કેવડિયા SOU ની પવિત્ર ધરા પર દેશનું લઘુ ભારત
બાળકો, યુવાઓ, મહિલાઓ, વૃદ્ધઓ, સ્થાનિક આદિવાસીઓ સહિતના માટે અહીં બધું જ પર્યાપ્ત
કેવડિયા નાનો ખંડ નહિ પણ વિશ્વનું સૌથી મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું, નવા રેલ અધ્યાયના આરંભથી SOU આગામી સમયમાં રોજ 1 લાખ પ્રવાસી આવશે
[caption id="attachment_5258" align="aligncenter" width="1280"] Statue of Unity[/caption]
WatchGujarat. કેવડિયા SOU રેલવે સ્ટેશન અને 8 ટ્રેનોના ઉદ્ઘાટન પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેવડિયા હવે નાનો ખંડ નથી, વિશ્વના સૌથી મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે. SOU ને રેલ કનેક્ટિવિટી મળતા આગામી સમયમાં રોજ 1 લાખ પ્રવાસી આવવાની સંભાવના છે.
અત્યાર સુધી SOU ની કોરોનામાં મહિનાઓ સુધી લોકડાઉન રહ્યાં છતા પણ 50 લાખ લોકોએ SOU ની મુલાકાત લીધી છે. નાનો ખંડ કેવડિયા ભારતીય રેલવે સાથે આજથી જોડાઈ જતા આગામી સમયમાં રોજ 1 લાખ પ્રવાસીઓ આવશે તેવું સર્વેમાં બહાર આવ્યું હોવાનું PM એ કહ્યું હતું. વિશ્વના સૌથી મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે કેવડિયા ઉભરી રહ્યું છે. રેકોર્ડ બ્રેક સમયમાં કેવડિયા રેલવે સ્ટેશન અને SOU ને દેશ સાથે જોડવાની કામગીરી પૂર્ણ કરાઇ છે.
નાનકડું કેવડિયા ઉત્તમ ઉદાહરણ પર્યાવરણની રક્ષા કરી ઇકોનોમી અને ઇકોલોજીનો કેવી રીતે તેજીથી વિકાસ કરી શકાય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું હતું. દેશના તમામ લોકો, અગ્રણીઓ, નેતાઓને કેવડીયાની એક વખત વિકાસ યાત્રા જોવા જણાવી, દેશના વિકાસની આ યાત્રા જોઈ ગર્વ અનુભવશો તેમ PM એ વધુમાં પ્રજા જોગ કહ્યું હતું.
વધુમાં PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે કેવડિયા શહેર કમ્પ્લેટ ફેમિલી પેકેજ તરીકે સેવા આપી રહ્યું છે. અહીં બાળકો, યુવાઓ, મહિલાઓ, વૃદ્ધઓ માટે બધું જ છે. પહોળા રસ્તા, ટેન્ટ સિટી, અન્ય સુવિધાઓ, આકર્ષણો, મોબાઈલ કનેક્ટિવિટી, હોસ્પિટલો, સી-પ્લેન, સ્ટે હોમ પ્રોજેકટ, રોજગારી, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, સરદાર સરોવર નર્મદા ડેમ, પવિત્ર યાત્રાધામાં સહિત ડેમ અને SOU ની ભવ્યતાનો અહેસાસ કેવડિયા પહોંચીને જ કરી શકાય.
આજે કેવડીયામાં વિશેષ દિવસ, નવો અધ્યાય છે. કેવડિયા SOU ની પવિત્ર ધરા પર દેશનું લઘુ ભારત દેખાશે તેમ અંતમાં કહ્યું હતું.
કેવડિયા SOU ની પવિત્ર ધરા પર દેશનું લઘુ ભારત
બાળકો, યુવાઓ, મહિલાઓ, વૃદ્ધઓ, સ્થાનિક આદિવાસીઓ સહિતના માટે અહીં બધું જ પર્યાપ્ત
કેવડિયા નાનો ખંડ નહિ પણ વિશ્વનું સૌથી મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું, નવા રેલ અધ્યાયના આરંભથી SOU આગામી સમયમાં રોજ 1 લાખ પ્રવાસી આવશે
[caption id="attachment_5258" align="aligncenter" width="1280"] Statue of Unity[/caption]
WatchGujarat. કેવડિયા SOU રેલવે સ્ટેશન અને 8 ટ્રેનોના ઉદ્ઘાટન પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેવડિયા હવે નાનો ખંડ નથી, વિશ્વના સૌથી મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે. SOU ને રેલ કનેક્ટિવિટી મળતા આગામી સમયમાં રોજ 1 લાખ પ્રવાસી આવવાની સંભાવના છે.
અત્યાર સુધી SOU ની કોરોનામાં મહિનાઓ સુધી લોકડાઉન રહ્યાં છતા પણ 50 લાખ લોકોએ SOU ની મુલાકાત લીધી છે. નાનો ખંડ કેવડિયા ભારતીય રેલવે સાથે આજથી જોડાઈ જતા આગામી સમયમાં રોજ 1 લાખ પ્રવાસીઓ આવશે તેવું સર્વેમાં બહાર આવ્યું હોવાનું PM એ કહ્યું હતું. વિશ્વના સૌથી મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે કેવડિયા ઉભરી રહ્યું છે. રેકોર્ડ બ્રેક સમયમાં કેવડિયા રેલવે સ્ટેશન અને SOU ને દેશ સાથે જોડવાની કામગીરી પૂર્ણ કરાઇ છે.
નાનકડું કેવડિયા ઉત્તમ ઉદાહરણ પર્યાવરણની રક્ષા કરી ઇકોનોમી અને ઇકોલોજીનો કેવી રીતે તેજીથી વિકાસ કરી શકાય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું હતું. દેશના તમામ લોકો, અગ્રણીઓ, નેતાઓને કેવડીયાની એક વખત વિકાસ યાત્રા જોવા જણાવી, દેશના વિકાસની આ યાત્રા જોઈ ગર્વ અનુભવશો તેમ PM એ વધુમાં પ્રજા જોગ કહ્યું હતું.
વધુમાં PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે કેવડિયા શહેર કમ્પ્લેટ ફેમિલી પેકેજ તરીકે સેવા આપી રહ્યું છે. અહીં બાળકો, યુવાઓ, મહિલાઓ, વૃદ્ધઓ માટે બધું જ છે. પહોળા રસ્તા, ટેન્ટ સિટી, અન્ય સુવિધાઓ, આકર્ષણો, મોબાઈલ કનેક્ટિવિટી, હોસ્પિટલો, સી-પ્લેન, સ્ટે હોમ પ્રોજેકટ, રોજગારી, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, સરદાર સરોવર નર્મદા ડેમ, પવિત્ર યાત્રાધામાં સહિત ડેમ અને SOU ની ભવ્યતાનો અહેસાસ કેવડિયા પહોંચીને જ કરી શકાય.
આજે કેવડીયામાં વિશેષ દિવસ, નવો અધ્યાય છે. કેવડિયા SOU ની પવિત્ર ધરા પર દેશનું લઘુ ભારત દેખાશે તેમ અંતમાં કહ્યું હતું.