પ્રવાસીઓ માટે સી પ્લેનનું બુકીંગ 20 ડિસેમ્બરથી ખુલશે, સ્પાઇસ જેટ એ કરી જાહેરાત
31 ઓક્ટોબરે PM ના હસ્તે ઉદ્ઘાટન બાદ 28 દિવસમાં જ મેન્ટેનન્સ માટે સી પ્લેન માલદીવ રવાના કરી દેવાયું હતું
29 દિવસ બાદ સી પ્લેન સેવા ફરી શરૂ થશે
WatchGujarat. દેશની પહેલી સી પ્લેન સેવા વડાપ્રધાનના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા વચ્ચે પ્રારંભ કરાવ્યાના 28 દિવસમાં જ બંધ કરાઈ હતી. માલદીવ રૂટિન મેન્ટેનન્સ માટે સી પ્લેન 29 દિવસ બંધ રહ્યા બાદ 27 ડિસેમ્બરથી ફરી શરૂ થવાની જાહેરાત સ્પાઇસ જેટ એ કરી છે.
કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે 27 ડિસેમ્બરથી સ્પાઇસ જેટએ તેની સી પ્લેન ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
શુક્રવારે સ્પાઇસજેટે એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે, સ્પાઇસ જેટની સંપૂર્ણ માલિકીની પેટા કંપની સ્પાઈસ શટલ 27 ડિસેમ્બર થી રૂટ પર દૈનિક 2 ફ્લાઇટ્સ સાથે સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેની સી-પ્લેન સર્વિસ ફરી શરૂ કરશે. મુસાફરો માટે સી પ્લેન સર્વિસનું બુકિંગ 20 ડિસેમ્બર થી ખુલશે તેમ એરલાઇન દ્વારા જણાવાયું છે.
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચેની સી પ્લેન સેવાને વિમાનની જાળવણી ફરજિયાત હોવાને કારણે ગત 28 નવેમ્બરથી બંધ કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં હજી મેન્ટેનન્સ સુવિધા ચાલી રહી હોવાથી સી-પ્લેનને માલદિવ્સમાં સ્પાઇસ જેટની લેટરની સુવિધા પર મોકલવાનું હતું.
અમદાવાદમાં સી-પ્લેન સેવા સ્પાઈસ જેટની પેટાકંપની સ્પાઈસ શટલ દ્વારા ઉડાન યોજના હેઠળ શરૂ કરાઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર સરદાર જ્યંતીએ બંને સ્થળો વચ્ચે સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે, એરલાઇને 28 દિવસમાં જ આ સેવા સ્થગિત કરી હતી. બંને સ્થળો વચ્ચે 200 કિલોમીટરનું અંતર કાપવામાં સી-પ્લેન લગભગ 40 મિનિટ લે છે. ફરીથી 27 ડિસેમ્બરથી સી પ્લેન સેવા શરૂ થતાં 31 ડિસેમ્બર યર એન્ડ અને ન્યુ યર ની મજા પ્રવાસીઓ માણી શકશે.
More #SOU #Statue of unity #Sea plane #Service #20 December #કેવડિયા #Vadodara #WatchGujarat
પ્રવાસીઓ માટે સી પ્લેનનું બુકીંગ 20 ડિસેમ્બરથી ખુલશે, સ્પાઇસ જેટ એ કરી જાહેરાત
31 ઓક્ટોબરે PM ના હસ્તે ઉદ્ઘાટન બાદ 28 દિવસમાં જ મેન્ટેનન્સ માટે સી પ્લેન માલદીવ રવાના કરી દેવાયું હતું
29 દિવસ બાદ સી પ્લેન સેવા ફરી શરૂ થશે
WatchGujarat. દેશની પહેલી સી પ્લેન સેવા વડાપ્રધાનના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા વચ્ચે પ્રારંભ કરાવ્યાના 28 દિવસમાં જ બંધ કરાઈ હતી. માલદીવ રૂટિન મેન્ટેનન્સ માટે સી પ્લેન 29 દિવસ બંધ રહ્યા બાદ 27 ડિસેમ્બરથી ફરી શરૂ થવાની જાહેરાત સ્પાઇસ જેટ એ કરી છે.
કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે 27 ડિસેમ્બરથી સ્પાઇસ જેટએ તેની સી પ્લેન ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
શુક્રવારે સ્પાઇસજેટે એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે, સ્પાઇસ જેટની સંપૂર્ણ માલિકીની પેટા કંપની સ્પાઈસ શટલ 27 ડિસેમ્બર થી રૂટ પર દૈનિક 2 ફ્લાઇટ્સ સાથે સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેની સી-પ્લેન સર્વિસ ફરી શરૂ કરશે. મુસાફરો માટે સી પ્લેન સર્વિસનું બુકિંગ 20 ડિસેમ્બર થી ખુલશે તેમ એરલાઇન દ્વારા જણાવાયું છે.
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચેની સી પ્લેન સેવાને વિમાનની જાળવણી ફરજિયાત હોવાને કારણે ગત 28 નવેમ્બરથી બંધ કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં હજી મેન્ટેનન્સ સુવિધા ચાલી રહી હોવાથી સી-પ્લેનને માલદિવ્સમાં સ્પાઇસ જેટની લેટરની સુવિધા પર મોકલવાનું હતું.
અમદાવાદમાં સી-પ્લેન સેવા સ્પાઈસ જેટની પેટાકંપની સ્પાઈસ શટલ દ્વારા ઉડાન યોજના હેઠળ શરૂ કરાઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર સરદાર જ્યંતીએ બંને સ્થળો વચ્ચે સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે, એરલાઇને 28 દિવસમાં જ આ સેવા સ્થગિત કરી હતી. બંને સ્થળો વચ્ચે 200 કિલોમીટરનું અંતર કાપવામાં સી-પ્લેન લગભગ 40 મિનિટ લે છે. ફરીથી 27 ડિસેમ્બરથી સી પ્લેન સેવા શરૂ થતાં 31 ડિસેમ્બર યર એન્ડ અને ન્યુ યર ની મજા પ્રવાસીઓ માણી શકશે.
More #SOU #Statue of unity #Sea plane #Service #20 December #કેવડિયા #Vadodara #WatchGujarat