નારાજ સાંસદનો યુ ટર્ન : રૂપાણી સરકાર અને એમના મંત્રીમંડળના કર્યા ખોબલે ખોબલે વખાણ
9.22 મિનિટના સાંસદ ના ભાષણમાં રાજ્ય સરકારને 4 વખત સલામ, 23 વખત CM સાહેબનું નામ લઈ ગુજરાતમાં કામગીરી બિરદાવી
WatchGujarat. તિલકવાડામાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણના મુખ્યમંત્રીના હસ્તે આરંભના આયોજિત કાર્યક્રમમાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે નારાજ થઈ ધરાર રાજીનામુ આપી દેનાર સાંસદનો જાહેરમંચ પર યુટર્ન જોવા મળ્યો હતો. ઇકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રીઓ રદ કરાતા તેઓ રૂપાણી સરકારના વખાણ અને આભાર માનતા થાક્યા ન હતા.
121 ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ પાડેલી એન્ટ્રીઓ રદ કરતા સાંસદ મનસુખ વસાવા વિજય રૂપાણી સરકાર અને તેમના મંત્રી મંડળ ઉપર ઓવારી ગયા હતા. MP મનસુખ વસાવા એ પોતાના 9.22 મિનિટના ભાષણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબનું નામ 23 વખત બોલી, જ્યારે તેઓના મંત્રીઓના નામ 11 વખત લઈ તેઓની કામગીરી અને સરકારના ખોબલે ખોબલે વખાણ કરી 4 વખત સલામ ભરી હતી. ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા બદલ દિલથી રૂપાણી સરકારનો આભાર માણ્યો હતો.
નર્મદા જિલ્લામાં 121 ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈ વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવા PM મોદી તથા CM રૂપાણીને લેખિત રજુઆત કરી હતી, તે છતાં સરકારે કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી.
દરમિયાન સાંસદે પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરી ભાજપ માંથી ધરાર રાજીનામુ ધરી દીધું હતું. સાંસદે ઈકો સેન્સેટિવ ઝોન વિરુદ્ધમાં રાજીનામુ આપ્યું હોવાનું ભાજપ હાઈ કમાન્ડ સમજી જતા 20 કલાકની અંદર જ તેઓને મનાવી લેવાયા હતા.
ગાંધીનગરમાં વન મંત્રી ગણપત વસાવાએ આદિવાસી આગેવાનો સાથે બેઠક કરી અને CM રૂપાણીએ આદેશ આપ્યો કે ઈકો સેન્સેટિવ ઝોનના નામની એન્ટ્રી રદ કરો. ગુરુવારે તિલકવાડા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાયેલ કિસાન સૂર્યોદય યોજના શુભારંભ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ એ જ ઘટનાને વાગોળી મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર અને તેમના મંત્રી મંડળના વખાણ કરવામાં કોઈ કચાશ છોડી ન હતી.
MP મનસુખ વસાવાએ જાહેરમંચ પરથી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાચા અર્થમાં ગરીબો અને આદિવાસીઓની ચિંતા કરે છે. એમણે આદીવાસી વિસ્તારમાં પેસા એક્ટનો અમલ કરાવ્યો, જંગલની જમીન આદિવાસીઓને આપવાનો નિર્ણય કર્યો. નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા નારાજગી પેદા થઈ હતી. મેં પોતે એમને રજુઆત કરી ત્યારે એમણે આ મામલે અભ્યાસ કર્યો વન મંત્રી ગણપત વસાવા અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી, ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી રદ કરવાનો નિર્ણય કર્યો.
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું મારા જિલ્લાના આદિવાસીઓ વતી રૂપાણી સાહેબ તમારો હું દિલથી આભાર વ્યક્ત કરું છુ. સાંસદ તેમના 9.22 મિનિટના ભાષણમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના વખાણ કરતા થાક્યા ન હતા. નાનો અને ગરીબ માણસ મોટો થાય એ માટે CM વિજય રૂપાણી કાર્યરત છે. હાલ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના બધા પ્રશ્નો હલ થયા છે.
અંતમાં પાણી માટે રૂપાણી સરકાર ઉત્તમ કાર્ય કરી રહી હોવાનું ઉમેરી સાંસદે એક કિસ્સો યાદ કરતા જણાવ્યું કે, હું નેત્રંગ તાલુકાના વણખૂંટા ગામે 12 માં ના ભજનમાં ગયો હતો. તો એ ગામમાં ખેતરે રાત્રે પાણી વાળવામાં એક વૃદ્ધને સાપ કરડ્તા એનું મૃત્યુ થયું હતું ત્યારે આદિવાસી ગ્રામજનોએ સામેથી કિસાન સૂર્યોદય યોજનાને યાદ કરી ખેડૂતોને દિવસે વીજળીને બિરદાવી હતી. યોજના માટે આદિવાસી ખેડૂતોએ વિજયભાઈ અને સોરભભાઈને સલામ ભરી આ ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો હતો.
સાંસદે તેમના સંબોધનમાં 34 વખત ગુજરાત સરકાર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ અને તેમના મંત્રીઓના નામ લઈ કામગીરીને ખોબલે ખોબલે બિરદાવી હતી.
નારાજ સાંસદનો યુ ટર્ન : રૂપાણી સરકાર અને એમના મંત્રીમંડળના કર્યા ખોબલે ખોબલે વખાણ
9.22 મિનિટના સાંસદ ના ભાષણમાં રાજ્ય સરકારને 4 વખત સલામ, 23 વખત CM સાહેબનું નામ લઈ ગુજરાતમાં કામગીરી બિરદાવી
WatchGujarat. તિલકવાડામાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણના મુખ્યમંત્રીના હસ્તે આરંભના આયોજિત કાર્યક્રમમાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે નારાજ થઈ ધરાર રાજીનામુ આપી દેનાર સાંસદનો જાહેરમંચ પર યુટર્ન જોવા મળ્યો હતો. ઇકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રીઓ રદ કરાતા તેઓ રૂપાણી સરકારના વખાણ અને આભાર માનતા થાક્યા ન હતા.
121 ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ પાડેલી એન્ટ્રીઓ રદ કરતા સાંસદ મનસુખ વસાવા વિજય રૂપાણી સરકાર અને તેમના મંત્રી મંડળ ઉપર ઓવારી ગયા હતા. MP મનસુખ વસાવા એ પોતાના 9.22 મિનિટના ભાષણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબનું નામ 23 વખત બોલી, જ્યારે તેઓના મંત્રીઓના નામ 11 વખત લઈ તેઓની કામગીરી અને સરકારના ખોબલે ખોબલે વખાણ કરી 4 વખત સલામ ભરી હતી. ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા બદલ દિલથી રૂપાણી સરકારનો આભાર માણ્યો હતો.
નર્મદા જિલ્લામાં 121 ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈ વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવા PM મોદી તથા CM રૂપાણીને લેખિત રજુઆત કરી હતી, તે છતાં સરકારે કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી.
દરમિયાન સાંસદે પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરી ભાજપ માંથી ધરાર રાજીનામુ ધરી દીધું હતું. સાંસદે ઈકો સેન્સેટિવ ઝોન વિરુદ્ધમાં રાજીનામુ આપ્યું હોવાનું ભાજપ હાઈ કમાન્ડ સમજી જતા 20 કલાકની અંદર જ તેઓને મનાવી લેવાયા હતા.
ગાંધીનગરમાં વન મંત્રી ગણપત વસાવાએ આદિવાસી આગેવાનો સાથે બેઠક કરી અને CM રૂપાણીએ આદેશ આપ્યો કે ઈકો સેન્સેટિવ ઝોનના નામની એન્ટ્રી રદ કરો. ગુરુવારે તિલકવાડા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાયેલ કિસાન સૂર્યોદય યોજના શુભારંભ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ એ જ ઘટનાને વાગોળી મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર અને તેમના મંત્રી મંડળના વખાણ કરવામાં કોઈ કચાશ છોડી ન હતી.
MP મનસુખ વસાવાએ જાહેરમંચ પરથી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાચા અર્થમાં ગરીબો અને આદિવાસીઓની ચિંતા કરે છે. એમણે આદીવાસી વિસ્તારમાં પેસા એક્ટનો અમલ કરાવ્યો, જંગલની જમીન આદિવાસીઓને આપવાનો નિર્ણય કર્યો. નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા નારાજગી પેદા થઈ હતી. મેં પોતે એમને રજુઆત કરી ત્યારે એમણે આ મામલે અભ્યાસ કર્યો વન મંત્રી ગણપત વસાવા અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી, ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી રદ કરવાનો નિર્ણય કર્યો.
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું મારા જિલ્લાના આદિવાસીઓ વતી રૂપાણી સાહેબ તમારો હું દિલથી આભાર વ્યક્ત કરું છુ. સાંસદ તેમના 9.22 મિનિટના ભાષણમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના વખાણ કરતા થાક્યા ન હતા. નાનો અને ગરીબ માણસ મોટો થાય એ માટે CM વિજય રૂપાણી કાર્યરત છે. હાલ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના બધા પ્રશ્નો હલ થયા છે.
અંતમાં પાણી માટે રૂપાણી સરકાર ઉત્તમ કાર્ય કરી રહી હોવાનું ઉમેરી સાંસદે એક કિસ્સો યાદ કરતા જણાવ્યું કે, હું નેત્રંગ તાલુકાના વણખૂંટા ગામે 12 માં ના ભજનમાં ગયો હતો. તો એ ગામમાં ખેતરે રાત્રે પાણી વાળવામાં એક વૃદ્ધને સાપ કરડ્તા એનું મૃત્યુ થયું હતું ત્યારે આદિવાસી ગ્રામજનોએ સામેથી કિસાન સૂર્યોદય યોજનાને યાદ કરી ખેડૂતોને દિવસે વીજળીને બિરદાવી હતી. યોજના માટે આદિવાસી ખેડૂતોએ વિજયભાઈ અને સોરભભાઈને સલામ ભરી આ ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો હતો.
સાંસદે તેમના સંબોધનમાં 34 વખત ગુજરાત સરકાર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ અને તેમના મંત્રીઓના નામ લઈ કામગીરીને ખોબલે ખોબલે બિરદાવી હતી.