કેવડિયામાં બીજી વખત ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહની અધ્યક્ષતામાં 3 થી 6 માર્ચ ઓલ ઇન્ડિયા DG કોંફરન્સ
વડાપ્રધાન મોદીનું 5 માર્ચે ગુજરાતમાં આગમન, કેવડીયામાં રાત્રી રોકાણ કરી 6 માર્ચે સમાપન સંબોધન
મોદી PM બન્યા બાદ વર્ષ 2014 થી દિલ્હી બહાર યોજાતી DG કોંફરન્સ
દેશની 3 પાંખ એરફોર્સ, નેવી અને આર્મીના વડા પણ રાષ્ટ્રીય DG કોન્ફરન્સમાં હાજરી આપશે
WatchGujarat. કેવડિયા SOU PM મોદીના વર્લ્ડ કલાસ ટુરિસ્ટ ડ્રિમ ડેસ્ટિનેશન સાથે રાષ્ટ્રીય સમિટ માટેનું પણ પ્રથમ હરોળનું સ્થળ બની ગયું છે. વર્ષ 2018માં SOU ખાતે પેહલી ઓલ ઇન્ડિયા ડાયરેકટર જનરલ ઓફ પોલીસની સભા મળ્યા બાદ 2021 માં બીજી વખત યોજવા જઈ રહી છે.
SOU કેવડિયામાં ફરી એકવાર 4 મહિના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ધમધમાટ શરૂ થયો છે. કેવડિયા સ્થિત ટેન્ટ સિટી ખાતે આગામી 3 થી 6 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ યોજાવાની છે. સૂચિત કાર્યક્રમ મુજબ, PM મોદી 5 માર્ચે કેવડિયા આવશે. રાત્રિ રોકાણ દરબારી ટેન્ટમાં કર્યાં બાદ 6 માર્ચે રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સના સમાપન સમારોહમાં હાજરી આપશે.
DG કોન્ફરન્સને લઈને ગત સપ્તાહમાં દેશના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે કેવડિયા SOU ની મુલાકાત લીધી હતી. હેલિકોપ્ટર દ્વારા સીધા કેવડિયા કોલોની હેલિકોપ્ટર ખાતે આવીને તેઓએ હેલિપેડથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર જોઇને ટેન્ટ સિટી હોલ સહિતની તમામ જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું.
ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ ટેન્ટ સિટી-1 ખાતે રોકાણ કરશે. જ્યારે ટેન્ટ સિટી 2 માં કોંફરન્સ આયોજિત કરાશે. આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેની મુલાકાતને લઈને તંત્ર સજ્જ થયું હતું. તેમણે રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ વાત પણ કરી હોવાથી તંત્ર દ્વારા ત્યારથી જ તૈયારીઓ આરંભી દેવાઈ છે.
કેવડિયા સ્થિત ટેન્ટ સિટી ખાતે કોન્ફરન્સ યોજાશે અને સંરક્ષણ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ ટેન્ટ સિટી-1 ખાતે રોકાણ કરશે. આ 4 દિવસોમાં આ વિસ્તાર બિલકુલ બંધ કરી દેવામાં આવશે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ યોજાશે. ડિફેન્સની કોન્ફરન્સમાં દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓના વડાઓ, પીએમ મોદી તેમજ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. 3 તારીખે બપોર સુધી અધિકારીઓ આવી પહોંચશે અને રક્ષા મંત્રી રાજનાથસિંહ સીધા ટેન્ટ સિટી ખાતે પહોંચી જશે. રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સમાં દેશની ત્રણેય પાંખના વડાઓ પણ ઉપસ્થિત રહેશે.
રક્ષા મંત્રીનો 3 દિવસ મુકામ કેવડિયા SOU ખાતે જ રહેશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 2014 થી DG કોંફરન્સ દિલ્હી બહાર યોજાઈ રહ્યું છે. વર્ષ 2014 માં ગુવાહાટી, 2015માં કચ્છ, 2016માં હૈદરાબાદ, 2017 ટેકનપુર, 2018 કેવડિયા SOU, 2019 પુણે અને 2020 માં કોરોના ને કારણે વર્ચ્યુલ આયોજન કરાયું હતું.
- કેવડિયામાં બીજી વખત ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહની અધ્યક્ષતામાં 3 થી 6 માર્ચ ઓલ ઇન્ડિયા DG કોંફરન્સ
- વડાપ્રધાન મોદીનું 5 માર્ચે ગુજરાતમાં આગમન, કેવડીયામાં રાત્રી રોકાણ કરી 6 માર્ચે સમાપન સંબોધન
- મોદી PM બન્યા બાદ વર્ષ 2014 થી દિલ્હી બહાર યોજાતી DG કોંફરન્સ
- દેશની 3 પાંખ એરફોર્સ, નેવી અને આર્મીના વડા પણ રાષ્ટ્રીય DG કોન્ફરન્સમાં હાજરી આપશે
WatchGujarat. કેવડિયા SOU PM મોદીના વર્લ્ડ કલાસ ટુરિસ્ટ ડ્રિમ ડેસ્ટિનેશન સાથે રાષ્ટ્રીય સમિટ માટેનું પણ પ્રથમ હરોળનું સ્થળ બની ગયું છે. વર્ષ 2018માં SOU ખાતે પેહલી ઓલ ઇન્ડિયા ડાયરેકટર જનરલ ઓફ પોલીસની સભા મળ્યા બાદ 2021 માં બીજી વખત યોજવા જઈ રહી છે.
SOU કેવડિયામાં ફરી એકવાર 4 મહિના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ધમધમાટ શરૂ થયો છે. કેવડિયા સ્થિત ટેન્ટ સિટી ખાતે આગામી 3 થી 6 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ યોજાવાની છે. સૂચિત કાર્યક્રમ મુજબ, PM મોદી 5 માર્ચે કેવડિયા આવશે. રાત્રિ રોકાણ દરબારી ટેન્ટમાં કર્યાં બાદ 6 માર્ચે રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સના સમાપન સમારોહમાં હાજરી આપશે.
DG કોન્ફરન્સને લઈને ગત સપ્તાહમાં દેશના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે કેવડિયા SOU ની મુલાકાત લીધી હતી. હેલિકોપ્ટર દ્વારા સીધા કેવડિયા કોલોની હેલિકોપ્ટર ખાતે આવીને તેઓએ હેલિપેડથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર જોઇને ટેન્ટ સિટી હોલ સહિતની તમામ જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું.
ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ ટેન્ટ સિટી-1 ખાતે રોકાણ કરશે. જ્યારે ટેન્ટ સિટી 2 માં કોંફરન્સ આયોજિત કરાશે. આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેની મુલાકાતને લઈને તંત્ર સજ્જ થયું હતું. તેમણે રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ વાત પણ કરી હોવાથી તંત્ર દ્વારા ત્યારથી જ તૈયારીઓ આરંભી દેવાઈ છે.
કેવડિયા સ્થિત ટેન્ટ સિટી ખાતે કોન્ફરન્સ યોજાશે અને સંરક્ષણ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ ટેન્ટ સિટી-1 ખાતે રોકાણ કરશે. આ 4 દિવસોમાં આ વિસ્તાર બિલકુલ બંધ કરી દેવામાં આવશે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ યોજાશે. ડિફેન્સની કોન્ફરન્સમાં દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓના વડાઓ, પીએમ મોદી તેમજ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. 3 તારીખે બપોર સુધી અધિકારીઓ આવી પહોંચશે અને રક્ષા મંત્રી રાજનાથસિંહ સીધા ટેન્ટ સિટી ખાતે પહોંચી જશે. રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સમાં દેશની ત્રણેય પાંખના વડાઓ પણ ઉપસ્થિત રહેશે.
રક્ષા મંત્રીનો 3 દિવસ મુકામ કેવડિયા SOU ખાતે જ રહેશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 2014 થી DG કોંફરન્સ દિલ્હી બહાર યોજાઈ રહ્યું છે. વર્ષ 2014 માં ગુવાહાટી, 2015માં કચ્છ, 2016માં હૈદરાબાદ, 2017 ટેકનપુર, 2018 કેવડિયા SOU, 2019 પુણે અને 2020 માં કોરોના ને કારણે વર્ચ્યુલ આયોજન કરાયું હતું.