ઉનાળો શરૂ થતા જળાશયોમાં પાણીની ઘટતી સંખ્યા લોકો માટે ઘેરી સમસ્યા બની
કચ્છનાં 20 મોટા જળાશયોમાં માત્ર 30 ટકા પાણી બચ્યું છે.
જિલ્લાની 17 લાખની વસતી માટે ભાદર, આજી, ન્યારી ઉપરાંત જામનગર જિલ્લા માટે આજી - 3 માંથી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું
WatchGujarat. ઉનાળાનાં પ્રારંભે સૌરાષ્ટ્રનાં ઘણા જિલ્લામાં જળસંકટ ઘેરું બન્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં અત્યારથી પીવાનાં પાણીની વિકટ સ્થિતિ ઉભી થઈ રહી છે. અને નાના-મોટા જળાશયોમાં 60 ટકા પાણીનો જથ્થો પૂરો થઈ ચૂક્યો છે. આકરા ઉનાળાનાં હજુ ત્રણેક મહિના બાકી છે, ત્યારે સૌરાષ્ટ્રનાં 140 જળાશયોમાં પાણીનો જથ્થો ખતમ થતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સૌથી વધુ વિકટ સ્થિતિ પોરબંદર, જામનગર દેવભૂમી દ્રારકા અને સુરેન્દ્રનગર પંથકની છે. કારણ કે આ જિલ્લાનાં જળાશયોનાં તળીયા દેખાઈ રહયા છે. તો કચ્છનાં 20 મોટા જળાશયોમાં માત્ર 30 ટકા પાણી બચ્યું છે.
દેવભૂમી દ્વારકા જિલ્લામાં હાલ માત્ર 17 ટકા પાણી બચ્યુ છે. યાત્રાધામ દ્રારકાને પણ ત્રણ - ચાર દિવસે માંડ અર્ધો કલાક પીવાનું પાણી આપવામાં આવે છે. જામનગર જિલ્લાનાં ડેમોમાં માત્ર 30 ટકા જ પાણી રહયુ છે. જામનગર જિલ્લાની હાલત પણ ઉનાળાનાં આરંભે ગંભીર બની રહી છે. તો જૂનાગઢ જિલ્લાનાં જળાશયોમાં હાલ 44 ટકા, અમરેલી જિ.માં 55 ટકા, મોરબી 45 ટકા, પોરબંદર 27 ટકા, સુરેન્દ્રનગરમાં 30 ટકા, ભાવનગર 46 ટકા, બોટાદ 45 ટકા અને ગીર સોમનાથમાં 60 ટકા જેટલો પાણીનો જથ્થો હાલ છે.
આ વર્ષે પોરબંદર, જામનગર અને દ્રારકા જિલ્લામાં વરસાદ ઓછો પડયો હોવાથી ડેમોમાં પાણીનો ઓછો જથ્થો આવ્યો હતો. ઉનાળાની શરુઆતમાં પાણીનો પોકાર આ જિલ્લાઓમાં ઉઠયો છે. સૌરાષ્ટ્રનાં 140 ડેમોમાં હાલ માત્ર 1161 એમસીએમ જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ 28 મોટા ડેમો 60 ટકા જેટલા ખાલી પડયા છે. રાજકોટ જિલ્લાની 17 લાખની વસતી માટે ભાદર, આજી, ન્યારી ઉપરાંત જામનગર જિલ્લા માટે આજી - 3 માંથી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યા બાદ સિંચાઈ માટે પાણી છોડવા આયોજન સિંચાઈ વિભાગ દ્રારા કરવામાં આવી રહ્યું છે.
ઉનાળો શરૂ થતા જળાશયોમાં પાણીની ઘટતી સંખ્યા લોકો માટે ઘેરી સમસ્યા બની
કચ્છનાં 20 મોટા જળાશયોમાં માત્ર 30 ટકા પાણી બચ્યું છે.
જિલ્લાની 17 લાખની વસતી માટે ભાદર, આજી, ન્યારી ઉપરાંત જામનગર જિલ્લા માટે આજી - 3 માંથી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું
WatchGujarat. ઉનાળાનાં પ્રારંભે સૌરાષ્ટ્રનાં ઘણા જિલ્લામાં જળસંકટ ઘેરું બન્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં અત્યારથી પીવાનાં પાણીની વિકટ સ્થિતિ ઉભી થઈ રહી છે. અને નાના-મોટા જળાશયોમાં 60 ટકા પાણીનો જથ્થો પૂરો થઈ ચૂક્યો છે. આકરા ઉનાળાનાં હજુ ત્રણેક મહિના બાકી છે, ત્યારે સૌરાષ્ટ્રનાં 140 જળાશયોમાં પાણીનો જથ્થો ખતમ થતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સૌથી વધુ વિકટ સ્થિતિ પોરબંદર, જામનગર દેવભૂમી દ્રારકા અને સુરેન્દ્રનગર પંથકની છે. કારણ કે આ જિલ્લાનાં જળાશયોનાં તળીયા દેખાઈ રહયા છે. તો કચ્છનાં 20 મોટા જળાશયોમાં માત્ર 30 ટકા પાણી બચ્યું છે.
દેવભૂમી દ્વારકા જિલ્લામાં હાલ માત્ર 17 ટકા પાણી બચ્યુ છે. યાત્રાધામ દ્રારકાને પણ ત્રણ - ચાર દિવસે માંડ અર્ધો કલાક પીવાનું પાણી આપવામાં આવે છે. જામનગર જિલ્લાનાં ડેમોમાં માત્ર 30 ટકા જ પાણી રહયુ છે. જામનગર જિલ્લાની હાલત પણ ઉનાળાનાં આરંભે ગંભીર બની રહી છે. તો જૂનાગઢ જિલ્લાનાં જળાશયોમાં હાલ 44 ટકા, અમરેલી જિ.માં 55 ટકા, મોરબી 45 ટકા, પોરબંદર 27 ટકા, સુરેન્દ્રનગરમાં 30 ટકા, ભાવનગર 46 ટકા, બોટાદ 45 ટકા અને ગીર સોમનાથમાં 60 ટકા જેટલો પાણીનો જથ્થો હાલ છે.
આ વર્ષે પોરબંદર, જામનગર અને દ્રારકા જિલ્લામાં વરસાદ ઓછો પડયો હોવાથી ડેમોમાં પાણીનો ઓછો જથ્થો આવ્યો હતો. ઉનાળાની શરુઆતમાં પાણીનો પોકાર આ જિલ્લાઓમાં ઉઠયો છે. સૌરાષ્ટ્રનાં 140 ડેમોમાં હાલ માત્ર 1161 એમસીએમ જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ 28 મોટા ડેમો 60 ટકા જેટલા ખાલી પડયા છે. રાજકોટ જિલ્લાની 17 લાખની વસતી માટે ભાદર, આજી, ન્યારી ઉપરાંત જામનગર જિલ્લા માટે આજી - 3 માંથી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યા બાદ સિંચાઈ માટે પાણી છોડવા આયોજન સિંચાઈ વિભાગ દ્રારા કરવામાં આવી રહ્યું છે.