છેલ્લા 6 મહિનાથી શાળાઓ બંધ છે, તેવા સમયે નિમેષ પટેલ નામનાં આ શિક્ષકનો પગાર કપાતા તેમણે અમુલ પાર્લર શરૂ કરી દીધું છે
અગાઉ પણ શહેરનાં પ્રિન્સિપાલ દ્વારા શાકભાજીની લારી શરૂ કર્યાની ઘટના સામે આવી હતી
આવનારા સમયમાં જો નોકરી જેટલી આવક મળવા લાગે તો હવે શિક્ષકનું કામ નહીં કરવાનું - નિમેષ પટેલ, શિક્ષક
રાજકોટ-કોરોનાનાં કહેરને લઈને લોકડાઉન કરાયું હતું. જે ધીમે-ધીમે અનલોક થઈ રહ્યું છે. પરંતુ છેલ્લા 6 મહિનાથી શાળાઓ બંધ છે. અને હજુપણ ક્યારે ખુલશે તે કહી શકાય એમ નથી. ત્યારે ખાનગી શાળાનાં શિક્ષકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. પરંતુ શહેરનાં એક શિક્ષકે આ આફતને અવસરમાં પલટાવી લીધી છે. નિમેષ પટેલ નામનાં આ શિક્ષકનો પગાર કપાતા તેમણે અમુલ પાર્લર શરૂ કરી દીધું છે. અને હાલ સારી કમાણી પણ કરી રહ્યા છે.
https://youtu.be/lvxJctCO0wk
રાજકોટના શિક્ષક નિમેષ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 6 વર્ષથી ખાનગી શાળામાં શિક્ષકની ફરજ બજાવતા હતા. પરંતુ લોકડાઉનને લઇ સ્કૂલનાં સંચાલકોએ પણ પગારમાં 50% કાપ મૂકી દીધો હતો. જેને પગલે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તેમણે લાઈન બદલવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ લોકડાઉનમાં પણ કરી શકાય તેવી વસ્તુનો વ્યાપાર કત્વનું નક્કી કર્યું હતું.
દરમિયાન દૂધનાં વેપારનો ખ્યાલ આવતા અમુલ સાથે સંપર્ક કરીને તેમણે પોતાના ઘર નજીક મોટામૌવા પાસે અમુલની એજન્સી શરૂ કરી છે. જેમાં હાલ નોકરીનાં 50% જેવી કમાણી તો શરૂઆતમાં જ થવા લાગી છે. અને ધીમે-ધીમે ગ્રાહકો વધી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં જો નોકરી જેટલી આવક મળવા લાગે તો હવે શિક્ષકનું કામ નહીં કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરનાં પ્રિન્સિપાલ દ્વારા શાકભાજીની લારી શરૂ કર્યાની ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક આવી જ ઘટના સામે આવતા ખાનગી શાળાનાં શિક્ષકોનાં ભવિષ્યને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અને રાજ્ય કે કેન્દ્ર સરકારે આ મામલે તાકીદે જરૂરી પગલાં લેવા જોઈએ તેવી માંગ સમજુ લોકો કરી રહ્યા છે.
છેલ્લા 6 મહિનાથી શાળાઓ બંધ છે, તેવા સમયે નિમેષ પટેલ નામનાં આ શિક્ષકનો પગાર કપાતા તેમણે અમુલ પાર્લર શરૂ કરી દીધું છે
અગાઉ પણ શહેરનાં પ્રિન્સિપાલ દ્વારા શાકભાજીની લારી શરૂ કર્યાની ઘટના સામે આવી હતી
આવનારા સમયમાં જો નોકરી જેટલી આવક મળવા લાગે તો હવે શિક્ષકનું કામ નહીં કરવાનું - નિમેષ પટેલ, શિક્ષક
રાજકોટ-કોરોનાનાં કહેરને લઈને લોકડાઉન કરાયું હતું. જે ધીમે-ધીમે અનલોક થઈ રહ્યું છે. પરંતુ છેલ્લા 6 મહિનાથી શાળાઓ બંધ છે. અને હજુપણ ક્યારે ખુલશે તે કહી શકાય એમ નથી. ત્યારે ખાનગી શાળાનાં શિક્ષકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. પરંતુ શહેરનાં એક શિક્ષકે આ આફતને અવસરમાં પલટાવી લીધી છે. નિમેષ પટેલ નામનાં આ શિક્ષકનો પગાર કપાતા તેમણે અમુલ પાર્લર શરૂ કરી દીધું છે. અને હાલ સારી કમાણી પણ કરી રહ્યા છે.
રાજકોટના શિક્ષક નિમેષ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 6 વર્ષથી ખાનગી શાળામાં શિક્ષકની ફરજ બજાવતા હતા. પરંતુ લોકડાઉનને લઇ સ્કૂલનાં સંચાલકોએ પણ પગારમાં 50% કાપ મૂકી દીધો હતો. જેને પગલે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તેમણે લાઈન બદલવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ લોકડાઉનમાં પણ કરી શકાય તેવી વસ્તુનો વ્યાપાર કત્વનું નક્કી કર્યું હતું.
દરમિયાન દૂધનાં વેપારનો ખ્યાલ આવતા અમુલ સાથે સંપર્ક કરીને તેમણે પોતાના ઘર નજીક મોટામૌવા પાસે અમુલની એજન્સી શરૂ કરી છે. જેમાં હાલ નોકરીનાં 50% જેવી કમાણી તો શરૂઆતમાં જ થવા લાગી છે. અને ધીમે-ધીમે ગ્રાહકો વધી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં જો નોકરી જેટલી આવક મળવા લાગે તો હવે શિક્ષકનું કામ નહીં કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરનાં પ્રિન્સિપાલ દ્વારા શાકભાજીની લારી શરૂ કર્યાની ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક આવી જ ઘટના સામે આવતા ખાનગી શાળાનાં શિક્ષકોનાં ભવિષ્યને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અને રાજ્ય કે કેન્દ્ર સરકારે આ મામલે તાકીદે જરૂરી પગલાં લેવા જોઈએ તેવી માંગ સમજુ લોકો કરી રહ્યા છે.