યુદ્ધના સ્વરૂપમાં પણ અપેક્ષિત પરિવર્તનો આવી રહયા છે : રાજનાથ સિંહ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સના સમાપન સમારંભમાં હાજરી આપશે
WatchGujarat વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ નજીક ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આજે સવારે કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા હતા. નર્મદા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય એડમિનિસ્ટ્રેટર ડી.એ.શાહ, વડોદરા રેન્જના આઇજી હરિકૃષ્ણ પટેલ તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે તેમનુ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કેવડિયા ડિફેન્સની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમા સૈન્ય સ્તરમાં જોખમના સ્વરૂપ બદલાશે તે માટે જોખમોનો સામનો કરવામાં શસ્ત્ર દળોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમજ યુદ્ધના સ્વરૂપમાં પણ અપેક્ષિત પરિવર્તનો આવી રહયા છે.
સંરક્ષણ મંત્રી માનનીય રાજનાથ સિંહ ગુજરાતમાં કેવડિયા ખાતે આયોજિત કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2021 માં વિવેચના સત્રો માટે સૈન્ય દળોના કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે જોડાયા હતા. ત્યાં તેઓએ ઉદ્ઘાટન સંબોધન કરતા દેશની સુરક્ષા અને એના રક્ષણને અસર કરતા વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી. તેમણે સૈન્ય સ્તરના જોખમનાં સંપૂર્ણ સ્વરૂપ, આ જોખમોનો સામનો કરવામાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભવિષ્યમાં યુદ્ધનાં સ્વરૂપમાં અપેક્ષિત પરિવર્તનો વિશે વિગતવાર વાત કરી હતી.
રાજનાથ સિંહે પીએલએ સાથે પૂર્વ લદાખમાં મડાગાંઠ દરમિયાન સૈનિકોએ દર્શાવેલા નિઃસ્વાર્થ સાહસની પ્રશંસા કરી હતી. તેમજ તેને બિરદાવ્યું પણ હતું. આ પ્રસંગે સંરક્ષણ વિભાગ, સંરક્ષણ ઉત્પાદન, સંશોધન અને વિકાસ વિભાગના સચિવો તથા સંરક્ષણ સેવાના નાણાકીય સલાહકારે કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે વિવિધ પ્રસ્તુત પાસાઓ પર તેમના વિચારો પણ વ્યક્ત કર્યા હતા.
સંરક્ષણ મંત્રીની હાજરીમાં દિવસ દરમિયાન બે સત્રો યોજાયા હતા, જેમાં વિવિધ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ હતી. આ ચર્ચાઓમાં સશસ્ત્ર દળોના હાલ ચાલુ આધુનિકીકરણનો મુદ્દો સામેલ હતો. ખાસ કરીને સંકલિત થિયેટર કમાન્ડ્સ ઊભું કરવું અને આધુનિક ટેકનોલોજીને ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સશસ્ત્ર દળોમાં નૈતિક અને પ્રેરણાત્મક અને નવીનતાના જુસ્સાને પ્રોત્સાહન જેવા મુદ્દા પર ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી. જેમાં ત્રણેય પાંખોના સૈનિકો અને યુવાન અધિકારીઓ પાસેથી ઉપયોગી પ્રતિભાવો અને સૂચનો મળ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે 8.50 કલાકે કેવડિયા આવશે અને ડિફેન્સ કોન્ફરન્સમાં સંબોધન કરશે. કેવડિયા ટેન્ટસિટી 2 ખાતે ડિફેન્સની રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા હેલિપેડ ઉતરાણ કર્યા બાદ સીધા કોન્ફરન્સમાં જવા રવાના થશે. કોન્ફરન્સમાં PM સંબોધન કરશે. ત્યારે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ, દેશની ત્રણેય પાંખના વડા તેમજ કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2021માં આવેલ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ બપોરે 3.30 કલાકે કેવડિયાથી અમદાવાદ જવા રવાના થશે.
યુદ્ધના સ્વરૂપમાં પણ અપેક્ષિત પરિવર્તનો આવી રહયા છે : રાજનાથ સિંહ
WatchGujarat વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ નજીક ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આજે સવારે કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા હતા. નર્મદા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય એડમિનિસ્ટ્રેટર ડી.એ.શાહ, વડોદરા રેન્જના આઇજી હરિકૃષ્ણ પટેલ તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે તેમનુ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કેવડિયા ડિફેન્સની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમા સૈન્ય સ્તરમાં જોખમના સ્વરૂપ બદલાશે તે માટે જોખમોનો સામનો કરવામાં શસ્ત્ર દળોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમજ યુદ્ધના સ્વરૂપમાં પણ અપેક્ષિત પરિવર્તનો આવી રહયા છે.
સંરક્ષણ મંત્રી માનનીય રાજનાથ સિંહ ગુજરાતમાં કેવડિયા ખાતે આયોજિત કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2021 માં વિવેચના સત્રો માટે સૈન્ય દળોના કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે જોડાયા હતા. ત્યાં તેઓએ ઉદ્ઘાટન સંબોધન કરતા દેશની સુરક્ષા અને એના રક્ષણને અસર કરતા વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી. તેમણે સૈન્ય સ્તરના જોખમનાં સંપૂર્ણ સ્વરૂપ, આ જોખમોનો સામનો કરવામાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભવિષ્યમાં યુદ્ધનાં સ્વરૂપમાં અપેક્ષિત પરિવર્તનો વિશે વિગતવાર વાત કરી હતી.
રાજનાથ સિંહે પીએલએ સાથે પૂર્વ લદાખમાં મડાગાંઠ દરમિયાન સૈનિકોએ દર્શાવેલા નિઃસ્વાર્થ સાહસની પ્રશંસા કરી હતી. તેમજ તેને બિરદાવ્યું પણ હતું. આ પ્રસંગે સંરક્ષણ વિભાગ, સંરક્ષણ ઉત્પાદન, સંશોધન અને વિકાસ વિભાગના સચિવો તથા સંરક્ષણ સેવાના નાણાકીય સલાહકારે કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે વિવિધ પ્રસ્તુત પાસાઓ પર તેમના વિચારો પણ વ્યક્ત કર્યા હતા.
સંરક્ષણ મંત્રીની હાજરીમાં દિવસ દરમિયાન બે સત્રો યોજાયા હતા, જેમાં વિવિધ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ હતી. આ ચર્ચાઓમાં સશસ્ત્ર દળોના હાલ ચાલુ આધુનિકીકરણનો મુદ્દો સામેલ હતો. ખાસ કરીને સંકલિત થિયેટર કમાન્ડ્સ ઊભું કરવું અને આધુનિક ટેકનોલોજીને ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સશસ્ત્ર દળોમાં નૈતિક અને પ્રેરણાત્મક અને નવીનતાના જુસ્સાને પ્રોત્સાહન જેવા મુદ્દા પર ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી. જેમાં ત્રણેય પાંખોના સૈનિકો અને યુવાન અધિકારીઓ પાસેથી ઉપયોગી પ્રતિભાવો અને સૂચનો મળ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે 8.50 કલાકે કેવડિયા આવશે અને ડિફેન્સ કોન્ફરન્સમાં સંબોધન કરશે. કેવડિયા ટેન્ટસિટી 2 ખાતે ડિફેન્સની રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા હેલિપેડ ઉતરાણ કર્યા બાદ સીધા કોન્ફરન્સમાં જવા રવાના થશે. કોન્ફરન્સમાં PM સંબોધન કરશે. ત્યારે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ, દેશની ત્રણેય પાંખના વડા તેમજ કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2021માં આવેલ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ બપોરે 3.30 કલાકે કેવડિયાથી અમદાવાદ જવા રવાના થશે.