આગામી 27મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં ખેડૂત સંમેલન યોજવા પ્રશાસને મંજૂરી આપી
અગાઉ 22 મીએ રાજકોટમાં ખેડૂત સંમેલન યોજવાનું આયોજન હતું
ખેડૂત સંમેલન પૂર્વે જ ખેડૂત આગેવાનોને નજર કેદ કરી અટકાવી દેવાયા હતા.
WatchGujarat દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને દેશવ્યાપી બનાવવા દેશના તમામ રાજયો, જિલ્લા અને તાલુકા કક્ષાએ ખેડૂત સંમેલન યોજવાના એજન્ડા સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા રાજકોટમાં ગત તા.20મીએ વિરાટ ખેડૂત સંમેલન યોજાવાનું હતું. પરંતુ તેના આગલા દિવસે છેક રાત્રે મંજૂરી આપવામાં આવી અને ત્યાં સુધીમાં કોંગી આગેવાનોના ટેકા સાથે ધરણાં પર બેઠેલા ખેડૂતોની ધરપકડ કરાયા બાદ ફરી તારીખ 27મીએ ખેડૂત સંમેલનની જાહેરાત કરવામાં આવી હતી. અને આ વખતે વહેલાસર મંજુરી આપવામાં નહીં આવે તો જેલ ભરો આંદોલનની ચીમકી ગુજરાત સંઘર્ષ સમિતિએ આપી હતી. જેના પગલે ચાર દિવસ પૂર્વે જ સતાવાર લેખીત મંજુરી આપવામાં આવી છે.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનાં પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, તારીખ 22 મીએ રાજકોટમાં ખેડૂત સંમેલન યોજવાનું આયોજન હતું. પરંતુ પ્રશાસન દ્વારા તારીખ 20થી ખેડૂત આગેવાનોને નજરકેદ કરવાનું શરૂ કરાયું હતું. અને ખેડૂતોને રાજકોટનાં સંમેલનમાં જતા અટકાવવાના ભરપૂર પ્રયાસો થયા હતા. તેમજ છેલ્લે સુધી મંજરી ન આપી ખેડૂત સંમેલન નિષ્ફળ કરવાનો સરકાર દ્વારા મરણિયો પ્રયાસ થયો હતો. જેની સામે સમિતિના આગેવાનો 21 તારીખે ધરણાં પર બેસી ગયા હતા.
https://youtu.be/Y6awMJXNZpE
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ હતી કે, જેવી રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ વગર રોકટોકે કાર્યક્રમ કરી શકે છે તેવી રીતે અમને કાર્યક્રમ કરવાની છૂટ આપવામાં આવે, ખેડૂતોને સંમેલનમાં જતા રોકવામાં ન આવે, કોઈ ખેડૂત આગેવાનોને નજરકેદ કરવામાં ન આવે તેવી માંગ સાથે ત્રણ વખત ધરણાંમાં બેઠા અને ત્રણ વખત અટક કરી લેવા ઉપરાંત 8 લોકો સામે ગુનો પણ દાખલ થયો હતો. બાદમાં ખેડૂત સંમેલન માટે 27 તારીખ જાહેર કરીને મંજૂરી નહીં મળે તો જેલભરો આંદોલન કરવા ચીમકી આપ્યા બાદ અંતે હવે ખેડૂત સંમેલનની મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 27 જાન્યુઆરીએ ખેડૂત સંમેલનની શરતી મંજુરી અપાઇ છે. જેમાં કોવિડ ગાઈડ લાઈન મુજબ મેદાનની કેપેસીટીથી અર્ધી સંખ્યા સહિતની શરતો લાગુ કરવામાં આવી છે. ઉપરાંત આગામી 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની મહાપરેડ યોજાવાની છે. તેમાં જો કોઇ અઘટિત ઘટના બનશે તો રાજકોટના મહાસંમેલનની મંજુરી બાબતે ફેર વિચારણા કરવામાં આવશે અને મંજુરી રદ્દ પણ કરી શકાશે. અને સંમેલન દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો ભંગ નહીં કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
આગામી 27મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં ખેડૂત સંમેલન યોજવા પ્રશાસને મંજૂરી આપી
અગાઉ 22 મીએ રાજકોટમાં ખેડૂત સંમેલન યોજવાનું આયોજન હતું
ખેડૂત સંમેલન પૂર્વે જ ખેડૂત આગેવાનોને નજર કેદ કરી અટકાવી દેવાયા હતા.
WatchGujarat દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને દેશવ્યાપી બનાવવા દેશના તમામ રાજયો, જિલ્લા અને તાલુકા કક્ષાએ ખેડૂત સંમેલન યોજવાના એજન્ડા સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા રાજકોટમાં ગત તા.20મીએ વિરાટ ખેડૂત સંમેલન યોજાવાનું હતું. પરંતુ તેના આગલા દિવસે છેક રાત્રે મંજૂરી આપવામાં આવી અને ત્યાં સુધીમાં કોંગી આગેવાનોના ટેકા સાથે ધરણાં પર બેઠેલા ખેડૂતોની ધરપકડ કરાયા બાદ ફરી તારીખ 27મીએ ખેડૂત સંમેલનની જાહેરાત કરવામાં આવી હતી. અને આ વખતે વહેલાસર મંજુરી આપવામાં નહીં આવે તો જેલ ભરો આંદોલનની ચીમકી ગુજરાત સંઘર્ષ સમિતિએ આપી હતી. જેના પગલે ચાર દિવસ પૂર્વે જ સતાવાર લેખીત મંજુરી આપવામાં આવી છે.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનાં પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, તારીખ 22 મીએ રાજકોટમાં ખેડૂત સંમેલન યોજવાનું આયોજન હતું. પરંતુ પ્રશાસન દ્વારા તારીખ 20થી ખેડૂત આગેવાનોને નજરકેદ કરવાનું શરૂ કરાયું હતું. અને ખેડૂતોને રાજકોટનાં સંમેલનમાં જતા અટકાવવાના ભરપૂર પ્રયાસો થયા હતા. તેમજ છેલ્લે સુધી મંજરી ન આપી ખેડૂત સંમેલન નિષ્ફળ કરવાનો સરકાર દ્વારા મરણિયો પ્રયાસ થયો હતો. જેની સામે સમિતિના આગેવાનો 21 તારીખે ધરણાં પર બેસી ગયા હતા.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ હતી કે, જેવી રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ વગર રોકટોકે કાર્યક્રમ કરી શકે છે તેવી રીતે અમને કાર્યક્રમ કરવાની છૂટ આપવામાં આવે, ખેડૂતોને સંમેલનમાં જતા રોકવામાં ન આવે, કોઈ ખેડૂત આગેવાનોને નજરકેદ કરવામાં ન આવે તેવી માંગ સાથે ત્રણ વખત ધરણાંમાં બેઠા અને ત્રણ વખત અટક કરી લેવા ઉપરાંત 8 લોકો સામે ગુનો પણ દાખલ થયો હતો. બાદમાં ખેડૂત સંમેલન માટે 27 તારીખ જાહેર કરીને મંજૂરી નહીં મળે તો જેલભરો આંદોલન કરવા ચીમકી આપ્યા બાદ અંતે હવે ખેડૂત સંમેલનની મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 27 જાન્યુઆરીએ ખેડૂત સંમેલનની શરતી મંજુરી અપાઇ છે. જેમાં કોવિડ ગાઈડ લાઈન મુજબ મેદાનની કેપેસીટીથી અર્ધી સંખ્યા સહિતની શરતો લાગુ કરવામાં આવી છે. ઉપરાંત આગામી 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની મહાપરેડ યોજાવાની છે. તેમાં જો કોઇ અઘટિત ઘટના બનશે તો રાજકોટના મહાસંમેલનની મંજુરી બાબતે ફેર વિચારણા કરવામાં આવશે અને મંજુરી રદ્દ પણ કરી શકાશે. અને સંમેલન દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો ભંગ નહીં કરવાની સૂચના પણ આપવામાં આવી છે.