શહેરમાં કોરોનાનો કહેર વધતા આરોગ્ય સચિવ સોમવારથી શહેરની મુલાકાતે આવ્યા છે
નાઈટ ડ્યુટી સહિતની અનેક વધારાની જવાબદારીઓ સોંપી રીતસર શોષણ કરવામાં આવતા આખરે વિરોધ
રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ગ-4નાં 500થી વધુ કોન્ટ્રાકટ બેઝ સફાઈ કર્મચારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને પગાર વધારા સાથે આઉટ સોર્સિંગ નાબૂદ કરવાની માંગ કરી હતી. તેમજ સરકાર દ્વારા જો પગાર વધારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જો કે વિરોધ પ્રદર્શન કરનાર કર્મચારીઓની પોલીસે અટકાયત કરી છે.
સફાઈકર્મીઓનાં જણાવ્યા મુજબ એજન્સીઓ દ્વારા માત્ર 7800 રૂપિયા માસિક જેવા નજીવા પગારમાં કામ કરાવવામાં આવે છે. તેમાં પણ નાઈટ ડ્યુટી સહિતની અનેક વધારાની જવાબદારીઓ સોંપી રીતસર શોષણ કરવામાં આવી રહ્યું છે. એટલું ઓછું હોય તેમ ડોક્ટર્સ અને નર્સો પણ એક્સ્ટ્રા કામ કરાવે છે. તેમજ વિરોધ કરવા પર નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે. ત્યારે કોરોનાની મહામારીમાં જીવના જોખમે કામ કરતા હોય સરકારે ત્વરિત અમારી માંગણીઓ પુરી કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાતે છે. અને ગઈકાલે 80થી વધુ નવા પોઝીટીવ કેસ સાથે આજે રાજકોટમાં સૌથી વધુ 32 કોરોના દર્દીઓનાં મોત પણ નિપજ્યા છે. ત્યારે સફાઈ કર્મચારીઓની આ હડતાળને લઈને દર્દીઓને પણ સહન કરવાનો વારો આવે તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી છે. હાલ તો પોલીસે વિરોધ કરી રહેલા સફાઈ કર્મીઓની અટકાયત કરી છે. અને હોસ્પિટલનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શહેરમાં કોરોનાનો કહેર વધતા આરોગ્ય સચિવ સોમવારથી શહેરની મુલાકાતે આવ્યા છે
નાઈટ ડ્યુટી સહિતની અનેક વધારાની જવાબદારીઓ સોંપી રીતસર શોષણ કરવામાં આવતા આખરે વિરોધ
રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ગ-4નાં 500થી વધુ કોન્ટ્રાકટ બેઝ સફાઈ કર્મચારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને પગાર વધારા સાથે આઉટ સોર્સિંગ નાબૂદ કરવાની માંગ કરી હતી. તેમજ સરકાર દ્વારા જો પગાર વધારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જો કે વિરોધ પ્રદર્શન કરનાર કર્મચારીઓની પોલીસે અટકાયત કરી છે.
સફાઈકર્મીઓનાં જણાવ્યા મુજબ એજન્સીઓ દ્વારા માત્ર 7800 રૂપિયા માસિક જેવા નજીવા પગારમાં કામ કરાવવામાં આવે છે. તેમાં પણ નાઈટ ડ્યુટી સહિતની અનેક વધારાની જવાબદારીઓ સોંપી રીતસર શોષણ કરવામાં આવી રહ્યું છે. એટલું ઓછું હોય તેમ ડોક્ટર્સ અને નર્સો પણ એક્સ્ટ્રા કામ કરાવે છે. તેમજ વિરોધ કરવા પર નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે. ત્યારે કોરોનાની મહામારીમાં જીવના જોખમે કામ કરતા હોય સરકારે ત્વરિત અમારી માંગણીઓ પુરી કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાતે છે. અને ગઈકાલે 80થી વધુ નવા પોઝીટીવ કેસ સાથે આજે રાજકોટમાં સૌથી વધુ 32 કોરોના દર્દીઓનાં મોત પણ નિપજ્યા છે. ત્યારે સફાઈ કર્મચારીઓની આ હડતાળને લઈને દર્દીઓને પણ સહન કરવાનો વારો આવે તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી છે. હાલ તો પોલીસે વિરોધ કરી રહેલા સફાઈ કર્મીઓની અટકાયત કરી છે. અને હોસ્પિટલનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.