વાગરા ના લીંમડી, પખાજણ, અંભેલ પંચાયત દ્રારા જમીન સંપાદન મુદ્દે જીલ્લા કલેકટરનો આભાર વ્યક્ત કર્યો
સંપાદન યોગ્ય હજી પણ જોઈએ એટલી જમીન આપવા તૈયાર
જમીન સંપાદન થી સ્થાનિક વિસ્તારમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે
બહારગામ ના તત્વો વાદવિવાદ ઉભા કરતા હોવાનો આક્ષેપ
ખેડૂત હિત રક્ષક દળ દ્વારા જમીન સંપાદનમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તપાસની માંગ કરાઈ હતી
WatchGujarat દહેજ SEZ ના બીજા એકમ માટે જીઆઇડીસી દ્વારા વાગરા તાલુકાના 3 ગામ લીમડી, પખાજણ, અંભેલની જમીનો સંપાદીત કરવાના પ્રકરણમા ત્રણેય ગામોના ગ્રામ પંચાયત ના હોદ્દેદારો ત્થા ધરતીપુત્રો એ મોટી સંખ્યામાં ભરૂચ કલેકટરને આવેદન પત્ર પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે બહારગામના કેટલાક તત્વો ખોટી રીતે વાદવિવાદ ઉભા કરતા હોવાનો તેમજ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ખોટા રાજકીય દાવપેચ કરતા હોવાના સનસનીખેજ આક્ષેપો લગાવ્યા હતા.
દહેજ એસ.ઈ.ઝેડ ના બીજા એકમ માટે જીઆઇડીસી દ્વારા વાગરા તાલુકાના પખાજણ,અંભેલ,લીમડી ગામોની અંદાજિત 1740 એકર જમીનોનું સંપાદન કરાયુ હતું. જેમાં સંપાદિત થયેલી જમીનો માં નિયમ મુજબ 7/12 પર રહેલા ખેત માલિકોને તેના વળતરની ચુકવણા પણ કરી દેવાયા હતા. જોકે આ સમગ્ર મામલે ખેડૂત હિત રક્ષક દળ દ્વારા સદર સંપાદનમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે તપાસની માગણી કરાઇ હતી.
સદર સંપાદનમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો લગાવ્યા હતા. જોકે આ આક્ષેપોને ફગાવતા લીમડી પખાજણ અને અંભેલ ગામના ગ્રામ પંચાયતના હોદ્દેદારો એ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને પત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. આજે જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયાને આવેદન પત્ર પાઠવી સદર જમીન સંપાદનથી સ્થાનિક વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે તેમજ સ્થાનિક ખેડૂતો ની આર્થિક સુખાકારી વધશે તેમજ આ વિસ્તારનો વિકાસ થશે. એવા સંજોગોમાં રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવા સાથે સદર મામલે કેટલાક લેભાગુ તત્વોના પેટમાં તેલ રેડાયું હોય.
ખેડૂતોના હિત ના નામે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા જાતે બની બેઠેલા ખેડૂત આગેવાનો સંપાદનની પ્રક્રિયામાં રોડા નાખવા તેમજ વિકાસના કામમાં અડચણ ઊભી કરી રહ્યાં છે. સરકાર અને વહીવટી તંત્રના અધિકારીઓ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી લોકોને ગુમરાહ કરવા સાથે સ્થાનિક ખેડૂતો ને ખોટા લોભ લાલચ અને પ્રલોભનો આપી વધુ નાણાં અપાવવાની લાલચ સાથે રાજકીય ષડયંત્ર અને પ્રપંચો કરતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા.
તંત્ર ને આવા લેભાગુ તત્વો ને ધ્યાન પર ન લેવા અરજ ગુજારી હતી વધુમાં પત્રમાં જણાવ્યા અન્વયે આદિવાસી ખેડુતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ન થયો હોય તેમજ તેમનું કોઈ પણ પ્રકારનુ શોષણ ન થયું હોવાનું તેમજ સંપાદનની પ્રક્રિયામાં તમામ ચુકવણા ચેક થી થયા હોય તેમ પણ પંચાયતોએ જણાવ્યું હતું. જમીન સંપાદન સ્થાનિક પ્રજાના વ્યાપક હિતમાં હોય આવા લેભાગુ તત્વો સામે કડકાઈથી કામ લેવા પણ ધરતીપુત્રો દ્વારા જિલ્લા કલેકટર ને અનુરોધ કરાયો હતો.સાથે જ હજી પણ વિકાસના કામમાં જોઈએ તેટલી જમીન આપવા ખેડૂતો તૈયાર હોવાનો સુર વ્યક્ત કરાયો હતો.
વાગરા ના લીંમડી, પખાજણ, અંભેલ પંચાયત દ્રારા જમીન સંપાદન મુદ્દે જીલ્લા કલેકટરનો આભાર વ્યક્ત કર્યો
સંપાદન યોગ્ય હજી પણ જોઈએ એટલી જમીન આપવા તૈયાર
જમીન સંપાદન થી સ્થાનિક વિસ્તારમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે
બહારગામ ના તત્વો વાદવિવાદ ઉભા કરતા હોવાનો આક્ષેપ
ખેડૂત હિત રક્ષક દળ દ્વારા જમીન સંપાદનમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તપાસની માંગ કરાઈ હતી
WatchGujarat દહેજ SEZ ના બીજા એકમ માટે જીઆઇડીસી દ્વારા વાગરા તાલુકાના 3 ગામ લીમડી, પખાજણ, અંભેલની જમીનો સંપાદીત કરવાના પ્રકરણમા ત્રણેય ગામોના ગ્રામ પંચાયત ના હોદ્દેદારો ત્થા ધરતીપુત્રો એ મોટી સંખ્યામાં ભરૂચ કલેકટરને આવેદન પત્ર પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે બહારગામના કેટલાક તત્વો ખોટી રીતે વાદવિવાદ ઉભા કરતા હોવાનો તેમજ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ખોટા રાજકીય દાવપેચ કરતા હોવાના સનસનીખેજ આક્ષેપો લગાવ્યા હતા.
દહેજ એસ.ઈ.ઝેડ ના બીજા એકમ માટે જીઆઇડીસી દ્વારા વાગરા તાલુકાના પખાજણ,અંભેલ,લીમડી ગામોની અંદાજિત 1740 એકર જમીનોનું સંપાદન કરાયુ હતું. જેમાં સંપાદિત થયેલી જમીનો માં નિયમ મુજબ 7/12 પર રહેલા ખેત માલિકોને તેના વળતરની ચુકવણા પણ કરી દેવાયા હતા. જોકે આ સમગ્ર મામલે ખેડૂત હિત રક્ષક દળ દ્વારા સદર સંપાદનમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે તપાસની માગણી કરાઇ હતી.
સદર સંપાદનમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો લગાવ્યા હતા. જોકે આ આક્ષેપોને ફગાવતા લીમડી પખાજણ અને અંભેલ ગામના ગ્રામ પંચાયતના હોદ્દેદારો એ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને પત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. આજે જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયાને આવેદન પત્ર પાઠવી સદર જમીન સંપાદનથી સ્થાનિક વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે તેમજ સ્થાનિક ખેડૂતો ની આર્થિક સુખાકારી વધશે તેમજ આ વિસ્તારનો વિકાસ થશે. એવા સંજોગોમાં રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવા સાથે સદર મામલે કેટલાક લેભાગુ તત્વોના પેટમાં તેલ રેડાયું હોય.
ખેડૂતોના હિત ના નામે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા જાતે બની બેઠેલા ખેડૂત આગેવાનો સંપાદનની પ્રક્રિયામાં રોડા નાખવા તેમજ વિકાસના કામમાં અડચણ ઊભી કરી રહ્યાં છે. સરકાર અને વહીવટી તંત્રના અધિકારીઓ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી લોકોને ગુમરાહ કરવા સાથે સ્થાનિક ખેડૂતો ને ખોટા લોભ લાલચ અને પ્રલોભનો આપી વધુ નાણાં અપાવવાની લાલચ સાથે રાજકીય ષડયંત્ર અને પ્રપંચો કરતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા.
તંત્ર ને આવા લેભાગુ તત્વો ને ધ્યાન પર ન લેવા અરજ ગુજારી હતી વધુમાં પત્રમાં જણાવ્યા અન્વયે આદિવાસી ખેડુતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ન થયો હોય તેમજ તેમનું કોઈ પણ પ્રકારનુ શોષણ ન થયું હોવાનું તેમજ સંપાદનની પ્રક્રિયામાં તમામ ચુકવણા ચેક થી થયા હોય તેમ પણ પંચાયતોએ જણાવ્યું હતું. જમીન સંપાદન સ્થાનિક પ્રજાના વ્યાપક હિતમાં હોય આવા લેભાગુ તત્વો સામે કડકાઈથી કામ લેવા પણ ધરતીપુત્રો દ્વારા જિલ્લા કલેકટર ને અનુરોધ કરાયો હતો.સાથે જ હજી પણ વિકાસના કામમાં જોઈએ તેટલી જમીન આપવા ખેડૂતો તૈયાર હોવાનો સુર વ્યક્ત કરાયો હતો.