ભરૂચ-નર્મદા સહિત દ.ગુ. ની 10 સુગર ફેકટરીઓએ શેરડીના ભાવો બહાર પાડયા
શેરડી ઉત્પાદકોને ગયા વર્ષ કરતાં ઓછા ભાવો મળતા ભારે કચવાટ
દેશભરમાં વપરાશ કરતા વધારે ભરાવાને લઈ શેરડીના ભાવો પર વિપરીત અસરનું વહીવટકર્તાઓનું નિવેદન
WatchGujarat. ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં 10 સુગરોમાં શેરડીનાં ભાવો ટનદીઠ રૂ.279 થી 526 ભાવો ઓછા પડતા શેરડી ઉત્પાદકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. સુગરનાં વહીવટકર્તાઓએ દેશભરમાં વપરાશ કરતાં વધારે ખાંડનો ભરાવો થતા શેરડીનાં ભાવ પર વ્યાપક અસર થઈ હોવાનું કારણ આગળ ધર્યું છે.
ગયા વર્ષથી સતત કોરોના મહામારી વચ્ચે માંડ માંડ સુગરો બહાર નીકળી રહી છે. ગુજરાત રાજ્ય ખાંડ ઉધોગ સંઘ ગાંધીનગર દ્રારા માર્ચ મહિનો પુરો થયા બાદ સુગર ફેક્ટરી દ્રારા શેરડીનો ભાવ આજે નકકી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આજે ભરૂચ જિલ્લાની 2 સુગરોએ ગયા વર્ષ કરતાં ઓછા ભાવો પાડયા હતા. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ શેરડીનાં ભાવો ગયા વર્ષ કરતાં ઓછા પડતા સભાસદોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી.
સુગરનાં વહીવટ કર્તાઓ માટે ખાંડનું દેશભરમાં બમણું ઉત્પાદનને કારણે ખાંડ બજાર પર અસર થઈ હતી. ખાસ તો મોટા ભાગની ઇથેનોલ પ્લાન્ટને કારણે ક્રુડ ઓઇલમાં ઇથેનોલનુ પ્રમાણ વધારતા અને ઓઈલ કંપનીથી સારો ભાવ મળતો હોવાથી તેનો ફાયદો શેરડી ઉત્પાદકોને ફાયદો થયો છે.
ભરૂચ-નર્મદા સહિત દ.ગુ. ની 10 સુગર ફેકટરીઓએ શેરડીના ભાવો બહાર પાડયા
શેરડી ઉત્પાદકોને ગયા વર્ષ કરતાં ઓછા ભાવો મળતા ભારે કચવાટ
દેશભરમાં વપરાશ કરતા વધારે ભરાવાને લઈ શેરડીના ભાવો પર વિપરીત અસરનું વહીવટકર્તાઓનું નિવેદન
WatchGujarat. ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં 10 સુગરોમાં શેરડીનાં ભાવો ટનદીઠ રૂ.279 થી 526 ભાવો ઓછા પડતા શેરડી ઉત્પાદકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. સુગરનાં વહીવટકર્તાઓએ દેશભરમાં વપરાશ કરતાં વધારે ખાંડનો ભરાવો થતા શેરડીનાં ભાવ પર વ્યાપક અસર થઈ હોવાનું કારણ આગળ ધર્યું છે.
ગયા વર્ષથી સતત કોરોના મહામારી વચ્ચે માંડ માંડ સુગરો બહાર નીકળી રહી છે. ગુજરાત રાજ્ય ખાંડ ઉધોગ સંઘ ગાંધીનગર દ્રારા માર્ચ મહિનો પુરો થયા બાદ સુગર ફેક્ટરી દ્રારા શેરડીનો ભાવ આજે નકકી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આજે ભરૂચ જિલ્લાની 2 સુગરોએ ગયા વર્ષ કરતાં ઓછા ભાવો પાડયા હતા. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ શેરડીનાં ભાવો ગયા વર્ષ કરતાં ઓછા પડતા સભાસદોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી.
સુગરનાં વહીવટ કર્તાઓ માટે ખાંડનું દેશભરમાં બમણું ઉત્પાદનને કારણે ખાંડ બજાર પર અસર થઈ હતી. ખાસ તો મોટા ભાગની ઇથેનોલ પ્લાન્ટને કારણે ક્રુડ ઓઇલમાં ઇથેનોલનુ પ્રમાણ વધારતા અને ઓઈલ કંપનીથી સારો ભાવ મળતો હોવાથી તેનો ફાયદો શેરડી ઉત્પાદકોને ફાયદો થયો છે.