PM મોદીએ અમદાવાદ અને કેવડિયા સુધીની સી-પ્લેન સેવાનું 31મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કર્યું હતું.
1 મહિનામાં જ શનિવારે સવારે સાબરમતી રિવરફ્રન્ટથી સી-પ્લેન મેઈન્ટેનન્સ માટે માલદીવ્સ જવા રવાના થઈ ગયું
WatchGujarat. PM મોદીએ અમદાવાદ અને કેવડિયા સુધીની સી-પ્લેન સેવાનું 31મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કર્યું હતું. એક મહિનાના સમયગમાં જ સી પ્લેન સેવા બંધ કરવી પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. શનિવારે સવારે સાબરમતી રિવરફ્રન્ટથી સી-પ્લેન મેઈન્ટેનન્સ માટે માલદીવ્સ જવા રવાના થઈ ગયું છે.
https://twitter.com/narendramodi/status/1322496215687155712?s=20
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન સર્વિસ શરુ કરવાનું PM મોદીનું સપનું હતું. 31 ઓક્ટોબરે સી પ્લેન સર્વિસનું પીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માત્ર એક જ મહિનાના સમયગાળામાં આ સર્વિસ બંધ કરવામાં આવી છે, જેનું કારણ મેઈન્ટેનન્સ માટે સી-પ્લેન માલદીવ્સ લઈ જવામાં આવ્યું છે. સી-પ્લેનમાં 31 ઓક્ટોબરે ઉદઘાટન સમયે વડાપ્રધાન મોદી અને 24 નવેમ્બરે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એમ બે જ આગેવાનોએ આ પ્લેનની સફર કરી હતી. ત્યાર બાદ છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે સી-પ્લેન સર્વિસ અનિયમીત રીતે ચાલતી હતી.
સી પ્લેન વિશે જાણો
મિડીયા અહેવાલ પ્રમાણે, સી-પ્લેન 50 વર્ષ જૂનું છે. રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું સી પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. વિવિધ એરક્રાફ્ટનાં નિર્માણ અને વેચાણ અંગેની માહિતી રાખતી વેબસાઇટ www.airport-data.com અનુસાર ટ્વિન ઓટ્ટર 300 મોડેલનું આ પ્લેન ડે હેવિલેન્ડ કેનેડા કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયું હતું. ત્યાર બાદ એની પ્રથમ ડિલિવરી કેનેડાના ઓટ્ટાવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને 27 જુલાઇ 1971માં અપાઈ હતી. ત્યાર બાદ આ પ્લેનના સંખ્યાબંધ માલિકો બદલાઈ ચૂક્યા છે. હાલમાં એનું રજિસ્ટ્રેશન માલદીવિયન (એરલાઇન) પાસે છે.
તાજેતરમાં લોકસભાના સ્પીકર ઓમ બીરલાએ સી પ્લેનની સફર કરી હતી.
https://twitter.com/ombirlakota/status/1331205361668263936?s=20
PM મોદીએ અમદાવાદ અને કેવડિયા સુધીની સી-પ્લેન સેવાનું 31મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કર્યું હતું.
1 મહિનામાં જ શનિવારે સવારે સાબરમતી રિવરફ્રન્ટથી સી-પ્લેન મેઈન્ટેનન્સ માટે માલદીવ્સ જવા રવાના થઈ ગયું
WatchGujarat. PM મોદીએ અમદાવાદ અને કેવડિયા સુધીની સી-પ્લેન સેવાનું 31મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કર્યું હતું. એક મહિનાના સમયગમાં જ સી પ્લેન સેવા બંધ કરવી પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. શનિવારે સવારે સાબરમતી રિવરફ્રન્ટથી સી-પ્લેન મેઈન્ટેનન્સ માટે માલદીવ્સ જવા રવાના થઈ ગયું છે.
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન સર્વિસ શરુ કરવાનું PM મોદીનું સપનું હતું. 31 ઓક્ટોબરે સી પ્લેન સર્વિસનું પીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માત્ર એક જ મહિનાના સમયગાળામાં આ સર્વિસ બંધ કરવામાં આવી છે, જેનું કારણ મેઈન્ટેનન્સ માટે સી-પ્લેન માલદીવ્સ લઈ જવામાં આવ્યું છે. સી-પ્લેનમાં 31 ઓક્ટોબરે ઉદઘાટન સમયે વડાપ્રધાન મોદી અને 24 નવેમ્બરે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એમ બે જ આગેવાનોએ આ પ્લેનની સફર કરી હતી. ત્યાર બાદ છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે સી-પ્લેન સર્વિસ અનિયમીત રીતે ચાલતી હતી.
સી પ્લેન વિશે જાણો
મિડીયા અહેવાલ પ્રમાણે, સી-પ્લેન 50 વર્ષ જૂનું છે. રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું સી પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. વિવિધ એરક્રાફ્ટનાં નિર્માણ અને વેચાણ અંગેની માહિતી રાખતી વેબસાઇટ www.airport-data.com અનુસાર ટ્વિન ઓટ્ટર 300 મોડેલનું આ પ્લેન ડે હેવિલેન્ડ કેનેડા કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયું હતું. ત્યાર બાદ એની પ્રથમ ડિલિવરી કેનેડાના ઓટ્ટાવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને 27 જુલાઇ 1971માં અપાઈ હતી. ત્યાર બાદ આ પ્લેનના સંખ્યાબંધ માલિકો બદલાઈ ચૂક્યા છે. હાલમાં એનું રજિસ્ટ્રેશન માલદીવિયન (એરલાઇન) પાસે છે.
તાજેતરમાં લોકસભાના સ્પીકર ઓમ બીરલાએ સી પ્લેનની સફર કરી હતી.
https://twitter.com/ombirlakota/status/1331205361668263936?s=20