અમીન માર્ગ પર આવેલ INFD નામના ફેશન ડિઝાઈનિંગ કલાસીસનાં સંચાલકો દ્વારા નિયમોનો ઉલાળીયો કરીને કલાસીસ શરૂ કરી દેવાયા
કલાસીસનાં સંચાલક નૌશિકભાઈ ગોંડલીયા અને તેમના પત્ની પાયલબેન ગોંડલીયાની અટકાયત કરી છે. તેમજ અનલોક-4ની માર્ગદર્શિકા ભંગ અને જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઇ
રાજકોટ : કોરાનાની મહામારી વચ્ચે શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની સરકારની સ્પષ્ટ ગાઇડલાઇન છે. છતાં
શહેરનાં અમીન માર્ગ પર આવેલ INFD નામના ફેશન ડિઝાઈનિંગ કલાસીસનાં સંચાલકો દ્વારા નિયમોનો ઉલાળીયો કરીને કલાસીસ શરૂ કરી દેવાયા હતા. આ અંગેની જાણ થતાં NSUI દ્વારા રેડ કરવામાં આવી હતી. અને સાથે જ સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. જેને પગલે માલવીયા નગર પોલીસ દોડી ગઈ હતી. અને કલાસીસનાં સંચાલકોની અટકાયત કરતા તેઓને નિયમોનો ભંગ કરવો ભારે પડી ગયો છે.
આ અંગે NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આગામી તારીખ 21 સપ્ટેમ્બર સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો સરકારનો આદેશ છે. છતાં આ કલાસીસ છેલ્લા ત્રણેક દિવસથી રાબેતા મુજબ શરૂ થઈ ગયા હોવાની માહિતી અમારી ટીમને મળી હતી. જેને પગલે આજે મીડિયાને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. દરમિયાન સંચાલકોએ પોતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા હોવાનો લુલો બચાવ કર્યો હતો. જેને પગલે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં માલવીયા નગર પોલીસ દોડી આવી હતી. અને કલાસીસનાં સંચાલક નૌશિકભાઈ ગોંડલીયા અને તેમના પત્ની પાયલબેન ગોંડલીયાની અટકાયત કરી છે. તેમજ અનલોક-4ની માર્ગદર્શિકા ભંગ અને જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. NSUI દ્વારા આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓનાં જીવ જોખમમાં મુકતા સંચાલકો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
અમીન માર્ગ પર આવેલ INFD નામના ફેશન ડિઝાઈનિંગ કલાસીસનાં સંચાલકો દ્વારા નિયમોનો ઉલાળીયો કરીને કલાસીસ શરૂ કરી દેવાયા
કલાસીસનાં સંચાલક નૌશિકભાઈ ગોંડલીયા અને તેમના પત્ની પાયલબેન ગોંડલીયાની અટકાયત કરી છે. તેમજ અનલોક-4ની માર્ગદર્શિકા ભંગ અને જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઇ
રાજકોટ : કોરાનાની મહામારી વચ્ચે શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની સરકારની સ્પષ્ટ ગાઇડલાઇન છે. છતાં
શહેરનાં અમીન માર્ગ પર આવેલ INFD નામના ફેશન ડિઝાઈનિંગ કલાસીસનાં સંચાલકો દ્વારા નિયમોનો ઉલાળીયો કરીને કલાસીસ શરૂ કરી દેવાયા હતા. આ અંગેની જાણ થતાં NSUI દ્વારા રેડ કરવામાં આવી હતી. અને સાથે જ સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. જેને પગલે માલવીયા નગર પોલીસ દોડી ગઈ હતી. અને કલાસીસનાં સંચાલકોની અટકાયત કરતા તેઓને નિયમોનો ભંગ કરવો ભારે પડી ગયો છે.
આ અંગે NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આગામી તારીખ 21 સપ્ટેમ્બર સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો સરકારનો આદેશ છે. છતાં આ કલાસીસ છેલ્લા ત્રણેક દિવસથી રાબેતા મુજબ શરૂ થઈ ગયા હોવાની માહિતી અમારી ટીમને મળી હતી. જેને પગલે આજે મીડિયાને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. દરમિયાન સંચાલકોએ પોતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા હોવાનો લુલો બચાવ કર્યો હતો. જેને પગલે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં માલવીયા નગર પોલીસ દોડી આવી હતી. અને કલાસીસનાં સંચાલક નૌશિકભાઈ ગોંડલીયા અને તેમના પત્ની પાયલબેન ગોંડલીયાની અટકાયત કરી છે. તેમજ અનલોક-4ની માર્ગદર્શિકા ભંગ અને જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. NSUI દ્વારા આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓનાં જીવ જોખમમાં મુકતા સંચાલકો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.