના સસ્તનધારી પ્રાણીઓની પ્રજાતિ, 8 પ્રકારના ઉભયજીવી પ્રાણીઓની પ્રજાતિ, 33 જાતના સરીસૃપ પ્રણીાઓની પ્રજાતી જોવા મળે છે. જેમાં મૃગ કુળનું ચિંકારા અને નિલગાય મુખ્ય પ્રાણીઓ છે. વર્ષ 2019-20ની ગણતરી મુજબ ચિંકારાની વસ્તી 150 જેટલી નોંધાઈ છે. વર્ષના 8 મહિના લીલોતરીના કારણે શાહુડી, સસલા, નોળિયા વણીયર, જેવા તૃણાહારીઓનો વસવાટ જોવા મળે છે. આ ઉપરાંત શિયાળ, જરખ, ક્યારેક વરૂ અને દિપડા જેવા રાની પશુઓ ક્યારેક જોવા મળી જાય છે.
છેલ્લા 3 વર્ષથી આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવતા શ્રી આરીફ ઠેબા જણાવે છે કે, આ વિસ્તારમાં જમીન ખડકાળ હોવાના કારણે વરસાદનું પાણી નદી-નાળામાં વહી જતુ હતું. જેને અટકાવવાના નવતર અભિગમ રૂપે માટી પાળા, પથ્થર પાળા, વન તળાવ અને ચેકડેમની કામગીરી કરવામાં આવી છે. સમગ્ર અભ્યારણની અંદર વરસાદના પાણીને અટકાવીને 150 જેટલા પાણીના નવા જળસ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી 350 જેટલા માટી પાળા, પથ્થર પાળા, વન તળાવ સમગ્ર અભ્યારણમાં બનાવવામાં આવ્યા છે. જેની ઉંડાઈ 1 મિટર જેટલી હોય છે. ઉંચાઇવાળા વિસ્તારમાં વરસાદના કારણે પાણી વહીને પાળામાં એકઠું થાય છે. આ એકઠું થયેલુ પાણી નિતરતુ-નિતરતુ છેક નીચેના પાળામાં આવે છે. જેનાથી જમીનનું ધોવાણ અટકે અને પાણીનો સંગ્રહ થાય છે. તેમજ ચાલુ વર્ષે 85 જેટલા માટી પાળા બનાવવામાં આવ્યા છે. આ જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારની જમીનના તળ ઉંચા આવી રહ્યા છે.
1982 થી આજદીન સુધીમાં કુલ 3,950 જેટલા કેમ્પ દ્વારા 2,20,293 જેટલા યુવાઓએ પ્રાકૃતિક શિક્ષણનો લાભ લીધો
હિંગોળગઢ વન્યજીવ અભ્યારણમાં આજ સુધીમાં કુલ 66 કુળની 155 જેટલી વનસ્પતિની પ્રજાતીઓ નોંધાયેલી છે. જંગલની વૃક્ષ ઘનતા 7.1 વૃક્ષ/હેક્ટર છે.
ભારતીય સંસ્કૃતિના પૌરાણીક ગ્રંથો વેદો, પુરાણ અને ઉપનિષદમાં માનવ સમાજ, વન્ય અને પાલતુ વન્યજીવો, વૃક્ષો, પક્ષીઓ વચ્ચેના સબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૈરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ પ્રકૃતિના સાનિંધ્યમાં જ હતો. બદલાતા સમય અને વિશ્વના અન્ય દેશોમાં વધતા જતા શહેરીકરણની અસરને કારણે પ્રકૃતિના કાર્યોમાં વિક્ષેપ થવા લાગ્યો હતો. આ વાતને ધ્યાને રાખીને વન્યજીવ સૃષ્ટીના સંરક્ષણ અને સંવર્ધન કરવા સરકારશ્રી દ્વારા આજથી ૪૦ વર્ષ પહેલા તા. 29-08-1980 ના રોજ રાજકોટ જિલ્લાના હીંગોળગઢને વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ 1972 કલમ 33/B હેઠળ અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અભ્યારણ જાહેર કર્યા અગાઉ આ વિસ્તાર “મોતીસરી વીડી” તરીકે ઓળખાતો હતો. તેના વહીવટી સંચાલનનો હક્ક રાજાશાહી વખતમાં જસદણના રાજ્ય પાસે હતો.1973માં સરકારે ખાનગી જંગલોને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો અને ત્યાર પછી આ વિસ્તાર વન વિભાગને સોંપવામાં આવ્યો. વર્ષ ૧૯૭૩માં આ વિસ્તારને સરકારે અનામત વન તરીકે જાહેર કર્યો અને ત્યારબાદ વર્ષ 1980 માં તેને અભ્યારણનો દરજ્જો આપવામાં આવ્યો. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય એક એવું અભ્યારણ છે જે ખાસ પ્રાકૃતિક શિક્ષણ આપવા માટે સ્થાપવામાં આવ્યું છે. વર્ષ 1977 ના સપ્ટેમ્બર માસ દરમિયાન વિશ્વ વિખ્યાત પક્ષીવિદ્ સલીમઅલીએ પણ આ હિંગોળગઢ અભ્યારણની મુલાકાત લીધી છે.
ગીર ફાઉન્ડેશન અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે સંચાલીત હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ રાજકોટ શહેર થી 78 કિ.મી. જેટલુ દુર આવેલુ છે. જૈવ વિવિધતા અને વન્ય સંપદાઓથી ભરપુર હિંગોળગઢ - પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ 654 હેક્ટર જમીનમાં ફેલાયેલુ છે. વર્ષ 1982 થી દર વર્ષે શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજદીન સુધીમાં કુલ 3,950 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો લાભ 2,20,293 જેટલા વિવિધ સ્કુલના કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાઓએ લીધો છે. પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ભાગ લેનારને વનભ્રમણ, વિવિધ વનસ્પતિની ઓળખ, પક્ષી દર્શન અને તેનો વિસ્તૃત અભ્યાસ, રાત્રીના આકાશ દર્શન, કેમ્પફાયર, સાંસ્કૃતિક કાર્યક્રમ કરાવવામાં આવે છે.
હિંગોળગઢ વન્યજીવ અભ્યારણમાં આજ સુધીમાં કુલ 66 કુળની 155 જેટલી વનસ્પતિની પ્રજાતીઓ નોંધાયેલી છે. જંગલની વૃક્ષ ઘનતા 7.1 વૃક્ષ/હેક્ટર છે. જેમાં મુખ્યત્વે ગોરડ, હરમો, ઈંગોરીયો, દેશી બાવળ, મદીઠ, કાંચનાર, લીમળો, ખીજળો, મીંઢળ, રોહિડો, સંડેસરો, ગરમાળાો, અસિત્રો, રગતરોપડો, વડલો, અરબી સાગર, કદમ, બુલબુલ, બહેડા, રાયણ, ગુલમહોર, રણમાં ઉગતી એક પ્રકારની જાર – પીલુ, અર્જુનસાગર, અંજીર વગેરે પ્રકારના વૃક્ષો જોવા મળે છે. ઓછી ઉંચાઈ ધરાવતા શાખીત ક્ષુપો શાકાહારી પશુ-પક્ષીઓને ખોરાક પુરો પાડે છે. જેમાં વિકળો, સિસોટી, થોર, ખપાટ, થૂમરી, આવળ, ચનિબોર, ગૂગળ, જેઠીમધ, વજ્રદંતી, મકરોડી, મામેજવો (ડાયાબીટીસના નિયંત્રણમાં લાભદાયક), કળાયો (એક જાતનો ગુંદર છે જેનો ફાર્માસ્યુટીકલ અને ટેક્સટાઈલમાં ઉપયોગ થાય છે), ઈન્દ્રજવ(ડાયાબીટીસ અને પેટની તકલીફમાં ઉપયોગી), અરડુસી, નગોળ (પેટના દર્દમાં અને ફેક્ચરમાં તેના પાંદળા વીંટાળવાથી રાહત થાય) જેવા ઔષધિય ક્ષુપો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ચણોઠી, સાટોડી,બટકણી, ખજવણી, શત્તાવળી, કારોડી, પડવેલ, નોડવેલ, દૂધિયો, પેશી, અમરવેલ, વેવડી વગેરેના વેલા જોવા મળે છે.અહીંયા ૩૧ પ્રકારના ઘાસ જોવા મળે છે. જેમાં લાપડુ, રાતળ, ફોફલુ, શનિયર, ફાટેલુ, અજાન, કણેરૂ, ધ્રપડો, ખારિયું, બરૂ, ચકલુ, સરવાડી, જીંજવો, રોસા નો સમાવેશ થાય છે. અહીંયા ચોમાસાની ઋતુ અને શિયાળાની ઠંડી હવા, વિવિધ જાતની વનસ્પતિ અને આંખોને ગમે તેવી નયનરમ્ય હરીયાળી પક્ષીઓના વસવાટની આગવી પસંદગી રહી છે જેને કારણે અહીં ૨૨૯ પ્રકારના પક્ષીઓની વિશાળતા જોવા મળે છે. નવરંગ, દુધરાજ, અધરંગ, ચાતક, દૈયળ, પરદેશી કોયલ, પચનક લટોરો, કાઠીયાવાડી લટોરો, શોબીગી, નાનો રાજાલાલ, કાબરો રાજાલાલ સહિતના અનેક પક્ષીઓ જોવા મળે છે. ચોમાસાની ઋુતુમાં પ્રજનન માટે આવતુ નવરંગ પક્ષી (Indian Pitta) તેના અવાજથી સૌ કોઈને મોહિત કરી દે છે.
દુધરાજ (Indian paradise flycatcher) મધ્ય એશિયાના દક્ષીણ-પૂર્વીય ચીન, નેપાળ, દક્ષીણ ભારત, શ્રીલંકા, મ્યાનમારમાં જોવા મળતું મહત્વનું પક્ષી છે. તેની પાંખો 86-92 મીમી લાંબી તેની પુંછળી 24 થી 30 સે.મી. સુધી પૂંછડી લંબાઈ હોય છે. દુધરાજને જોવો તે પણ અલૌકિક લ્હાવો છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થતા સુગરીએ આ વિસ્તારને પોતાનું હેબિટાટ(રહેઠાણ) બનાવતા તેના માળાઓ આ વિસ્તારમાં મોટા પાયે જોવા મળે છે. અહીંયા કુલ 62 પ્રકારના પ્રાણીઓની પ્રજાતી જોવા મળે છે જે પૈકી 21 પ્રકારના સસ્તનધારી પ્રાણીઓની પ્રજાતિ, 8 પ્રકારના ઉભયજીવી પ્રાણીઓની પ્રજાતિ, 33 જાતના સરીસૃપ પ્રણીાઓની પ્રજાતી જોવા મળે છે. જેમાં મૃગ કુળનું ચિંકારા અને નિલગાય મુખ્ય પ્રાણીઓ છે. વર્ષ 2019-20ની ગણતરી મુજબ ચિંકારાની વસ્તી 150 જેટલી નોંધાઈ છે. વર્ષના 8 મહિના લીલોતરીના કારણે શાહુડી, સસલા, નોળિયા વણીયર, જેવા તૃણાહારીઓનો વસવાટ જોવા મળે છે. આ ઉપરાંત શિયાળ, જરખ, ક્યારેક વરૂ અને દિપડા જેવા રાની પશુઓ ક્યારેક જોવા મળી જાય છે.
છેલ્લા 3 વર્ષથી આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવતા શ્રી આરીફ ઠેબા જણાવે છે કે, આ વિસ્તારમાં જમીન ખડકાળ હોવાના કારણે વરસાદનું પાણી નદી-નાળામાં વહી જતુ હતું. જેને અટકાવવાના નવતર અભિગમ રૂપે માટી પાળા, પથ્થર પાળા, વન તળાવ અને ચેકડેમની કામગીરી કરવામાં આવી છે. સમગ્ર અભ્યારણની અંદર વરસાદના પાણીને અટકાવીને 150 જેટલા પાણીના નવા જળસ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી 350 જેટલા માટી પાળા, પથ્થર પાળા, વન તળાવ સમગ્ર અભ્યારણમાં બનાવવામાં આવ્યા છે. જેની ઉંડાઈ 1 મિટર જેટલી હોય છે. ઉંચાઇવાળા વિસ્તારમાં વરસાદના કારણે પાણી વહીને પાળામાં એકઠું થાય છે. આ એકઠું થયેલુ પાણી નિતરતુ-નિતરતુ છેક નીચેના પાળામાં આવે છે. જેનાથી જમીનનું ધોવાણ અટકે અને પાણીનો સંગ્રહ થાય છે. તેમજ ચાલુ વર્ષે 85 જેટલા માટી પાળા બનાવવામાં આવ્યા છે. આ જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારની જમીનના તળ ઉંચા આવી રહ્યા છે.