ચિક્કાર દારૂનો નશો કરીને આવેલાં સંજય કાઠી સહિતના 10 જેટલાં શખ્સોએ જમવું માંગ્યું.
રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હોવાનું કહેવામાં આવતાં પીધેલાં શખ્સો બોલાચાલી કરી જતાં રહ્યાં.
રાત્રે દોઢ વાગ્યે ધોકા – પાઈપ સાથે ધસી આવેલાં શખ્સોએ પથ્થરમારો કરી હિંસક હુમલો કર્યો.
https://youtu.be/VAGWzVVuZCQ
રાજકોટ. અયોધ્યા ચોકમાં આવેલ રાજભોગ રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે દોઢ વાગ્યે 10 જેટલા શખ્સો જમવા પહોંચ્યા હતા. પરંતુ રેસ્ટોરન્ટ બંધ થઇ ગયું હોવાથી સંચાલકે ના પાડતા માપમાં રહેજો કહી સંજય કાઠી સહીત 10 જેટલા શખ્સોએ ધોકા-પાઇપ અને છરી, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવી રેસ્ટોરન્ટ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં સંચાલકને ઇજા થતા હોસ્પિટલે ખસેડાયો હતો. પથ્થરમારો થતા ટેબલ, ખુરશી અને ફ્રીઝમાં પણ નુકશાન થયું હતું. જો કે સ્વબચાવ માટે સંચાલક અને કર્મચારીઓએ વળતો પ્રહાર પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.
આ અંગે રાજભોગ રેસ્ટોરન્ટનાં માલિક પ્રદીપભાઈ કાનાભાઈ ઓડેદરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પોતે રાત્રીનાં 1 વાગ્યા આસપાસ પોતાની રેસ્ટોરન્ટ બંધ કરતા હતા ત્યારે જ સંજય કાઠી નામનો શખ્સ ચિક્કાર દારૂનો નશો કરીને આવ્યા હતો. તેની સાથે અજાણ્યા 8થી વધુ શખ્સો પણ આવ્યા હતા અને તમામે જમવાનું માંગ્યું હતું પરંતુ રેસ્ટોરન્ટ બંધ થઇ ગયું હોવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી જતા રહ્યા હતા.
થોડીવાર પછી દોઢ વાગ્યે ફરીથી આ ટોળું આવ્યું હતું. અને માપમાં રહેજો કહી છરી, ધોકા, પાઇપ સહિતના હથિયારો ધારણ કરી ફરીથી ઝઘડો કરી રેસ્ટોરન્ટ ઉપર પથ્થરમારો કર્યો હતો અને જેમાં મને પણ ઇજા થઇ હતી. અને ટેબલ, ખુરશી, ફ્રીઝમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. પથ્થરમારો થતા કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
આ ટોળું હિંસક બની ગયું હતું. જેથી સ્વબચાવ માટે અમારે પણ પ્રતિકાર કરવાની ફરજ પડી હતી. મોડી રાતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ઘટનાને પગલે લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા. અને કંટ્રોલમાં ફોન કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. જો કે પોલીસ આવે તે પૂર્વે તોફાની ટોળકી ભાગી જતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
- ચિક્કાર દારૂનો નશો કરીને આવેલાં સંજય કાઠી સહિતના 10 જેટલાં શખ્સોએ જમવું માંગ્યું.
- રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હોવાનું કહેવામાં આવતાં પીધેલાં શખ્સો બોલાચાલી કરી જતાં રહ્યાં.
- રાત્રે દોઢ વાગ્યે ધોકા – પાઈપ સાથે ધસી આવેલાં શખ્સોએ પથ્થરમારો કરી હિંસક હુમલો કર્યો.
રાજકોટ. અયોધ્યા ચોકમાં આવેલ રાજભોગ રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે દોઢ વાગ્યે 10 જેટલા શખ્સો જમવા પહોંચ્યા હતા. પરંતુ રેસ્ટોરન્ટ બંધ થઇ ગયું હોવાથી સંચાલકે ના પાડતા માપમાં રહેજો કહી સંજય કાઠી સહીત 10 જેટલા શખ્સોએ ધોકા-પાઇપ અને છરી, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવી રેસ્ટોરન્ટ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં સંચાલકને ઇજા થતા હોસ્પિટલે ખસેડાયો હતો. પથ્થરમારો થતા ટેબલ, ખુરશી અને ફ્રીઝમાં પણ નુકશાન થયું હતું. જો કે સ્વબચાવ માટે સંચાલક અને કર્મચારીઓએ વળતો પ્રહાર પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.
આ અંગે રાજભોગ રેસ્ટોરન્ટનાં માલિક પ્રદીપભાઈ કાનાભાઈ ઓડેદરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પોતે રાત્રીનાં 1 વાગ્યા આસપાસ પોતાની રેસ્ટોરન્ટ બંધ કરતા હતા ત્યારે જ સંજય કાઠી નામનો શખ્સ ચિક્કાર દારૂનો નશો કરીને આવ્યા હતો. તેની સાથે અજાણ્યા 8થી વધુ શખ્સો પણ આવ્યા હતા અને તમામે જમવાનું માંગ્યું હતું પરંતુ રેસ્ટોરન્ટ બંધ થઇ ગયું હોવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી જતા રહ્યા હતા.
થોડીવાર પછી દોઢ વાગ્યે ફરીથી આ ટોળું આવ્યું હતું. અને માપમાં રહેજો કહી છરી, ધોકા, પાઇપ સહિતના હથિયારો ધારણ કરી ફરીથી ઝઘડો કરી રેસ્ટોરન્ટ ઉપર પથ્થરમારો કર્યો હતો અને જેમાં મને પણ ઇજા થઇ હતી. અને ટેબલ, ખુરશી, ફ્રીઝમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. પથ્થરમારો થતા કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
આ ટોળું હિંસક બની ગયું હતું. જેથી સ્વબચાવ માટે અમારે પણ પ્રતિકાર કરવાની ફરજ પડી હતી. મોડી રાતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ઘટનાને પગલે લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા. અને કંટ્રોલમાં ફોન કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. જો કે પોલીસ આવે તે પૂર્વે તોફાની ટોળકી ભાગી જતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.