BTP MLA એ ખેડૂત પુત્રના સમર્થનમાં ટ્વીટ કરી સમગ્ર આદિવાસી સમાજ પડખે હોવાની આપી ખાત્રી
સરકારથી નારાજ ગુજરાતના ખેડૂતો પણ આ ટ્વીટ ને લઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે BTP-AIMIM તરફ આકર્ષિત થઈ શકે
છોટુભાઈ વસાવાની સરકારને ચેતવણી ગુજરાતમાં આંદોલન શરૂ થશે
WatchGujarat 3 કૃષિ કાયદાને લઈ છેલ્લા 60 દિવસ કરતા વધુ દિવસોથી કિસાન સંગઠનો દ્વારા દિલ્હીની ગાજીપુર બોર્ડર પર ધામા નાખવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીના રોજ ટ્રેકટર રેલીમાં ધમાસન થયા બાદ ખેડૂત આંદોલન દિવસેને દિવસે હવે નવા નવા વળાંકો લઈ રહ્યું છે. રેલીમાં થેયલ ઘમાસનના પગલે 2 કિસાન સંગઠનને આંદલોનથી છેડો ફાળ્યો હતો. તો બીજી તરફ ઘમાસનના પગલે દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કિસાન સંગઠનના આગેવાનો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેના કારણે એક તરફ આંદોલન પૂરુ થઈ જવાની કગાર પર આવી ગયું હતુ. પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં પણ આંદોલનના ભણકારા વાગ્યા છે.
BKU નેતા રાકેશ ટિકૈતના સમર્થનમાં BTPના છોટુ વસાવા એ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરી સરકારને ચેતવણી આપી છે. છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરીને કહ્યું કે, રાકેશ ટિકૈતને કંઇ થશે તો આદીવાસીઓ રસ્તા પર ઉતરશે અને અમે ગુજરાતમાં પણ આંદોલન શરૂ કરીશું. સમગ્ર આદિવાસી સમાજ ખેડૂતપુત્રની સાથે છે.
https://twitter.com/chhotu_vasava/status/1354850479029710856?s=21
ટ્વીટરના માધ્યમથી ઝઘડિયાના BTP સુપ્રીમો Chhotubhai Vasava @Chhotu_Vasava એ હિન્દી માં ટ્વીટ કરી यदि किसान मसीहा महेंद्रसिंह टिकैत के पुत्र राकेश टिकैत को एक खरोंच भी आईं तो पूरा आदिवासी समुदाय सड़को पर खुला विरोध करेगा. यह सरकार को चेतावनी है आंदोलन कभी भी गुजरात मे शुरू हो शकता है !.
બીજી તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે છોટુ વસાવના આ ટ્વીટથી રાજકારણ ગરમાયુ છે. ખેડૂત આંદોલન આગામી દિવસોમાં ગુજરાતમાં BTP ની સરકારને ચેતવણી ને લઈ કેવો રાજકીય વેગ પકડે છે તેના પર હવે લોકોની નજર કેન્દ્રિત થઇ છે.
બીજી તરફ સરકારથી નારાજ ગુજરાતના ખેડૂતો પણ છોટુ વસાવાની આ ટ્વીટ બાદ BTP અને AIMIM ના ગઠબંધન તરફ પોતાનો ઝોક આપી શકે તેમ હોવાથી છોટુ વસાવના આ ટ્વીટ એ ખેડૂત સમાજને પણ પોતાના તરફ આકર્ષિત કરી દીધો છે.
BTP MLA એ ખેડૂત પુત્રના સમર્થનમાં ટ્વીટ કરી સમગ્ર આદિવાસી સમાજ પડખે હોવાની આપી ખાત્રી
સરકારથી નારાજ ગુજરાતના ખેડૂતો પણ આ ટ્વીટ ને લઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે BTP-AIMIM તરફ આકર્ષિત થઈ શકે
છોટુભાઈ વસાવાની સરકારને ચેતવણી ગુજરાતમાં આંદોલન શરૂ થશે
WatchGujarat 3 કૃષિ કાયદાને લઈ છેલ્લા 60 દિવસ કરતા વધુ દિવસોથી કિસાન સંગઠનો દ્વારા દિલ્હીની ગાજીપુર બોર્ડર પર ધામા નાખવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીના રોજ ટ્રેકટર રેલીમાં ધમાસન થયા બાદ ખેડૂત આંદોલન દિવસેને દિવસે હવે નવા નવા વળાંકો લઈ રહ્યું છે. રેલીમાં થેયલ ઘમાસનના પગલે 2 કિસાન સંગઠનને આંદલોનથી છેડો ફાળ્યો હતો. તો બીજી તરફ ઘમાસનના પગલે દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કિસાન સંગઠનના આગેવાનો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેના કારણે એક તરફ આંદોલન પૂરુ થઈ જવાની કગાર પર આવી ગયું હતુ. પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં પણ આંદોલનના ભણકારા વાગ્યા છે.
BKU નેતા રાકેશ ટિકૈતના સમર્થનમાં BTPના છોટુ વસાવા એ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરી સરકારને ચેતવણી આપી છે. છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરીને કહ્યું કે, રાકેશ ટિકૈતને કંઇ થશે તો આદીવાસીઓ રસ્તા પર ઉતરશે અને અમે ગુજરાતમાં પણ આંદોલન શરૂ કરીશું. સમગ્ર આદિવાસી સમાજ ખેડૂતપુત્રની સાથે છે.
ટ્વીટરના માધ્યમથી ઝઘડિયાના BTP સુપ્રીમો Chhotubhai Vasava @Chhotu_Vasava એ હિન્દી માં ટ્વીટ કરી यदि किसान मसीहा महेंद्रसिंह टिकैत के पुत्र राकेश टिकैत को एक खरोंच भी आईं तो पूरा आदिवासी समुदाय सड़को पर खुला विरोध करेगा. यह सरकार को चेतावनी है आंदोलन कभी भी गुजरात मे शुरू हो शकता है !.
બીજી તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે છોટુ વસાવના આ ટ્વીટથી રાજકારણ ગરમાયુ છે. ખેડૂત આંદોલન આગામી દિવસોમાં ગુજરાતમાં BTP ની સરકારને ચેતવણી ને લઈ કેવો રાજકીય વેગ પકડે છે તેના પર હવે લોકોની નજર કેન્દ્રિત થઇ છે.
બીજી તરફ સરકારથી નારાજ ગુજરાતના ખેડૂતો પણ છોટુ વસાવાની આ ટ્વીટ બાદ BTP અને AIMIM ના ગઠબંધન તરફ પોતાનો ઝોક આપી શકે તેમ હોવાથી છોટુ વસાવના આ ટ્વીટ એ ખેડૂત સમાજને પણ પોતાના તરફ આકર્ષિત કરી દીધો છે.