માલદીવ થી ઉડાન ભરી સી પ્લેન કેવડિયા આવ્યા બાદ સાબરમતી પહોંચ્યું
31 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સી પ્લેનનું કરશે લોકાર્પણ
વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 220 KM સાબરમતીથી કેવડીયાની સફર 45 મિનિટમાં થશે પૂર્ણ
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે 36 નજારાઓ ને લઈ 2 દિવસનું પીકનીક પોઇન્ટ પણ પરિવાર માટે ઓછું પડી શકે છે. અનેક આકર્ષણો વચ્ચે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી થી સ્ટેચ્યુ સુધીની 220 કિમી ની સી પ્લેનની સફર આ વિશ્વના સૌથી લોકપ્રિય સ્થળે શરૂ કરવાના છે.
કેવડિયા ખાતે સી પ્લેન સોમવારે બપોરે પહોંચી ગયું હતું. બે વિદેશી પાયલોટ સાથે સી પ્લેન કેવડિયા પહોંચી જતા તેનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ગોવાથી સી પ્લેન ગુજરાત આવી ગયું હતુઁ. કેવડિયા ખાતે સી પ્લેનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કેવડિયા બાદ સી પ્લેન અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંજે આવી પોહચ્યું હતું. સી પ્લેનની માલદીવ, ગોવા થઈ કેવડિયા અને સબરમતીની સફર સફળ રહી હતી. નોંધનીય છે કે, 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે.
વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પ્રવાસીઓ સી પ્લેન થકી જળ માર્ગે, હેલિકોપટરથી હવાઈ માર્ગે, ટ્રેન થી રેલ માર્ગે, વાહનોથી મોટર માર્ગે તેમજ રોપ વે થી માણી શક્શે.
* સી-પ્લેનની ખાસિયતો
સી પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા 8 ટ્રીપ લગાવશે.
220 કિમીની યાત્રા સી પ્લેન માત્ર 45 મિનીટમાં પૂર્ણ કરશે.
સવારના 8 વાગ્યેથી અમદાવાદ રિવરફ્રન્ટ પરથી પ્રથમ ફ્લાઇટ ઉપડશે
6 મહિના સુધી વિદેશી પાયલોટ સી પ્લેનના પાયલોટને તાલીમ આપશે
ક્ષમતા : 19 લોકોને બેસાડવાની
હાલમાં 14 લોકોને જ બેસાડાશે, જેમાં 5 ક્રુ મેમ્બર્સ હશે
300 મીટરના રનવે પરથી ઉડાણ ભરી શકે છેએ
એમ્ફીબિયસ કેટેગરીનું પ્લેન
કેનેડામાં સૌથી વધારે સી પ્લેન ઉડે છે
એક વ્યક્તિની ટિકીટ 4800 ₹ રહેશે
માલદીવ થી ઉડાન ભરી સી પ્લેન કેવડિયા આવ્યા બાદ સાબરમતી પહોંચ્યું
વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 220 KM સાબરમતીથી કેવડીયાની સફર 45 મિનિટમાં થશે પૂર્ણ
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે 36 નજારાઓ ને લઈ 2 દિવસનું પીકનીક પોઇન્ટ પણ પરિવાર માટે ઓછું પડી શકે છે. અનેક આકર્ષણો વચ્ચે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી થી સ્ટેચ્યુ સુધીની 220 કિમી ની સી પ્લેનની સફર આ વિશ્વના સૌથી લોકપ્રિય સ્થળે શરૂ કરવાના છે.
કેવડિયા ખાતે સી પ્લેન સોમવારે બપોરે પહોંચી ગયું હતું. બે વિદેશી પાયલોટ સાથે સી પ્લેન કેવડિયા પહોંચી જતા તેનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ગોવાથી સી પ્લેન ગુજરાત આવી ગયું હતુઁ. કેવડિયા ખાતે સી પ્લેનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કેવડિયા બાદ સી પ્લેન અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંજે આવી પોહચ્યું હતું. સી પ્લેનની માલદીવ, ગોવા થઈ કેવડિયા અને સબરમતીની સફર સફળ રહી હતી. નોંધનીય છે કે, 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે.
વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પ્રવાસીઓ સી પ્લેન થકી જળ માર્ગે, હેલિકોપટરથી હવાઈ માર્ગે, ટ્રેન થી રેલ માર્ગે, વાહનોથી મોટર માર્ગે તેમજ રોપ વે થી માણી શક્શે.
* સી-પ્લેનની ખાસિયતો
સી પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા 8 ટ્રીપ લગાવશે.
220 કિમીની યાત્રા સી પ્લેન માત્ર 45 મિનીટમાં પૂર્ણ કરશે.
સવારના 8 વાગ્યેથી અમદાવાદ રિવરફ્રન્ટ પરથી પ્રથમ ફ્લાઇટ ઉપડશે
6 મહિના સુધી વિદેશી પાયલોટ સી પ્લેનના પાયલોટને તાલીમ આપશે
ક્ષમતા : 19 લોકોને બેસાડવાની
હાલમાં 14 લોકોને જ બેસાડાશે, જેમાં 5 ક્રુ મેમ્બર્સ હશે