11.23 કલાકે વડાપ્રધાન PM નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવી 8 ટ્રેનનું પ્રસ્થાન કરાવશે
અમદાવાદથી ઉપડનારી જન શતાબ્દી ભારતીય સંસ્કૃતિની અનેકતામાં એકતાની ઝાંખી કરાવશે
[caption id="attachment_272420" align="aligncenter" width="1024"] PC : ANI TWITTER[/caption]
WatchGujarat સરદાર પટેલની કરમસદની શાળાના બાળકો, સરદાર પટેલના પરિવારજનો અને અન્ય લોકો આ પ્રથમ યાત્રામાં જોડાશે. સ્ટેગ્યુ ઓફ યુનિટી , જંગલ સફારી અને એકતા નર્સરી , શૂલપાણેશ્વર મંદિર લઇ જવાશે - અમદાવાદથી ઉપડનારી ટ્રેનમાં એક વિસ્ટા ડોમ કોચ, આકાશી અદભુત નજારો જોવા મળશે.
અખંડ ભારતના શિલ્પીને અંજલી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટની વધુ એક કડીમાં ગણતરીની મીનીટોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના વિશાલ રેલ નેટવર્ક સાથે જોડાઈ જશે. PM મોદી સાગમટે 8 ટ્રેનોને 6 રાજ્યોમાંથી લીલીઝંડી આપતા SOU ખાતે વિકાસ અને પર્યટનના નવા સીમાચિન્હો સ્થાપિત કરવા રેલવેની ઇતિહાસિક સફર શરૂ થશે.
દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 6 રાજ્યમાંથી 8 ટ્રેન દોડાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી , કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ PM કરશે. રેલવે દ્વારા રવિવારે આ ટ્રેનોનું બુકિંગ પણ શરૂ કરાયું છે.
વડાપ્રધાન સવારે 11 વાગ્યે નવી દિલ્હીથી આ ટ્રેનોને ઓનલાઈન રીતે લીલી ઝંડી દર્શાવીને ટ્રેનોનું પ્રસ્થાન કરાવશે. આ દરમિયાન અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, દાદર, રેવા, વારાણસી, પ્રતાપનગર અને કેવડિયાથી 2 મેમુ સહિત 8 ટ્રેન એક સાથે રવાના થશે.
દરેક સ્ટેશનો પર ટ્રેનોનું ભવ્ય સ્વાગત
આ ટ્રેનોના રૂટ પર આવતાં નડિયાદ, વડોદરા, ડભોઇ તેમજ ચાણોદ રેલવે સ્ટેશનો પર પણ ટ્રેનનું સ્વાગત કરાશે. તેમાં મુસાફરી વખતે સંસ્કૃતના જાણકાર પંડિતો નર્મદાષ્ટકમ તથા અન્ય મંત્રોચ્ચારનું પઠન કરશે. આ તમામ પ્રવાસીઓને SOU ઉપરાંત તેના સંકુલમાં આવેલા જંગલ સફારી અને એકતા નર્સરી તેમજ સાધુસંતોને શૂળપાણેશ્વર મંદિરની મુલાકાતે લઇ જવાશે.
કેવડિયાનું ટ્રેન ભાડું
વડોદરા 2S, ₹75, સ્લીપર ₹175 3AC ₹555, 2AC ₹760, 1AC ,₹1255
દાદર 2S ₹185 , sleeper ₹310, 3AC ₹800 , 2AC ₹1120, 1AC ₹1878
દિલ્હી 2S ₹320, Sleeper ₹535, 3AC ₹1400, 2AC ₹.1990
રેવા 2S ₹415, Sleeper ₹.690, 3AC ₹1820, 2AC ₹2610
વારાણસી 2S ₹470, Sleeper ₹770 , 3AC ₹2020, 2AC ₹2910, 1AC ₹5000
ચેન્નઈ 2S ₹435 , Sleeper ₹710 3AC ₹1860, 2AC ₹.2675
SOU કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલ્વે સ્ટેશન
કેવડિયા ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે. વડાપ્રધાન દ્વારા ડભોઇ - ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ - કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર - કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.
SOU રેલ જોડાણ, નવી રોજગારી અને વ્યવસાયની અનેક ઉપલબ્ધી
આ પ્રોજેક્ટસના નિર્માણ થકી નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે. જેના પરિણામે નજીકના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ આ ટ્રેનો જોડશે જેના લીધે આ ક્ષેત્રના સામાજિક - આર્થિક વિકાસ માટે પ્રેરક બની રહેશે અને સ્થાનિક - આંતરરાષ્ટ્રીય પર્યટનમાં પણ વધારો થશે.
જનશતાબ્દીના વિસ્તાડોમ કોચનું ભાડું ₹875, પ્રતાપનગર મેમુનું ₹60
જનશતાબ્દી એક્સપ્રેસમાં નવીનતમ “ વિસ્ટા - ડોમ ટૂરિસ્ટ કોચ ” બનાવવામાં આવ્યો છે, જેમાં બેસીને પર્યટકો પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનો નયનરમ્ય નજારો માણી શકશે. અમદાવાદ - કેવડિયા જન શતાબ્દી કોચનું ભાડું ₹875 છે. પ્રતાપનગરથી મેમુ ટ્રેનનું ભાડું રૂ. 60 - પ્રતાપનગર - કેવડિયા મેમનું ભાડું રૂ. 60 છે, જ્યારે ડભોઇ સુધીના રૂ. 45 છે. આ ટ્રેનમાં રિઝર્વેશન કરાવવું ફરજિયાત છે .
સોમવારે 2 મેટ્રોનું પણ PM ખાતમુહૂર્ત કરશે
વડાપ્રધાન મોદી સોમવારે નવી દિલ્હીથી ઓનલાઇન પ્રક્રિયા મારફતે ગુજરાતના 2 મહત્ત્વના મેટ્રો રેલ પ્રોજેક્ટ અમદાવાદના મોટેરાથી ગાંધીનગર તથા સુરતમાં બે કોરિડોરના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ બંને પ્રોજેક્ટ 2024 માં પૂર્ણ થાય તેવું અનુમાન છે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.
અમદાવાદથી ઉપડનારી જન શતાબ્દી ભારતીય સંસ્કૃતિની અનેકતામાં એકતાની ઝાંખી કરાવશે
[caption id="attachment_272420" align="aligncenter" width="1024"] PC : ANI TWITTER[/caption]
WatchGujarat સરદાર પટેલની કરમસદની શાળાના બાળકો, સરદાર પટેલના પરિવારજનો અને અન્ય લોકો આ પ્રથમ યાત્રામાં જોડાશે. સ્ટેગ્યુ ઓફ યુનિટી , જંગલ સફારી અને એકતા નર્સરી , શૂલપાણેશ્વર મંદિર લઇ જવાશે - અમદાવાદથી ઉપડનારી ટ્રેનમાં એક વિસ્ટા ડોમ કોચ, આકાશી અદભુત નજારો જોવા મળશે.
અખંડ ભારતના શિલ્પીને અંજલી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટની વધુ એક કડીમાં ગણતરીની મીનીટોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના વિશાલ રેલ નેટવર્ક સાથે જોડાઈ જશે. PM મોદી સાગમટે 8 ટ્રેનોને 6 રાજ્યોમાંથી લીલીઝંડી આપતા SOU ખાતે વિકાસ અને પર્યટનના નવા સીમાચિન્હો સ્થાપિત કરવા રેલવેની ઇતિહાસિક સફર શરૂ થશે.
દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 6 રાજ્યમાંથી 8 ટ્રેન દોડાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી , કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ PM કરશે. રેલવે દ્વારા રવિવારે આ ટ્રેનોનું બુકિંગ પણ શરૂ કરાયું છે.
વડાપ્રધાન સવારે 11 વાગ્યે નવી દિલ્હીથી આ ટ્રેનોને ઓનલાઈન રીતે લીલી ઝંડી દર્શાવીને ટ્રેનોનું પ્રસ્થાન કરાવશે. આ દરમિયાન અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, દાદર, રેવા, વારાણસી, પ્રતાપનગર અને કેવડિયાથી 2 મેમુ સહિત 8 ટ્રેન એક સાથે રવાના થશે.
દરેક સ્ટેશનો પર ટ્રેનોનું ભવ્ય સ્વાગત
આ ટ્રેનોના રૂટ પર આવતાં નડિયાદ, વડોદરા, ડભોઇ તેમજ ચાણોદ રેલવે સ્ટેશનો પર પણ ટ્રેનનું સ્વાગત કરાશે. તેમાં મુસાફરી વખતે સંસ્કૃતના જાણકાર પંડિતો નર્મદાષ્ટકમ તથા અન્ય મંત્રોચ્ચારનું પઠન કરશે. આ તમામ પ્રવાસીઓને SOU ઉપરાંત તેના સંકુલમાં આવેલા જંગલ સફારી અને એકતા નર્સરી તેમજ સાધુસંતોને શૂળપાણેશ્વર મંદિરની મુલાકાતે લઇ જવાશે.
SOU કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલ્વે સ્ટેશન
કેવડિયા ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે. વડાપ્રધાન દ્વારા ડભોઇ - ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ - કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર - કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.
SOU રેલ જોડાણ, નવી રોજગારી અને વ્યવસાયની અનેક ઉપલબ્ધી
આ પ્રોજેક્ટસના નિર્માણ થકી નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે. જેના પરિણામે નજીકના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ આ ટ્રેનો જોડશે જેના લીધે આ ક્ષેત્રના સામાજિક - આર્થિક વિકાસ માટે પ્રેરક બની રહેશે અને સ્થાનિક - આંતરરાષ્ટ્રીય પર્યટનમાં પણ વધારો થશે.
જનશતાબ્દી એક્સપ્રેસમાં નવીનતમ “ વિસ્ટા - ડોમ ટૂરિસ્ટ કોચ ” બનાવવામાં આવ્યો છે, જેમાં બેસીને પર્યટકો પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનો નયનરમ્ય નજારો માણી શકશે. અમદાવાદ - કેવડિયા જન શતાબ્દી કોચનું ભાડું ₹875 છે. પ્રતાપનગરથી મેમુ ટ્રેનનું ભાડું રૂ. 60 - પ્રતાપનગર - કેવડિયા મેમનું ભાડું રૂ. 60 છે, જ્યારે ડભોઇ સુધીના રૂ. 45 છે. આ ટ્રેનમાં રિઝર્વેશન કરાવવું ફરજિયાત છે .
સોમવારે 2 મેટ્રોનું પણ PM ખાતમુહૂર્ત કરશે
વડાપ્રધાન મોદી સોમવારે નવી દિલ્હીથી ઓનલાઇન પ્રક્રિયા મારફતે ગુજરાતના 2 મહત્ત્વના મેટ્રો રેલ પ્રોજેક્ટ અમદાવાદના મોટેરાથી ગાંધીનગર તથા સુરતમાં બે કોરિડોરના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ બંને પ્રોજેક્ટ 2024 માં પૂર્ણ થાય તેવું અનુમાન છે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.