તેમણે આ રાજીનામાંની જાણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરી હતી
સ્થાનિક લોકસેવાના પ્રશ્નો, અલગ અલગ સંસ્થામાં જોડાયેલો હોવાના કારણે વ્યસ્ત રહુ છું : કુંવરજી બાવળિયા
WatchGujarat. તમને જણાવી દઈએ કે આજે કુંવરજી બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જેની જાણ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરી હતી. તેઓ છેલ્લા ચાર વર્ષથી પ્રમુખ પદે હતા.
મળતી વિગતો અનુસાર આજે કુંવરજી બાવળિયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક ટ્વીટ કરવામાં આવ્યું હતું . જેમાં તેમને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવાની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા ચાર વર્ષથી આ પદ સંભાળતા હતા. હવે તેમને આ પદથી રાજીનામું આપ્યું છે.
https://twitter.com/kunvarjibavalia/status/1421769970355036160?s=20
આ અંગેનું કારણ જણાવતા કુંવરજી બાવળિયાએ ટ્વીટમાં લખ્યું હતું કે, સ્થાનિક લોકસેવાના પ્રશ્નો, અલગ અલગ સંસ્થામાં જોડાયેલો હોવાના કારણે વ્યસ્ત રહુ છું. રાષ્ટ્રીય સંગઠનમાં જેટલું કામ થવું જોઇએ તેમાં હું પહોંચી નહોતો વળતો. જેના કારણે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી માંથી હું મુક્ત થઇ રહ્યો છું. આ જવાબદારી કોઇ અન્ય યોગ્ય વ્યક્તિને મળે અને મને મુક્ત કરવામાં આવે. તેમના આ ટ્વીટ બાદ તેમના સમર્થકોએ જુદી જુદી પ્રતિક્રીયા આપી હતી.
નોંધનીય છે કે તેઓ 2017થી અખિલ ભારતીય ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પદેથી કુંવરજી બાવળીયાએ મુક્ત થવાનો નિર્ણય અંગેની જાહેરાત તેમણે વીડિયો બનાવીને પણ કરી હતી. તેમને વીડિયોમાં જણાવ્યું છે કે, કેબિનેટ મંત્રીપદનો કાર્યભાર અને જુદી જુદી સંસ્થામાં જોડાયેલા હોવાથી આ સંગઠનના કામને પહોંચી નહી વળતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
તમને જણાવી દઈએ કે દેશનાં 17 રાજ્યોમાં કોળી સમાજના સંગઠનો ચાલે છે. જેમાં 2017માં દેશના જુદા જુદા 17 રાજ્યના પ્રતિનિધિ તરફથી સર્વસંમતીથી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી. જોકે 2020માં તેમના કાર્યકાળના 3 વર્ષ પુર્ણ થયા હતા. પરંતુ કોરોનાને કારણે તેમને 1 વર્ષ બાદ માટે તેમને વિશેષ એક્સટેન્શન દ્વારા જવાબદારી સોંપાઇ હતી. આ અંગે તેમણે જણાવ્યું છે કે, સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી ઉપરાંત પાણી પુરવઠા, પશુપાલન અને ગામગૌ નિર્માણ વિભાગની જવાબાદારી પણ મારા પર હોવાથી કામનું ભારણ વધારે રહે છે. જેથી હવે આ પદેથી રાજીનામું આપું છું.
તેમણે આ રાજીનામાંની જાણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરી હતી
સ્થાનિક લોકસેવાના પ્રશ્નો, અલગ અલગ સંસ્થામાં જોડાયેલો હોવાના કારણે વ્યસ્ત રહુ છું : કુંવરજી બાવળિયા
WatchGujarat. તમને જણાવી દઈએ કે આજે કુંવરજી બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જેની જાણ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરી હતી. તેઓ છેલ્લા ચાર વર્ષથી પ્રમુખ પદે હતા.
મળતી વિગતો અનુસાર આજે કુંવરજી બાવળિયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક ટ્વીટ કરવામાં આવ્યું હતું . જેમાં તેમને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવાની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા ચાર વર્ષથી આ પદ સંભાળતા હતા. હવે તેમને આ પદથી રાજીનામું આપ્યું છે.
આ અંગેનું કારણ જણાવતા કુંવરજી બાવળિયાએ ટ્વીટમાં લખ્યું હતું કે, સ્થાનિક લોકસેવાના પ્રશ્નો, અલગ અલગ સંસ્થામાં જોડાયેલો હોવાના કારણે વ્યસ્ત રહુ છું. રાષ્ટ્રીય સંગઠનમાં જેટલું કામ થવું જોઇએ તેમાં હું પહોંચી નહોતો વળતો. જેના કારણે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી માંથી હું મુક્ત થઇ રહ્યો છું. આ જવાબદારી કોઇ અન્ય યોગ્ય વ્યક્તિને મળે અને મને મુક્ત કરવામાં આવે. તેમના આ ટ્વીટ બાદ તેમના સમર્થકોએ જુદી જુદી પ્રતિક્રીયા આપી હતી.
નોંધનીય છે કે તેઓ 2017થી અખિલ ભારતીય ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પદેથી કુંવરજી બાવળીયાએ મુક્ત થવાનો નિર્ણય અંગેની જાહેરાત તેમણે વીડિયો બનાવીને પણ કરી હતી. તેમને વીડિયોમાં જણાવ્યું છે કે, કેબિનેટ મંત્રીપદનો કાર્યભાર અને જુદી જુદી સંસ્થામાં જોડાયેલા હોવાથી આ સંગઠનના કામને પહોંચી નહી વળતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
તમને જણાવી દઈએ કે દેશનાં 17 રાજ્યોમાં કોળી સમાજના સંગઠનો ચાલે છે. જેમાં 2017માં દેશના જુદા જુદા 17 રાજ્યના પ્રતિનિધિ તરફથી સર્વસંમતીથી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી. જોકે 2020માં તેમના કાર્યકાળના 3 વર્ષ પુર્ણ થયા હતા. પરંતુ કોરોનાને કારણે તેમને 1 વર્ષ બાદ માટે તેમને વિશેષ એક્સટેન્શન દ્વારા જવાબદારી સોંપાઇ હતી. આ અંગે તેમણે જણાવ્યું છે કે, સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી ઉપરાંત પાણી પુરવઠા, પશુપાલન અને ગામગૌ નિર્માણ વિભાગની જવાબાદારી પણ મારા પર હોવાથી કામનું ભારણ વધારે રહે છે. જેથી હવે આ પદેથી રાજીનામું આપું છું.