દિવાળી – નૂતન વર્ષના રોજ સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો રહીશોનો નિર્ણય.
રાજકોટ. કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ વચ્ચે આવેલી પ્રશીલ પાર્ક સોસાયટીનાં લોકોએ દિવાળીના તહેવાર ટાણે સ્વૈચ્છિક લોકડાઉનનો અનોખો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે તહેવાર ટાણે સોસાયટીની અંદરથી કોઈ બહાર નહીં જઈ શકે અને બહારથી કોઈ અંદર આવી શકશે નહીં.
પ્રશીલ પાર્ક સોસાયટીનાં પ્રમુખ કમલેશભાઈએ જણાવ્યું હતું કે, સોસાયટીની કારોબારીની મિટિંગમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખાસ દિવાળીનાં તહેવારોમાં સોસાયટીમાં લોકડાઉન રહેશે. દર વર્ષે સોસાયટીનાં લોકો અહીંનાં મહાદેવ મંદિરમાં પરિવાર સાથે એકઠા થતા હતા. તેમજ સાથે નાસ્તો કરીને વડીલો પાસેથી આશીર્વાદ લેતા હતા.
[caption id="attachment_1490" align="aligncenter" width="864"] (વોચ ગુજરાતના સમાચારો વોટ્સએપ પર પ્રાપ્ત કરવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો)[/caption]
વધુમાં ઉમેર્યું કે, આ વર્ષે કોરોના સંક્રમણને કારણે અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને સરકારની ગાઈડલાનનું પાલન કરવાનું નક્કી કર્યું છે. જેને પગલે આ વર્ષે સોસાયટીનો સ્થાનિક સ્નેહમિલન સમારોહ પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.
સ્વૈચ્છિક લોકડાઉન કરવાનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, બહારથી આવતા લોકો સંક્રમિત છે કે નહીં તે જાણી શકાતું નથી. તેમજ તમામનું ચેકીંગ કરવું પણ શક્ય નથી. જેથી અમે આ લોકડાઉનનો નિર્ણય લીધો છે. તેમજ વોટ્સએપ સહિતનાં ઓનલાઈન માધ્મયથી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
https://youtu.be/xhiEZhlC_Ek
નોંધનીય છે કે, સામાન્ય રીતે નવા વર્ષના દિવસે લોકો એકબીજાના ઘરે જઈને સાલ મુબારક કરતા હોય છે. પરંતુ આ વર્ષે પ્રશીલ પાર્કના લોકોએ સોસાયટીમાં જ લોકડાઉન જાહેર કર્યુ છે. જેમાં કોઈના પણ સગાએ સાલ મુબારક કે દિવાળીની શુભેચ્છા પાઠવવા આવવું નહીં તેવો નિયમ બનાવ્યો છે. ત્યારે ધીમે-ધીમે અન્ય સોસાયટીઓ દ્વારા પણ આવા નિયમ જાહેર કરવામાં આવે તો નવાઈ નથી.
દિવાળી – નૂતન વર્ષના રોજ સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો રહીશોનો નિર્ણય.
રાજકોટ. કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ વચ્ચે આવેલી પ્રશીલ પાર્ક સોસાયટીનાં લોકોએ દિવાળીના તહેવાર ટાણે સ્વૈચ્છિક લોકડાઉનનો અનોખો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે તહેવાર ટાણે સોસાયટીની અંદરથી કોઈ બહાર નહીં જઈ શકે અને બહારથી કોઈ અંદર આવી શકશે નહીં.
પ્રશીલ પાર્ક સોસાયટીનાં પ્રમુખ કમલેશભાઈએ જણાવ્યું હતું કે, સોસાયટીની કારોબારીની મિટિંગમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખાસ દિવાળીનાં તહેવારોમાં સોસાયટીમાં લોકડાઉન રહેશે. દર વર્ષે સોસાયટીનાં લોકો અહીંનાં મહાદેવ મંદિરમાં પરિવાર સાથે એકઠા થતા હતા. તેમજ સાથે નાસ્તો કરીને વડીલો પાસેથી આશીર્વાદ લેતા હતા.
[caption id="attachment_1490" align="aligncenter" width="864"](વોચ ગુજરાતના સમાચારો વોટ્સએપ પર પ્રાપ્ત કરવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો)[/caption]
વધુમાં ઉમેર્યું કે, આ વર્ષે કોરોના સંક્રમણને કારણે અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને સરકારની ગાઈડલાનનું પાલન કરવાનું નક્કી કર્યું છે. જેને પગલે આ વર્ષે સોસાયટીનો સ્થાનિક સ્નેહમિલન સમારોહ પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.
સ્વૈચ્છિક લોકડાઉન કરવાનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, બહારથી આવતા લોકો સંક્રમિત છે કે નહીં તે જાણી શકાતું નથી. તેમજ તમામનું ચેકીંગ કરવું પણ શક્ય નથી. જેથી અમે આ લોકડાઉનનો નિર્ણય લીધો છે. તેમજ વોટ્સએપ સહિતનાં ઓનલાઈન માધ્મયથી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
નોંધનીય છે કે, સામાન્ય રીતે નવા વર્ષના દિવસે લોકો એકબીજાના ઘરે જઈને સાલ મુબારક કરતા હોય છે. પરંતુ આ વર્ષે પ્રશીલ પાર્કના લોકોએ સોસાયટીમાં જ લોકડાઉન જાહેર કર્યુ છે. જેમાં કોઈના પણ સગાએ સાલ મુબારક કે દિવાળીની શુભેચ્છા પાઠવવા આવવું નહીં તેવો નિયમ બનાવ્યો છે. ત્યારે ધીમે-ધીમે અન્ય સોસાયટીઓ દ્વારા પણ આવા નિયમ જાહેર કરવામાં આવે તો નવાઈ નથી.