તહેવાર ટાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તંત્ર વીવીઆઇપી કાર્યક્રમની તૈયારીઓમાં જોતરાયું
રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ સહિત દેશની અનેક મોટી હસ્તીઓના આગમનને પગલે કેવડિયા ખાતે લોખંડી પોલિસ બંદોબસ્ત ગોઠવાશે.
કેવડીયા ટેન્ટ સીટી-1 ખાતે મહેમાનોના રોકાણની અલાયદી વ્યવસ્થાઓની કામગીરી આરંભાઈ, ટેન્ટ સીટી-2 ખાતે દ્વિ-દિવસીય સેમિનારનું આયોજન
[caption id="attachment_11725" align="aligncenter" width="700"] FILE PHOTO[/caption]
SOU. PM મોદીની ઉપસ્થિતીમાં 31 મી ઓક્ટોબર 2020ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 2 દિવસ દરમિયાન PM મોદીએ 17 જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. આગામી 25, 26, 27 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતીમાં દેશના રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો સહિત ઉચ્ચપદાધીકારીઓનો ત્રિદીવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રિદીવસીય કાર્યક્રમની સંભવિત રૂપરેખા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની ઉપસ્થિતમાં દેશના અલગ અલગ રાજ્યોની વિધાનસભા અધ્યક્ષોનો સેમિનાર યોજાશે. સેમિનારમાં દેશના રાષ્ટ્રપતિની હાજરીની તારીખ અંગે અસમંજસ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-1 ખાતે અતિથિઓની રહેવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે. ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે. 24, નવેમ્બરના રોજ મહેમાનોનું આગમન થશે. 25 અને 26 નવેમ્બરના રોજ ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે. 27, નવેમ્બરના રોજ મેહમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે.
કેવડિયા ખાતેના આ કાર્યક્રમ દરમિયાન કોન્ફ્રાન્સ હોલની નજીકમાં લોકસભા સ્પીકર, વિધાનસભા અધ્યક્ષો સહિત અન્ય સંબંધિત અધિકારીઓ માટે 26 રૂમોમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. લોકસભા સ્પીકર, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન, ગુજરાત વિધાનસભા સ્પીકર-ડેપ્યુટી સ્પીકર, લોકસભા-રાજ્યસભાના જનરલ સેક્રેટરી-સેક્રેટરી સહિત અન્ય અધિકારીઓ માટે પણ વિશેષ સુવિધાઓ કરાશે. કોન્ફરન્સ માટે પ્રેઝન્ટેશન, બેઠક વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ પર વિશેષ ધ્યાન અપાશે. દેશના રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ સહિત દેશની અનેક મોટી હસ્તીઓના આગમનને પગલે કેવડિયા વિસ્તારમાં લોખંડી પોલિસ બંદોબસ્ત ગોઠવાશે. જો કે કાર્યક્રમની તારીખો અંગે હાલ અસમંજસ છે.
તહેવાર ટાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તંત્ર વીવીઆઇપી કાર્યક્રમની તૈયારીઓમાં જોતરાયું
રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ સહિત દેશની અનેક મોટી હસ્તીઓના આગમનને પગલે કેવડિયા ખાતે લોખંડી પોલિસ બંદોબસ્ત ગોઠવાશે.
કેવડીયા ટેન્ટ સીટી-1 ખાતે મહેમાનોના રોકાણની અલાયદી વ્યવસ્થાઓની કામગીરી આરંભાઈ, ટેન્ટ સીટી-2 ખાતે દ્વિ-દિવસીય સેમિનારનું આયોજન
SOU. PM મોદીની ઉપસ્થિતીમાં 31 મી ઓક્ટોબર 2020ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 2 દિવસ દરમિયાન PM મોદીએ 17 જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. આગામી 25, 26, 27 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતીમાં દેશના રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો સહિત ઉચ્ચપદાધીકારીઓનો ત્રિદીવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રિદીવસીય કાર્યક્રમની સંભવિત રૂપરેખા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની ઉપસ્થિતમાં દેશના અલગ અલગ રાજ્યોની વિધાનસભા અધ્યક્ષોનો સેમિનાર યોજાશે. સેમિનારમાં દેશના રાષ્ટ્રપતિની હાજરીની તારીખ અંગે અસમંજસ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-1 ખાતે અતિથિઓની રહેવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે. ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે. 24, નવેમ્બરના રોજ મહેમાનોનું આગમન થશે. 25 અને 26 નવેમ્બરના રોજ ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે. 27, નવેમ્બરના રોજ મેહમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે.
કેવડિયા ખાતેના આ કાર્યક્રમ દરમિયાન કોન્ફ્રાન્સ હોલની નજીકમાં લોકસભા સ્પીકર, વિધાનસભા અધ્યક્ષો સહિત અન્ય સંબંધિત અધિકારીઓ માટે 26 રૂમોમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. લોકસભા સ્પીકર, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન, ગુજરાત વિધાનસભા સ્પીકર-ડેપ્યુટી સ્પીકર, લોકસભા-રાજ્યસભાના જનરલ સેક્રેટરી-સેક્રેટરી સહિત અન્ય અધિકારીઓ માટે પણ વિશેષ સુવિધાઓ કરાશે. કોન્ફરન્સ માટે પ્રેઝન્ટેશન, બેઠક વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ પર વિશેષ ધ્યાન અપાશે. દેશના રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ સહિત દેશની અનેક મોટી હસ્તીઓના આગમનને પગલે કેવડિયા વિસ્તારમાં લોખંડી પોલિસ બંદોબસ્ત ગોઠવાશે. જો કે કાર્યક્રમની તારીખો અંગે હાલ અસમંજસ છે.