પોઝીટીવ આવેલા વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.
તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શાળામાં પ્રાઇમરી સેક્શન બંધ કરાવવામાં આવ્યું
પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર તમામના વિદ્યાર્થીઓ સહીત અન્ય લોકોના રેપિડ ટેસ્ટ કરાવ્યા
WatchGujarat ગત વર્ષે માર્ચ મહિનામાં અન્ય દેશો સહિત ભારતમાં પણ વૈશ્વિક મહામારી કોરોનાનો પગપેસારો થયો હતો. જેના કારણે 11 મહિનાથી વધુ મહિનાઓ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહી હતી. 11 મહિનાબાદ કોરોનાના કેસોમાં ઘટાડો થતા અને વેક્સીન મળી જતા 11 મહિનાબાદ સ્કૂલો શરૂ કરવામા આવી છે. ત્યારે ફરીએક વાર સ્કૂલો શરુ થતા શહેરની એક શાળામાં ધો. ૭ના એક સાથે ૫ વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ થતા તંત્ર દોડતું થયું છે. જોકે પોઝીટીવ આવેલા વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.
દરમિયાન તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શાળામાં પ્રાઇમરી સેક્શન બંધ કરાવવામાં આવ્યું છે. આ સાથે પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર તમામના વિદ્યાર્થીઓ સહીત અન્ય લોકોના રેપિડ ટેસ્ટ કરાવ્યા છે. બીજી તરફ શાળામાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા વાલીઓમાં પણ ભય નો માહોલ ઉભો થયો છે.
શહેરમાં કોરોનાના કેસો વધતા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. તંત્ર દ્વારા ફરી એક વખત ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. તેમજ માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના નાના વરાછામાં રામજી મંદિર પાસે આવેલી કૌશલ વિદ્યાભવન શાળામાં ધો.7ના એક સાથે પાંચ-પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સુરત પાલિકા તંત્ર દોડતું થઇ ગયું છે. પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે શાળામાં પ્રાઇમરી સેક્શન બંધ કરાવી દેવામાં આવ્યું છે. સાથે પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર તમામના રેપિડ ટેસ્ટ કરાવ્યા છે. એક જ ક્લાસમાં ભણતા 5 વિદ્યાર્થીઓના કેસ પોઝિટિવ આવતા વાલીઓમાં પણ ફફડાટનો માહોલ ઉભો થયો છે.મહત્ત્વની વાત એ છે કે આ પાંચેય પોઝિટિવ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા ન હતા.
સ્કુલોમાં તપાસ દરમ્યાન વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા
ઉલ્લેખનિય છે કે, પાલિકાની ટીમ દ્વારા હાલમાં સ્કૂલોમાં રેન્ડમ તપાસ કરવામાં આવી રહ્યું છે. મળી આવેલા પાંચેય વિદ્યાર્થીઓમાં લક્ષણ ન હોઇ શાળામાં તથા ઘરના ફેમિલી મેમ્બર સાથે કોઇના પણ સંપર્કમાં આવનારને ચેપ લગાડી શકે છે. જેથી આ સ્થિતિ બાદ હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મોકલવા કે નહિં? તેને લઇ વાલીઓમાં પણ મુંઝવણની સ્થિતિ સર્જાઇ છે. સરકારે સ્કૂલો તો શરૂ કરી દીધી પણ આ રીતના કેસો સામે આવતા હવે આ અંગે જરૂરી પગલા લેવાની જરૂરિયાત ઉભી હોય તેવી માંગ લોકોમાં ઉભી થઇ છે.
184 વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા
કૌશલ વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફ મળીને 184 વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ધો.7ના એક જ કલાસમાં ભણતા 5 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. બે અલગ અલગ બિલ્ડિંગમાં પ્રાઇમરી અને સેકન્ડરી શાળા ચાલે છે. જેથી પ્રાઇમરી સેક્શન બંધ કર્યા છે
પોઝીટીવ આવેલા વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.
તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શાળામાં પ્રાઇમરી સેક્શન બંધ કરાવવામાં આવ્યું
પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર તમામના વિદ્યાર્થીઓ સહીત અન્ય લોકોના રેપિડ ટેસ્ટ કરાવ્યા
WatchGujarat ગત વર્ષે માર્ચ મહિનામાં અન્ય દેશો સહિત ભારતમાં પણ વૈશ્વિક મહામારી કોરોનાનો પગપેસારો થયો હતો. જેના કારણે 11 મહિનાથી વધુ મહિનાઓ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહી હતી. 11 મહિનાબાદ કોરોનાના કેસોમાં ઘટાડો થતા અને વેક્સીન મળી જતા 11 મહિનાબાદ સ્કૂલો શરૂ કરવામા આવી છે. ત્યારે ફરીએક વાર સ્કૂલો શરુ થતા શહેરની એક શાળામાં ધો. ૭ના એક સાથે ૫ વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ થતા તંત્ર દોડતું થયું છે. જોકે પોઝીટીવ આવેલા વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.
દરમિયાન તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શાળામાં પ્રાઇમરી સેક્શન બંધ કરાવવામાં આવ્યું છે. આ સાથે પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર તમામના વિદ્યાર્થીઓ સહીત અન્ય લોકોના રેપિડ ટેસ્ટ કરાવ્યા છે. બીજી તરફ શાળામાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા વાલીઓમાં પણ ભય નો માહોલ ઉભો થયો છે.
શહેરમાં કોરોનાના કેસો વધતા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. તંત્ર દ્વારા ફરી એક વખત ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. તેમજ માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના નાના વરાછામાં રામજી મંદિર પાસે આવેલી કૌશલ વિદ્યાભવન શાળામાં ધો.7ના એક સાથે પાંચ-પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સુરત પાલિકા તંત્ર દોડતું થઇ ગયું છે. પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે શાળામાં પ્રાઇમરી સેક્શન બંધ કરાવી દેવામાં આવ્યું છે. સાથે પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર તમામના રેપિડ ટેસ્ટ કરાવ્યા છે. એક જ ક્લાસમાં ભણતા 5 વિદ્યાર્થીઓના કેસ પોઝિટિવ આવતા વાલીઓમાં પણ ફફડાટનો માહોલ ઉભો થયો છે.મહત્ત્વની વાત એ છે કે આ પાંચેય પોઝિટિવ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા ન હતા.
સ્કુલોમાં તપાસ દરમ્યાન વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા
ઉલ્લેખનિય છે કે, પાલિકાની ટીમ દ્વારા હાલમાં સ્કૂલોમાં રેન્ડમ તપાસ કરવામાં આવી રહ્યું છે. મળી આવેલા પાંચેય વિદ્યાર્થીઓમાં લક્ષણ ન હોઇ શાળામાં તથા ઘરના ફેમિલી મેમ્બર સાથે કોઇના પણ સંપર્કમાં આવનારને ચેપ લગાડી શકે છે. જેથી આ સ્થિતિ બાદ હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મોકલવા કે નહિં? તેને લઇ વાલીઓમાં પણ મુંઝવણની સ્થિતિ સર્જાઇ છે. સરકારે સ્કૂલો તો શરૂ કરી દીધી પણ આ રીતના કેસો સામે આવતા હવે આ અંગે જરૂરી પગલા લેવાની જરૂરિયાત ઉભી હોય તેવી માંગ લોકોમાં ઉભી થઇ છે.
184 વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા
કૌશલ વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફ મળીને 184 વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ધો.7ના એક જ કલાસમાં ભણતા 5 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. બે અલગ અલગ બિલ્ડિંગમાં પ્રાઇમરી અને સેકન્ડરી શાળા ચાલે છે. જેથી પ્રાઇમરી સેક્શન બંધ કર્યા છે