સ્ટેચ્યુ જોવા આવેલા પ્રવાસીઓ છલકાતા કોઝવેનો આહલાદક નજારો જોઈ પુલકિત
રિવરબેડ પાવરહાઉસના 5 ટર્બાઇનો ધમધમતા નદીમાં ઠલવાતા 45000 ક્યુસેક પાણીના કારણે ઉનાળામાં વિયર ડેમ છલકાયો
87.20 મિલિયન ક્યુબીક મીટર જળ સંગ્રહ શક્તિ ધરાવતા કોઝવે નિબ9 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા
ગરુડેશ્વર ડેમ ઓવરફ્લો થવા સાથે ડૂબાડૂબ ગોરા પુલ ડૂબ્યો
Watchgujarat. સરદાર સરોવર ડેમમાં જળ વિદ્યુત મથકના રીવર્સેબલ ટર્બાઈનના સંચાલન માટે નીચે વાસમાં તળાવનું નિર્માણ કરવા માટે ગરૂડેશ્વર વિયર બનાવવામાં આવ્યું છે. ગરૂડેશ્વર વિયર નર્મદા ડેમથી 12.10 કિ.મી. નીચે વાસમાં આવે છે. ગરૂડેશ્વર વિયરની લંબાઈ 609 મીટરનાં સ્પીલવે સાથે કુલ 1218 મીટર છે. વિયરની સંગ્રહ શક્તિ 87.20 મીલીયન કયુબીક મીટર છે. ગરૂડેશ્વર વિયરમાં 9 મે.વો. જળવિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.
https://youtu.be/25_NvUKeQxo
નર્મદા બંધના ઉપરવાસમાં પાણીની સારી આવક થતાં ડેમનું રિવરબેડ પાવર હાઉસ ધમધમતું થયું છે. આ પાાવર હાઉસના 5 ટર્બાઈન શરૂ કરાતાં તેમાંથી 45000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ડેમથી 12 KM દૂર ગરુડેશ્વર ખાતે આવેલો વિયાર કમ કોઝવે ઓવર ફ્લો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમના 200 મેગાવોટનાં 5 યુનિટ શરૂ કરાતા રોજ ₹ 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
SOU સાધુ બેટથી 9 KM અને સરદાર સરોવર ડેમના નીચાણવાળા ભાગથી 12 KM ના અંતરે આવેલો ગરુડેશ્વર બંધ એક નાના જળાશયના નિર્માણ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફ્લાવર્સ બંનેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. વિયર કમ કોઝવે બંધની કુલ ઊંચાઈ 31.75 મિટર છે. આ બંધ જે જળાશય તૈયાર થયું છે એ પણ શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા માટે 7 KM ફેરી સર્વિસ માટે નેવિગેશન ચેનલ પૂરી પાડે છે.
હાલ નર્મદા જિલ્લાના ધાર્મિક સ્થાનો અને ઘાટો ખાતે ગંગા દશહરા પર્વની ઉજવણી થઈ રહી છે. આ સમયે ધાર્મિક દ્રષ્ટિએ નર્મદા નદીમાં સ્નાન ઉત્તમ મનાઈ રહ્યું છે. ત્યારે નર્મદા બે કાંઠે વહેતા ભાવિક ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સાથે જ વિયર ડેમ નો આહલાદક નજારો નિહાળવા માટે લોકો ઉમટી રહ્યા છે.
ચોમાસામાં નર્મદા ડેમને ફરીથી 138.68 મીટરની મહત્તમ સપાટી એ ભરવા નર્મદા નિગમે તૈયારી આરંભી દીધી છે. નર્મદા બંધમાંથી પાણી છોડવામાં આવતા આ વિયર ડેમ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં છલકાતો હોય છે પરંતુ હાલ RBPH ના 5 ટર્બાઇનના ડિસ્ચાર્જમાંથી છોડાતું પાણી નર્મદા નદીમાં ઠલવાતા ગુરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થઈ પ્રવાસીઓને વધુ એક આહલાદક નજારો અને અનુભવ પ્રદાન કરી રહ્યો છે.
સ્ટેચ્યુ જોવા આવેલા પ્રવાસીઓ છલકાતા કોઝવેનો આહલાદક નજારો જોઈ પુલકિત
ગરુડેશ્વર ડેમ ઓવરફ્લો થવા સાથે ડૂબાડૂબ ગોરા પુલ ડૂબ્યો
Watchgujarat. સરદાર સરોવર ડેમમાં જળ વિદ્યુત મથકના રીવર્સેબલ ટર્બાઈનના સંચાલન માટે નીચે વાસમાં તળાવનું નિર્માણ કરવા માટે ગરૂડેશ્વર વિયર બનાવવામાં આવ્યું છે. ગરૂડેશ્વર વિયર નર્મદા ડેમથી 12.10 કિ.મી. નીચે વાસમાં આવે છે. ગરૂડેશ્વર વિયરની લંબાઈ 609 મીટરનાં સ્પીલવે સાથે કુલ 1218 મીટર છે. વિયરની સંગ્રહ શક્તિ 87.20 મીલીયન કયુબીક મીટર છે. ગરૂડેશ્વર વિયરમાં 9 મે.વો. જળવિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.
નર્મદા બંધના ઉપરવાસમાં પાણીની સારી આવક થતાં ડેમનું રિવરબેડ પાવર હાઉસ ધમધમતું થયું છે. આ પાાવર હાઉસના 5 ટર્બાઈન શરૂ કરાતાં તેમાંથી 45000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ડેમથી 12 KM દૂર ગરુડેશ્વર ખાતે આવેલો વિયાર કમ કોઝવે ઓવર ફ્લો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમના 200 મેગાવોટનાં 5 યુનિટ શરૂ કરાતા રોજ ₹ 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
SOU સાધુ બેટથી 9 KM અને સરદાર સરોવર ડેમના નીચાણવાળા ભાગથી 12 KM ના અંતરે આવેલો ગરુડેશ્વર બંધ એક નાના જળાશયના નિર્માણ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફ્લાવર્સ બંનેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. વિયર કમ કોઝવે બંધની કુલ ઊંચાઈ 31.75 મિટર છે. આ બંધ જે જળાશય તૈયાર થયું છે એ પણ શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા માટે 7 KM ફેરી સર્વિસ માટે નેવિગેશન ચેનલ પૂરી પાડે છે.
હાલ નર્મદા જિલ્લાના ધાર્મિક સ્થાનો અને ઘાટો ખાતે ગંગા દશહરા પર્વની ઉજવણી થઈ રહી છે. આ સમયે ધાર્મિક દ્રષ્ટિએ નર્મદા નદીમાં સ્નાન ઉત્તમ મનાઈ રહ્યું છે. ત્યારે નર્મદા બે કાંઠે વહેતા ભાવિક ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સાથે જ વિયર ડેમ નો આહલાદક નજારો નિહાળવા માટે લોકો ઉમટી રહ્યા છે.
ચોમાસામાં નર્મદા ડેમને ફરીથી 138.68 મીટરની મહત્તમ સપાટી એ ભરવા નર્મદા નિગમે તૈયારી આરંભી દીધી છે. નર્મદા બંધમાંથી પાણી છોડવામાં આવતા આ વિયર ડેમ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં છલકાતો હોય છે પરંતુ હાલ RBPH ના 5 ટર્બાઇનના ડિસ્ચાર્જમાંથી છોડાતું પાણી નર્મદા નદીમાં ઠલવાતા ગુરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થઈ પ્રવાસીઓને વધુ એક આહલાદક નજારો અને અનુભવ પ્રદાન કરી રહ્યો છે.