SOU દેશનું 7350 મુ રેલ્વે સ્ટેશન બનતા સમગ્ર ભારતમાંથી ટ્રેન મારફતે લોકો આવી શકશે
દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ અદ્યતન કેવડિયા રેલ્વે સ્ટેશનનું 31 ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવા ધમધમાટ
₹20 કરોડનાં ખર્ચે નિર્મિત સ્ટેશન 24 મહિનામાં સંપન્ન થશે
પ્રતાપનગર-ડભોઇ થઈ કેવડિયા ₹663 કરોડનાં ખર્ચે રેલલાઇનની કામગીરી પૂર્ણ કરવા રાતદિવસ ચાલતી કામગીરી
ડભોઇ થી ચાંદોદ નવી 18.66 KM બ્રોડગેજ લાઇન ઉપર ગુરૂ અને શનિવારે ટ્રાયલ રન
WatchGujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી ને રેલ્વે સાથે સાંકળી લેવા ₹ 663 કરોડ નાં ખર્ચે ગેજ પરિવર્તન ડિસેમ્બર 2018 માં હાથ ધરાયુ હતું. જે કામગીરી માર્ચ 2020 સુધીમાં પુર્ણ કરવાની ધારણા હટી. જોકે કોવિડ19 ના કારણે હવે 31 ડિસેમ્બર સુધીમાં આ પ્રોજેકટ પૂર્ણ કરવા રાતદિવસ કામગીરી ચાલી રહી છે. જ્યારે કેવડિયા ગ્રીન બિલ્ડીંગ દેશનું પ્રથમ રેલ્વે સ્ટેશન પણ ₹20 કરોડના ખર્ચે સાકાર કરવા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણતા તરફ આગળ વધારાઈ રહી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદનાં હસ્તે 15 ડિસેમ્બર 2018 ના રોજ કેવડિયામાં નિર્માણ પામનાર રેલ્વે સ્ટેશનનું ભૂમિપૂજન બાદ ઇ-શિલાન્યાસ સભા સ્થળે થી કરાયો હતો. કેવડિયા દેશના રેલ્વે નેટવર્ક સાથે કનેક્ટ થઈ ગયા બાદ ગુજરાત નાં વિકાસ ને નવી ગતિ મળશે. સાથે જ કેવડિયા ભારતીય રેલ્વેનું 7350 મુ સ્ટેશન બની જવા સાથે દેશભરના લોકો ટ્રેન મારફતે વિશ્વ ની વિરાટ પ્રતિમા નિહાળવા આવી શકશે.
₹20 કરોડના ખર્ચે બનનાર કેવડિયા રેલ્વે સ્ટેશન ભવન નિર્માણ પુર્ણ કરવાનો લક્ષ્યાંક 4 સપ્ટેમ્બર 2019 રાખવામા આવ્યો હતો. જોકે કોવિડ-19 મહામારીના કારણે પ્રોજેકટ વિલંબિત થયો છે. જ્યારે પ્રતાપનગર ડભોઇ, ચાંદોદ થઈ કેવડિયા સુધી રેલ્વે લાઇન અને ગેજ પરિવર્તનની કામગીરી માર્ચ 2020 સુધી માં પર્ણ કરવા પ્રતિબદ્ધતા બતાવાય હતી. પ્રોજેક્ટ પાછળ નો કુલ ખર્ચ રૂપિયા 663.29 અંદાજવામાં આવ્યો હતો.
હવે 31 ડિસેમ્બર સુધીમાં SOU ને ભારતીય રેલવે સાથે સાંકળવા રાતદિવસ કામગીરી કરવામાં આવી રહી છે. ડભોઇ-ચાંદોદ 18.66 કિલોમીટરની નવી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થતાં ગુરુવારે અને શનિવારે આ રૂટ પર ટ્રેનની ટ્રાયલ હાથ ધરવામાં આવનાર છે.
વડોદરા રેલવે ડિવિઝનના પી.આર.ઓ. ખેમરાજ મીના ના જણાવ્યા મુજબ ગુરૂ અને શનિવારે નવનિર્મિત સંભોઈ-ચાંદોદ રેલવે સેક્સન ઉપર બપોરે 2 થી સાંજે 5 કલાક દરમિયાન ટ્રેનની સ્પીડ ટ્રાયલ હાથ ધરવાની હોય લોકોએ ટ્રેક પર ન ચાલવા કે ટ્રેક ક્રોસ ન કરવો.
કેવડિયા રેલ્વે પ્રોજેક્ટ ઊડતી નજરે
- 49.75 કિમી કુલ લંબાઈ
-₹663.29 કરોડ અંદાજિત ખર્ચ
- 56 નાના પુલ
- 9 મોટા પુલ
- 30 અંડર-ઓવરબ્રિજ
- 15 મહિનામાં પ્રોજેક્ટ પુર્ણ કરવાનો લક્ષ્યાંક હતો
ઇકો ફ્રેન્ડલી રેલ્વે સ્ટેશનની વિશેષતા
- દેશનો પહેલો ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ(સ્ટેશન)
- 200 કિલોવોટ સોલર પેનલથી વીજ ઉત્પાદન કરાશે
- વરસાદી પાણી સહિત ની ઘણી જળ વ્યવસ્થાપન સુવિધાઓથી સજ્જ
- 3 માળ ની બિલ્ડીંગ
- રેમ્પ, લિફ્ટ, એકસલેટની સુવિધા
- જનરલ, એ.સી., વી.વી.આઈ.પી., વેઇટિંગ રૂમ
- એક્ઝિક્યુટિવ લૉનઝ સહિત આધુનિક દરેક સગવડો
- ₹20 કરોડનો ખર્ચ 9 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો સમય હતો
More #Train trail #SOU #Kevadia #Vadodara News
- SOU દેશનું 7350 મુ રેલ્વે સ્ટેશન બનતા સમગ્ર ભારતમાંથી ટ્રેન મારફતે લોકો આવી શકશે
- દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ અદ્યતન કેવડિયા રેલ્વે સ્ટેશનનું 31 ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવા ધમધમાટ
- ₹20 કરોડનાં ખર્ચે નિર્મિત સ્ટેશન 24 મહિનામાં સંપન્ન થશે
- પ્રતાપનગર-ડભોઇ થઈ કેવડિયા ₹663 કરોડનાં ખર્ચે રેલલાઇનની કામગીરી પૂર્ણ કરવા રાતદિવસ ચાલતી કામગીરી
- ડભોઇ થી ચાંદોદ નવી 18.66 KM બ્રોડગેજ લાઇન ઉપર ગુરૂ અને શનિવારે ટ્રાયલ રન
WatchGujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી ને રેલ્વે સાથે સાંકળી લેવા ₹ 663 કરોડ નાં ખર્ચે ગેજ પરિવર્તન ડિસેમ્બર 2018 માં હાથ ધરાયુ હતું. જે કામગીરી માર્ચ 2020 સુધીમાં પુર્ણ કરવાની ધારણા હટી. જોકે કોવિડ19 ના કારણે હવે 31 ડિસેમ્બર સુધીમાં આ પ્રોજેકટ પૂર્ણ કરવા રાતદિવસ કામગીરી ચાલી રહી છે. જ્યારે કેવડિયા ગ્રીન બિલ્ડીંગ દેશનું પ્રથમ રેલ્વે સ્ટેશન પણ ₹20 કરોડના ખર્ચે સાકાર કરવા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણતા તરફ આગળ વધારાઈ રહી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદનાં હસ્તે 15 ડિસેમ્બર 2018 ના રોજ કેવડિયામાં નિર્માણ પામનાર રેલ્વે સ્ટેશનનું ભૂમિપૂજન બાદ ઇ-શિલાન્યાસ સભા સ્થળે થી કરાયો હતો. કેવડિયા દેશના રેલ્વે નેટવર્ક સાથે કનેક્ટ થઈ ગયા બાદ ગુજરાત નાં વિકાસ ને નવી ગતિ મળશે. સાથે જ કેવડિયા ભારતીય રેલ્વેનું 7350 મુ સ્ટેશન બની જવા સાથે દેશભરના લોકો ટ્રેન મારફતે વિશ્વ ની વિરાટ પ્રતિમા નિહાળવા આવી શકશે.
₹20 કરોડના ખર્ચે બનનાર કેવડિયા રેલ્વે સ્ટેશન ભવન નિર્માણ પુર્ણ કરવાનો લક્ષ્યાંક 4 સપ્ટેમ્બર 2019 રાખવામા આવ્યો હતો. જોકે કોવિડ-19 મહામારીના કારણે પ્રોજેકટ વિલંબિત થયો છે. જ્યારે પ્રતાપનગર ડભોઇ, ચાંદોદ થઈ કેવડિયા સુધી રેલ્વે લાઇન અને ગેજ પરિવર્તનની કામગીરી માર્ચ 2020 સુધી માં પર્ણ કરવા પ્રતિબદ્ધતા બતાવાય હતી. પ્રોજેક્ટ પાછળ નો કુલ ખર્ચ રૂપિયા 663.29 અંદાજવામાં આવ્યો હતો.
હવે 31 ડિસેમ્બર સુધીમાં SOU ને ભારતીય રેલવે સાથે સાંકળવા રાતદિવસ કામગીરી કરવામાં આવી રહી છે. ડભોઇ-ચાંદોદ 18.66 કિલોમીટરની નવી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થતાં ગુરુવારે અને શનિવારે આ રૂટ પર ટ્રેનની ટ્રાયલ હાથ ધરવામાં આવનાર છે.
વડોદરા રેલવે ડિવિઝનના પી.આર.ઓ. ખેમરાજ મીના ના જણાવ્યા મુજબ ગુરૂ અને શનિવારે નવનિર્મિત સંભોઈ-ચાંદોદ રેલવે સેક્સન ઉપર બપોરે 2 થી સાંજે 5 કલાક દરમિયાન ટ્રેનની સ્પીડ ટ્રાયલ હાથ ધરવાની હોય લોકોએ ટ્રેક પર ન ચાલવા કે ટ્રેક ક્રોસ ન કરવો.
કેવડિયા રેલ્વે પ્રોજેક્ટ ઊડતી નજરે
- 49.75 કિમી કુલ લંબાઈ
-₹663.29 કરોડ અંદાજિત ખર્ચ
- 56 નાના પુલ
- 9 મોટા પુલ
- 30 અંડર-ઓવરબ્રિજ
- 15 મહિનામાં પ્રોજેક્ટ પુર્ણ કરવાનો લક્ષ્યાંક હતો
ઇકો ફ્રેન્ડલી રેલ્વે સ્ટેશનની વિશેષતા
- દેશનો પહેલો ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ(સ્ટેશન)
- 200 કિલોવોટ સોલર પેનલથી વીજ ઉત્પાદન કરાશે
- વરસાદી પાણી સહિત ની ઘણી જળ વ્યવસ્થાપન સુવિધાઓથી સજ્જ
- 3 માળ ની બિલ્ડીંગ
- રેમ્પ, લિફ્ટ, એકસલેટની સુવિધા
- જનરલ, એ.સી., વી.વી.આઈ.પી., વેઇટિંગ રૂમ
- એક્ઝિક્યુટિવ લૉનઝ સહિત આધુનિક દરેક સગવડો
- ₹20 કરોડનો ખર્ચ 9 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો સમય હતો
More #Train trail #SOU #Kevadia #Vadodara News