નશાખોર પિતા દ્વારા વારંવાર પત્ની સહિતના પરિવારજનો સાથે માથાકૂટ કરવામાં આવતી હતી.
ગત રાત્રે ઝગડો કર્યા બાદ આજે સવારે ફરી માતા સાથે માથાકૂટ કરી રહેલાં પિતા પર નાનાપુત્રને ગુસ્સો આવ્યો.
નશાખોર પિતા પર ગુસ્સે ભરાયેલા નાનાપુત્રએ ઝનૂન ભેર છરીના ઘા ઝીંકી દીધા.
રાજકોટ. આજે સવારે ચુનારાવાડ શિવાજીનગરમાં નશાખોર પિતાને નાના પુત્રએ છરીનાં 9 ઘા ઝીંકીને રહેંસી નાંખ્યા હતાં. હત્યાના બનાવને માતા અને મોટા પુત્રએ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ પુછપરછમાં તેઓ ભાંગી પડ્યા હતાં. હાલ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત અનુસાર, ચુનારાવાડ શિવાજીનગરમાં રહેતાં 45 વર્ષીય રાજુભાઇ ઉકાભાઇ મકવાણાને બપોરે લોહીલુહાણ હાલતમાં તેના મોટા પુત્ર અજય અને પત્નિ ગીતાબેન સહિતનાએ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પુત્ર અજય અને પત્નિ ગીતાબેને કહ્યું હતું કે, નશાની ટેવને કારણે તેમણે પોતાની જાતે શરીરમાં છરીના ઘા ઝીંકી દીધા હોવાનું જણાવ્યું હતું.
જો કે થોરાળા પોલીસને મૃતકનાં શરીર પર 9 જેટલા ઘા જોઈ હત્યાની આશંકા ઉપજી હતી. તેથી પોલીસે અજય અને ગીતાબેનની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં બંનેએ નશાની હાલતમાં રાજુભાઇએ જાતે જ પોતાના શરીરમાં છરીના ઘા મારી લઇને આપઘાત કર્યાનું રટણ કર્યું હતું. પરંતુ પીઆઇ હડીયા અને ટીમે અજય અને ગીતાબેનની વિસ્તૃત પુછતાછ કરતાં અંતે બંનેએ બનાવ હત્યાનો હોવાનું સ્વીકાર્યુ હતું. સાથે જ હત્યા બીજા નંબરના દિકરા રોહિતે કરી હોવાનું કબૂલ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રોહિતને ઝડપી લીધો હતો.
https://youtu.be/4gM5gwJtqvk
મૃતકનાં પત્ની ગીતાબેને જણાવ્યું હતું કે, તેમના પતિ રાજુભાઇને લાંબા સમયથી દારૂ સહિતનો નશો કરવાની આદત હતી. નશો કરી તેઓ ઘરમાં ઝઘડા કરતાં હતાં. ગતરાત્રે પણ નશાની હાલતમાં તેમની સાથે માથાકુટ અને મારામારી કરી હતી. બાદમાં આજે સવારે પણ ફરીથી કંકાશ શરૂ કર્યો હતો. જેમાં સોનાના બુટીયા માંગીને પોતાને બહારગામ જવું હોવાનું કહ્યું હતું.
જો કે ગીતાબેને બુટીયા આપવાની ના પાડતાં તે છરી લઇને મારવા દોડ્યા હતા. દરમિયાન નાનો પુત્ર રોહિત ત્યાં પહોંચ્યો હતો, અને કોઈ કંઈપણ સમજે તે પૂર્વે પિતાનાં હાથમાંથી છરી ઝૂંટવી લઈને રાજુભાઈ પાર આડેધડ 9 ઘા કરતા તેઓ લોહીલુહાણ થઈને નીચે પડી ગયા હતા. બાદમાં માતા અને મોટા પુત્ર અજયે જાતે જ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સ્ટોરી ઘડી તેમને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
નશાખોર પિતા દ્વારા વારંવાર પત્ની સહિતના પરિવારજનો સાથે માથાકૂટ કરવામાં આવતી હતી.
ગત રાત્રે ઝગડો કર્યા બાદ આજે સવારે ફરી માતા સાથે માથાકૂટ કરી રહેલાં પિતા પર નાનાપુત્રને ગુસ્સો આવ્યો.
રાજકોટ. આજે સવારે ચુનારાવાડ શિવાજીનગરમાં નશાખોર પિતાને નાના પુત્રએ છરીનાં 9 ઘા ઝીંકીને રહેંસી નાંખ્યા હતાં. હત્યાના બનાવને માતા અને મોટા પુત્રએ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ પુછપરછમાં તેઓ ભાંગી પડ્યા હતાં. હાલ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત અનુસાર, ચુનારાવાડ શિવાજીનગરમાં રહેતાં 45 વર્ષીય રાજુભાઇ ઉકાભાઇ મકવાણાને બપોરે લોહીલુહાણ હાલતમાં તેના મોટા પુત્ર અજય અને પત્નિ ગીતાબેન સહિતનાએ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પુત્ર અજય અને પત્નિ ગીતાબેને કહ્યું હતું કે, નશાની ટેવને કારણે તેમણે પોતાની જાતે શરીરમાં છરીના ઘા ઝીંકી દીધા હોવાનું જણાવ્યું હતું.
જો કે થોરાળા પોલીસને મૃતકનાં શરીર પર 9 જેટલા ઘા જોઈ હત્યાની આશંકા ઉપજી હતી. તેથી પોલીસે અજય અને ગીતાબેનની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં બંનેએ નશાની હાલતમાં રાજુભાઇએ જાતે જ પોતાના શરીરમાં છરીના ઘા મારી લઇને આપઘાત કર્યાનું રટણ કર્યું હતું. પરંતુ પીઆઇ હડીયા અને ટીમે અજય અને ગીતાબેનની વિસ્તૃત પુછતાછ કરતાં અંતે બંનેએ બનાવ હત્યાનો હોવાનું સ્વીકાર્યુ હતું. સાથે જ હત્યા બીજા નંબરના દિકરા રોહિતે કરી હોવાનું કબૂલ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રોહિતને ઝડપી લીધો હતો.
મૃતકનાં પત્ની ગીતાબેને જણાવ્યું હતું કે, તેમના પતિ રાજુભાઇને લાંબા સમયથી દારૂ સહિતનો નશો કરવાની આદત હતી. નશો કરી તેઓ ઘરમાં ઝઘડા કરતાં હતાં. ગતરાત્રે પણ નશાની હાલતમાં તેમની સાથે માથાકુટ અને મારામારી કરી હતી. બાદમાં આજે સવારે પણ ફરીથી કંકાશ શરૂ કર્યો હતો. જેમાં સોનાના બુટીયા માંગીને પોતાને બહારગામ જવું હોવાનું કહ્યું હતું.
જો કે ગીતાબેને બુટીયા આપવાની ના પાડતાં તે છરી લઇને મારવા દોડ્યા હતા. દરમિયાન નાનો પુત્ર રોહિત ત્યાં પહોંચ્યો હતો, અને કોઈ કંઈપણ સમજે તે પૂર્વે પિતાનાં હાથમાંથી છરી ઝૂંટવી લઈને રાજુભાઈ પાર આડેધડ 9 ઘા કરતા તેઓ લોહીલુહાણ થઈને નીચે પડી ગયા હતા. બાદમાં માતા અને મોટા પુત્ર અજયે જાતે જ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સ્ટોરી ઘડી તેમને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.