'તે માતાજીના મંત્રો લઈ લીધા છે' તેવું કહી ભૂવા સહિત છ શખ્સોએ પરિણીતાને ધોકાથી મારમાર્યો હતો.
પરિણીતાએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારજનોમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો
WatchGujarat. જસદણના વિરનગરની એક પરિણીતાને 'તે માતાજીના મંત્રો લઈ લીધા છે' તેવું કહી ભૂવા સહિત છ શખ્સોએ ધોકાથી મારમાર્યો હતો. એટલું જ નહીં આ પરિણીતા ઉપર સળગતો પૂળો ફેંકતા ગંભીર દાઝેલી હાલતમાં તેણીને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે પરિણીતાએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારજનોમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. પોલીસે આ ભૂવા સહિતના ત્રણેય શખ્સો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર, 23 વર્ષીય ઉર્મિલાબેન પંકજભાઈ ચંદાભા નામની પરપ્રાંતીય મહિલા જસદણનાં વીરનગર ખાતે પતિ અને પરિવાર સાથે પેટિયું રળવા આવી હતી. આ દરમિયાન ગત બુધવારે ઉર્મિલા વાડીએ હતી, ત્યારે બાજુની વાડીમાં જ ખેત મજૂરી કરતો અને દશામાનો કહેવાતો ભુવો નિલેશ કાળુભાઈ કટારા આવ્યો હતો. તેણે ઉર્મિલાને કહ્યું હતું કે, તું મારા મંત્રો લઈ ગઈ છો, પાછા આપી દે નહીં તો આપણને પતાવી દેશે.
બાદમાં નિલેશ અને મૂકેશ સહિતના શખ્સોએ તેની સાથે ઝઘડો કરી છૂટ્ટા પથ્થર અને ધોકા વડે ઢોર માર માર્યો હતો. અને તેનાં પતિની નજર સામે આગ ચાંપી દીધી હતી. જેને પગલે ગંભીર ઈજા અને દાઝી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતાં જસદણ પંથકમાં ચકચાર મચી છે.
ઉર્મિલાનાં પતિ પંકજે જણાવ્યા મુજબ, માતાજીનાં મંત્રો લઈ લીધા હોવાનું કહીને નિલેશ ઉપરાંત તેનો બનેવી મુકેશ અને સતિશે આ હુમલો કર્યો હતો. જેને પગલે પોલીસે આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પૂછતાછમાં હુમલાખોર નિલેશ ભૂવો હોવાનું અને ઉર્મિલાબેને માતાજીના મંત્રો અને સામાન લઈ લીધો હોવાની શંકાએ નિલેશ સહિતના શખ્સોએ પરિણીતાને રૂમમાં પૂરીને બેફામ માર મારી સળગતો પૂળો માથે ફેંક્યો હોવાનું જાણવા મળ્યું છે.
પરિણીતાએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારજનોમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો
WatchGujarat. જસદણના વિરનગરની એક પરિણીતાને 'તે માતાજીના મંત્રો લઈ લીધા છે' તેવું કહી ભૂવા સહિત છ શખ્સોએ ધોકાથી મારમાર્યો હતો. એટલું જ નહીં આ પરિણીતા ઉપર સળગતો પૂળો ફેંકતા ગંભીર દાઝેલી હાલતમાં તેણીને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે પરિણીતાએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારજનોમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. પોલીસે આ ભૂવા સહિતના ત્રણેય શખ્સો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર, 23 વર્ષીય ઉર્મિલાબેન પંકજભાઈ ચંદાભા નામની પરપ્રાંતીય મહિલા જસદણનાં વીરનગર ખાતે પતિ અને પરિવાર સાથે પેટિયું રળવા આવી હતી. આ દરમિયાન ગત બુધવારે ઉર્મિલા વાડીએ હતી, ત્યારે બાજુની વાડીમાં જ ખેત મજૂરી કરતો અને દશામાનો કહેવાતો ભુવો નિલેશ કાળુભાઈ કટારા આવ્યો હતો. તેણે ઉર્મિલાને કહ્યું હતું કે, તું મારા મંત્રો લઈ ગઈ છો, પાછા આપી દે નહીં તો આપણને પતાવી દેશે.
બાદમાં નિલેશ અને મૂકેશ સહિતના શખ્સોએ તેની સાથે ઝઘડો કરી છૂટ્ટા પથ્થર અને ધોકા વડે ઢોર માર માર્યો હતો. અને તેનાં પતિની નજર સામે આગ ચાંપી દીધી હતી. જેને પગલે ગંભીર ઈજા અને દાઝી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતાં જસદણ પંથકમાં ચકચાર મચી છે.
ઉર્મિલાનાં પતિ પંકજે જણાવ્યા મુજબ, માતાજીનાં મંત્રો લઈ લીધા હોવાનું કહીને નિલેશ ઉપરાંત તેનો બનેવી મુકેશ અને સતિશે આ હુમલો કર્યો હતો. જેને પગલે પોલીસે આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પૂછતાછમાં હુમલાખોર નિલેશ ભૂવો હોવાનું અને ઉર્મિલાબેને માતાજીના મંત્રો અને સામાન લઈ લીધો હોવાની શંકાએ નિલેશ સહિતના શખ્સોએ પરિણીતાને રૂમમાં પૂરીને બેફામ માર મારી સળગતો પૂળો માથે ફેંક્યો હોવાનું જાણવા મળ્યું છે.