સુરતના મ્યુનિસિપલ કમિશ્નર કોરોના સંબંધિત તૈયારીઓની જાતે વિઝીડ કરી સમીક્ષા કરી રહ્યા છે.
ટેક્સટાઇલ માર્કેટમાં વિઝીટ કરી જરૂરી સુચન આપવામાં આવ્યા
WatchGujarat. કોરોનાના કેસોમાં વધારો થતા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે રીંગરોડ પર આવેલી ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત કરી હતી. અને લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી હતી તેમજ માર્કેટમાં આવતા તમામ લોકોનું ખાસ ટેસ્ટીંગ કરવામાં આવે તેવી સુવિધા પણ ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને મનપા તંત્ર ફરી એક વખત એલર્ટ થઇ ગયું છે સુરતમાં ભીડભાડ વાળી જગ્યાઓ પર દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. બીજી તરફ સુરતમાં ધન્વતરી રથ પણ એક્ટીવ કરવામાં આવ્યા છે. અને સુરતમાં બહારથી આવતા લોકોના ખાસ ટેસ્ટીંગ થઇ રહ્યા છે. મનપા કમિશ્નર પણ ખુદ અલગ અલગ વિસ્તારોની મુલાકાત મેળવી પરિસ્થતિનો ચિતાર મેળવી રહ્યા છે. દરમિયાન મનપા કમિશનરે આજે સુરતના સલાબતપુરા ખાતે આવેલી ટેક્સટાઈલ માર્કેટોની મુલાકત કરી લીધી હતી.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, માર્કેટમાં સંક્મ્રણ વધવાની શક્યતા હોય અહી ટેસ્ટીંગ સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે. માર્કેટમાં આવતા જતા તમામ લોકોના ખાસ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે લોકો સ્વયંભુ ટેસ્ટીંગ કરાવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અને ટ્રેસિંગની પ્રક્રિયા સઘન કરવામાં આવી છે. તેમજ માર્કેટ વિસ્તારમાં પાન-ચાની લારીઓ પર થતી ભીડ રોકવા કાર્યવાહી કરવા તેમજ આ વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરે લગ્નને લઈને ખાસ અપીલ કરી હતી કે જ્યાં લગ્ન સમારોહ હોય ત્યાં મહેમાનો અને તમામ લોકો અવશ્ય માસ્ક પહેરે અને અચૂક તકેદારી રાખે તે જરૂરી છે.
સુરતના મ્યુનિસિપલ કમિશ્નર કોરોના સંબંધિત તૈયારીઓની જાતે વિઝીડ કરી સમીક્ષા કરી રહ્યા છે.
ટેક્સટાઇલ માર્કેટમાં વિઝીટ કરી જરૂરી સુચન આપવામાં આવ્યા
WatchGujarat. કોરોનાના કેસોમાં વધારો થતા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે રીંગરોડ પર આવેલી ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત કરી હતી. અને લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી હતી તેમજ માર્કેટમાં આવતા તમામ લોકોનું ખાસ ટેસ્ટીંગ કરવામાં આવે તેવી સુવિધા પણ ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને મનપા તંત્ર ફરી એક વખત એલર્ટ થઇ ગયું છે સુરતમાં ભીડભાડ વાળી જગ્યાઓ પર દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. બીજી તરફ સુરતમાં ધન્વતરી રથ પણ એક્ટીવ કરવામાં આવ્યા છે. અને સુરતમાં બહારથી આવતા લોકોના ખાસ ટેસ્ટીંગ થઇ રહ્યા છે. મનપા કમિશ્નર પણ ખુદ અલગ અલગ વિસ્તારોની મુલાકાત મેળવી પરિસ્થતિનો ચિતાર મેળવી રહ્યા છે. દરમિયાન મનપા કમિશનરે આજે સુરતના સલાબતપુરા ખાતે આવેલી ટેક્સટાઈલ માર્કેટોની મુલાકત કરી લીધી હતી.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, માર્કેટમાં સંક્મ્રણ વધવાની શક્યતા હોય અહી ટેસ્ટીંગ સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે. માર્કેટમાં આવતા જતા તમામ લોકોના ખાસ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે લોકો સ્વયંભુ ટેસ્ટીંગ કરાવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અને ટ્રેસિંગની પ્રક્રિયા સઘન કરવામાં આવી છે. તેમજ માર્કેટ વિસ્તારમાં પાન-ચાની લારીઓ પર થતી ભીડ રોકવા કાર્યવાહી કરવા તેમજ આ વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરે લગ્નને લઈને ખાસ અપીલ કરી હતી કે જ્યાં લગ્ન સમારોહ હોય ત્યાં મહેમાનો અને તમામ લોકો અવશ્ય માસ્ક પહેરે અને અચૂક તકેદારી રાખે તે જરૂરી છે.