વડાપ્રધાનના મતવિસ્તારથી વિરાટ પ્રતિમા SOU પહોંચવા લોકોનો અદમ્ય ઉત્સાહ.
PM મોદીના હસ્તે 17 મી એ 8 ટ્રેનોનું ઉદ્ઘાટન સફર સાથે નિયમિત તારીખો અને રિઝર્વેશન શરૂ કરાયું.
કેવડિયા - પ્રતાપનગર 4 જોડ મેમુ, દાદર - કેવડિયાનું બુકીંગ શનિવારથી શરૂ.
અમદાવાદ - કેવડિયા વિસ્તાડોમ કોચ જનશતાબ્દીનું રિઝર્વેશન રવિવારથી ખુલશે.
હજરત નિઝામુદ્દીન - કેવડિયા, ચેન્નાઇ - કેવડિયા, રેવા - કેવડિયાનું આરક્ષણ 18 જાન્યુઆરી સોમવારથી
WatchGujarat. સરદાર પટેલની વિશ્વ વિરાટ પ્રતિમા SOU રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડાઈ જશે. ઉદ્ઘાટન પ્રસંગે 8 ટ્રેનોને એક સાથે કેવડિયા ખાતે પ્રસ્થાન કરાવાશે. રેલવે દ્વારા શનિવારે વારાણસી - કેવડિયા મહામના ટ્રેનનું રિઝર્વેશન શરૂ કરાતા ગણતરીના કલાકમાં જ ટ્રેનનું બુકીંગ 21 જાન્યુઆરી માટે હાઉસફુલ થઈ ગયું હતું.
પ્રતાપનગર - કેવડિયા વચ્ચે 4 જોડી ટ્રેનો બન્ને તરફ દોડાવવામાં આવનાર છે. રેલવે દ્વારા તેનું બુકીંગ 16 જાન્યુઆરીથી શરૂ કરાયું છે. જેનું ભાડુ રૂપિયા 60 નિયત કરાયું છે. દાદર - કેવડિયા સુપરફાસ્ટ ટ્રેનનું બુકીંગ પણ આજથી જ ખુલ્યું હતું. આ ટ્રેનને વડોદરાથી કેવડિયા લંબાવવામાં આવી છે. જ્યારે PM ના મતવિસ્તાર વારાણસીથી કેવડિયા સુધીની મહામના ટ્રેનને પણ વડોદરા સ્ટોપેજ અપાયું છે.
વડાપ્રધાનના મત વિસ્તાર વારાણસીથી કેવડિયા દોડનારી સાપ્તાહિક મહામના ટ્રેનનું 21 જાન્યુઆરીનું બુકીંગ ખુલતા સાથે જ હાઉસફુલ થઇ ગયું છે. જ્યારે 2 જોડમાં દોડનારી અમદાવાદ - કેવડિયા જનશતાબ્દી ટ્રેનની નિયત સફર 17 જાન્યુઆરીથી શરૂ થશે. આ ટ્રેનનું બુકીંગ રવિવારથી ખુલશે. કેવડિયા - હજરત નિઝામુદ્દીન, રેવા અને ચેન્નાઇ ટ્રેનનું પણ રેગ્યુલર બુકીંગ 18 મી થી મુસાફરો કરાવી શકશે.
વારાણસીથી કેવડીયાનું ₹475 થી 5000 ભાડુ
શનિવારે વારાણસી - કેવડિયા મહામના ટ્રેનનું 21 જાન્યુઆરીનું બુકીગ ખુલતા જ સેકન્ડ કલાસ (2S) ભાડુ ₹475, માં 60 વેઇટિંગ, સ્લીપર કલાસમાં 94 વેઇટિંગ ભાડુ ₹ 780, 3AC ભાડુ ₹2045, વેઇટિંગ 13, 2AC ભાડુ ₹2940 1WL અને 1st AC ભાડુ ₹5000માં 2 વેઇટિંગ બપોર સુધીમાં જ થઈ ગયા હતા.
વડાપ્રધાનના મતવિસ્તારથી વિરાટ પ્રતિમા SOU પહોંચવા લોકોનો અદમ્ય ઉત્સાહ.
PM મોદીના હસ્તે 17 મી એ 8 ટ્રેનોનું ઉદ્ઘાટન સફર સાથે નિયમિત તારીખો અને રિઝર્વેશન શરૂ કરાયું.
WatchGujarat. સરદાર પટેલની વિશ્વ વિરાટ પ્રતિમા SOU રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડાઈ જશે. ઉદ્ઘાટન પ્રસંગે 8 ટ્રેનોને એક સાથે કેવડિયા ખાતે પ્રસ્થાન કરાવાશે. રેલવે દ્વારા શનિવારે વારાણસી - કેવડિયા મહામના ટ્રેનનું રિઝર્વેશન શરૂ કરાતા ગણતરીના કલાકમાં જ ટ્રેનનું બુકીંગ 21 જાન્યુઆરી માટે હાઉસફુલ થઈ ગયું હતું.
પ્રતાપનગર - કેવડિયા વચ્ચે 4 જોડી ટ્રેનો બન્ને તરફ દોડાવવામાં આવનાર છે. રેલવે દ્વારા તેનું બુકીંગ 16 જાન્યુઆરીથી શરૂ કરાયું છે. જેનું ભાડુ રૂપિયા 60 નિયત કરાયું છે. દાદર - કેવડિયા સુપરફાસ્ટ ટ્રેનનું બુકીંગ પણ આજથી જ ખુલ્યું હતું. આ ટ્રેનને વડોદરાથી કેવડિયા લંબાવવામાં આવી છે. જ્યારે PM ના મતવિસ્તાર વારાણસીથી કેવડિયા સુધીની મહામના ટ્રેનને પણ વડોદરા સ્ટોપેજ અપાયું છે.
વડાપ્રધાનના મત વિસ્તાર વારાણસીથી કેવડિયા દોડનારી સાપ્તાહિક મહામના ટ્રેનનું 21 જાન્યુઆરીનું બુકીંગ ખુલતા સાથે જ હાઉસફુલ થઇ ગયું છે. જ્યારે 2 જોડમાં દોડનારી અમદાવાદ - કેવડિયા જનશતાબ્દી ટ્રેનની નિયત સફર 17 જાન્યુઆરીથી શરૂ થશે. આ ટ્રેનનું બુકીંગ રવિવારથી ખુલશે. કેવડિયા - હજરત નિઝામુદ્દીન, રેવા અને ચેન્નાઇ ટ્રેનનું પણ રેગ્યુલર બુકીંગ 18 મી થી મુસાફરો કરાવી શકશે.
વારાણસીથી કેવડીયાનું ₹475 થી 5000 ભાડુ
શનિવારે વારાણસી - કેવડિયા મહામના ટ્રેનનું 21 જાન્યુઆરીનું બુકીગ ખુલતા જ સેકન્ડ કલાસ (2S) ભાડુ ₹475, માં 60 વેઇટિંગ, સ્લીપર કલાસમાં 94 વેઇટિંગ ભાડુ ₹ 780, 3AC ભાડુ ₹2045, વેઇટિંગ 13, 2AC ભાડુ ₹2940 1WL અને 1st AC ભાડુ ₹5000માં 2 વેઇટિંગ બપોર સુધીમાં જ થઈ ગયા હતા.