ફૂલ છોડનો ખર્ચથી લઈને માટી કૌભાંડને કારણે યુનિવર્સિટીની છબી ખરડાઇ હતી.
તપાસ દરમિયાન જ જતીન સોનીએ રજીસ્ટ્રાર પદેથી રાજીનામું આપી દીધું હતું.
તપાસ સમિતિના મતે આ કેસ કૌભાંડનો નહીં પણ ઓવરબિલીંગનો છે.
WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકનાં ઈન્સપેકશન સમયે ટેન્ડર પ્રક્રિયા વગર લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ફૂલ છોડનો ખર્ચથી લઈને માટી કૌભાંડને કારણે યુનિવર્સિટીની છબી ખરડાઇ હતી. જો કે માટી કોભાંડને લઈને તત્કાલીન રજીસ્ટ્રાર જતીન સોની પર આક્ષેપો થયા હતા. અને સમગ્ર મામલે તેમની ભૂમિકાને લઈને ચકાસવા માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. મહિનાના અંતે આખરે તપાસ
[caption id="attachment_1386468" align="aligncenter" width="1600"] (Gujarat, Saurashtra University Mud Scam Registar Jatin Soni Got Clean Chit from Committe)[/caption]
સમિતિએ જતીન સોનીને ક્લિનચીટ આપી દીધી છે. તો સમગ્ર મામલે દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર ચંદુભાઈ લાલકીયાને દોષી બનાવી 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
યુનિવર્સિટીનું માટી કૌભાંડ ચર્ચામાં આવ્યા પછી સતાધીશો દ્વારા તેની તપાસ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેના તપાસ સમિતિના સભ્યોએ તત્કાલીન રજીસ્ટ્રાર જતિન સોનીને છાવરવા પ્રયાસો કર્યા હતા. જો કે તપાસ દરમિયાન જ જતીન સોનીએ રજીસ્ટ્રાર પદેથી રાજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં આ કેસમાં ગમે તેમ કરીને કોન્ટ્રાક્ટર ચંદુભાઈ લાલકિયા તથા કોચ કેતન ત્રિવેદી પર દોષનો ટોપલો ઢોળવાની નીતિ સામે આવી હતી. આજે હવે સિન્ડિકેટની બેઠકમાં જતિન સોનીને આ સમગ્ર મામલે ક્લિનચિટ આપવામાં આવી છે તો કોન્ટ્રાકટર ચંદુભાઈ લાલકીયાને દોષી ગણાવી તેમને હંમેશા માટે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે.
બીજીતરફ કોચ કેતન ત્રિવેદી છેલ્લા ઘણાં સમયથી બિમાર હોય અને બાદમાં તેમણે પણ બિમારી સબબ રાજીનામું આપી દેતાં આખરે સમગ્ર મામલે કોન્ટ્રાકટરની ભુમિકા નક્કી કરી દેવામાં આવી છે. તપાસ સમિતિના મતે આ કેસ કૌભાંડનો નહીં પણ ઓવરબિલીંગનો છે. બેદરકારી થઈ છે, પરંતુ કૌભાંડ થયું નથી તેમ કહી જતીન સોનીને છાવરવામાં આવતાં યુનિવર્સિટીમાં ચર્ચા ઉઠી છે. જતીન સોનીને ક્લિનચીટ આપવામાં આવતાં એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે. અને આગામી સમયમાં ચિફ વિજીલન્સ કમિશ્નરને ફરિયાદ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.
ફૂલ છોડનો ખર્ચથી લઈને માટી કૌભાંડને કારણે યુનિવર્સિટીની છબી ખરડાઇ હતી.
તપાસ દરમિયાન જ જતીન સોનીએ રજીસ્ટ્રાર પદેથી રાજીનામું આપી દીધું હતું.
તપાસ સમિતિના મતે આ કેસ કૌભાંડનો નહીં પણ ઓવરબિલીંગનો છે.
WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકનાં ઈન્સપેકશન સમયે ટેન્ડર પ્રક્રિયા વગર લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ફૂલ છોડનો ખર્ચથી લઈને માટી કૌભાંડને કારણે યુનિવર્સિટીની છબી ખરડાઇ હતી. જો કે માટી કોભાંડને લઈને તત્કાલીન રજીસ્ટ્રાર જતીન સોની પર આક્ષેપો થયા હતા. અને સમગ્ર મામલે તેમની ભૂમિકાને લઈને ચકાસવા માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. મહિનાના અંતે આખરે તપાસ
[caption id="attachment_1386468" align="aligncenter" width="1600"] (Gujarat, Saurashtra University Mud Scam Registar Jatin Soni Got Clean Chit from Committe)[/caption]
સમિતિએ જતીન સોનીને ક્લિનચીટ આપી દીધી છે. તો સમગ્ર મામલે દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર ચંદુભાઈ લાલકીયાને દોષી બનાવી 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
યુનિવર્સિટીનું માટી કૌભાંડ ચર્ચામાં આવ્યા પછી સતાધીશો દ્વારા તેની તપાસ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેના તપાસ સમિતિના સભ્યોએ તત્કાલીન રજીસ્ટ્રાર જતિન સોનીને છાવરવા પ્રયાસો કર્યા હતા. જો કે તપાસ દરમિયાન જ જતીન સોનીએ રજીસ્ટ્રાર પદેથી રાજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં આ કેસમાં ગમે તેમ કરીને કોન્ટ્રાક્ટર ચંદુભાઈ લાલકિયા તથા કોચ કેતન ત્રિવેદી પર દોષનો ટોપલો ઢોળવાની નીતિ સામે આવી હતી. આજે હવે સિન્ડિકેટની બેઠકમાં જતિન સોનીને આ સમગ્ર મામલે ક્લિનચિટ આપવામાં આવી છે તો કોન્ટ્રાકટર ચંદુભાઈ લાલકીયાને દોષી ગણાવી તેમને હંમેશા માટે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે.
બીજીતરફ કોચ કેતન ત્રિવેદી છેલ્લા ઘણાં સમયથી બિમાર હોય અને બાદમાં તેમણે પણ બિમારી સબબ રાજીનામું આપી દેતાં આખરે સમગ્ર મામલે કોન્ટ્રાકટરની ભુમિકા નક્કી કરી દેવામાં આવી છે. તપાસ સમિતિના મતે આ કેસ કૌભાંડનો નહીં પણ ઓવરબિલીંગનો છે. બેદરકારી થઈ છે, પરંતુ કૌભાંડ થયું નથી તેમ કહી જતીન સોનીને છાવરવામાં આવતાં યુનિવર્સિટીમાં ચર્ચા ઉઠી છે. જતીન સોનીને ક્લિનચીટ આપવામાં આવતાં એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે. અને આગામી સમયમાં ચિફ વિજીલન્સ કમિશ્નરને ફરિયાદ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.