કોરોનાની મહામારી વચ્ચે રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી
ભાજપ કાર્યાલય પરથી ઇન્જેક્શન વિતરણ કરી રહ્યું છે
આદમી પાર્ટીએ આને રાજનીતિ ગણાવી વિરોધ વ્યક્ત કર્યો
WatchGujarat. સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી છે. એક તરફ ભાજપ કાર્યાલય પરથી ઇન્જેક્શન વિતરણ કરી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આને રાજનીતિ ગણાવી વિરોધ વ્યક્ત કર્યો છે. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ભાજપ માત્ર કાર્યાલય પરથી જ ઇન્જેક્શન અપાવી રાજનીતિ કરી રહ્યું છે જેનો અમે વિરોધ કરીએ છીએ. આ ઉપરાંત સ્મશાન પણ જયારે જગ્યા મળી નથી રહી ત્યારે શું ભાજપ કાર્યલય પરથી જ મૃતકોને અગ્નિદાહ આપવામાં આવશે.
શું ભાજપ કાર્યાલય પરથી પણ મૃતકને અગ્નિદાહ અપાશે
સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. સારવાર માટે દર્દીઓ વલખા મારી રહ્યા છે. અને ઈન્જેકશન માટે દર્દીઓની પડાપડી જોવા મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે સુરતમાં લોકોની મદદે આવવાને બદલે રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી છે. રાજકીય પક્ષો આરોપ પ્રતિઆરોપના ખેલ ખેલી રહ્યું છે.
https://youtu.be/iub5KUlCXZU
આમ આદમી પાર્ટીના વીપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે દર્દીઓને સારવાર અપાવવામાં ભાજપ નિષ્ફળ નીવડ્યું છે, એક પણ દર્દીને ઇન્જેક્શન મળી નથી રહ્યું. તો ભાજપ કાર્યાલય પરથી કેવી રીતે મળી રહ્યું છે તે એક મોટો સવાલ છે, આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાયદાનો પણ ઉલ્લધન થઇ રહ્યું છે.
હાલમાં હજારો કેસ સામે આવી રહ્યા છે ત્યારે ભાજપ માત્ર કાર્યાલય પરથી જ ઇન્જેક્શન અપાવી રાજનીતિ કરી રહ્યું છે જેનો અમે વિરોધ કરીએ છીએ. આ ઉપરાંત સ્મશાન પણ જયારે જગ્યા મળી નથી રહી ત્યારે શું ભાજપ કાર્યલય પરથી જ મૃતકોને અગ્નિદાહ આપવામાં આવશે ? તેવો સવાલ પણ ઉભો થઇ રહ્યો છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે અમે કોવીડ કેર સેન્ટર પણ ઉભા કરવા જઈ રહ્યા છે. જે પણ સેવાભાવી ડોક્ટર મદદ કરવા માંગતા હોય તેઓએ અમારી પાર્ટી કાર્યલયનો સંપર્ક કરવો.
કોરોનાની મહામારી વચ્ચે રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી
ભાજપ કાર્યાલય પરથી ઇન્જેક્શન વિતરણ કરી રહ્યું છે
આદમી પાર્ટીએ આને રાજનીતિ ગણાવી વિરોધ વ્યક્ત કર્યો
WatchGujarat. સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી છે. એક તરફ ભાજપ કાર્યાલય પરથી ઇન્જેક્શન વિતરણ કરી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આને રાજનીતિ ગણાવી વિરોધ વ્યક્ત કર્યો છે. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ભાજપ માત્ર કાર્યાલય પરથી જ ઇન્જેક્શન અપાવી રાજનીતિ કરી રહ્યું છે જેનો અમે વિરોધ કરીએ છીએ. આ ઉપરાંત સ્મશાન પણ જયારે જગ્યા મળી નથી રહી ત્યારે શું ભાજપ કાર્યલય પરથી જ મૃતકોને અગ્નિદાહ આપવામાં આવશે.
શું ભાજપ કાર્યાલય પરથી પણ મૃતકને અગ્નિદાહ અપાશે
સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. સારવાર માટે દર્દીઓ વલખા મારી રહ્યા છે. અને ઈન્જેકશન માટે દર્દીઓની પડાપડી જોવા મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે સુરતમાં લોકોની મદદે આવવાને બદલે રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી છે. રાજકીય પક્ષો આરોપ પ્રતિઆરોપના ખેલ ખેલી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના વીપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે દર્દીઓને સારવાર અપાવવામાં ભાજપ નિષ્ફળ નીવડ્યું છે, એક પણ દર્દીને ઇન્જેક્શન મળી નથી રહ્યું. તો ભાજપ કાર્યાલય પરથી કેવી રીતે મળી રહ્યું છે તે એક મોટો સવાલ છે, આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાયદાનો પણ ઉલ્લધન થઇ રહ્યું છે.
હાલમાં હજારો કેસ સામે આવી રહ્યા છે ત્યારે ભાજપ માત્ર કાર્યાલય પરથી જ ઇન્જેક્શન અપાવી રાજનીતિ કરી રહ્યું છે જેનો અમે વિરોધ કરીએ છીએ. આ ઉપરાંત સ્મશાન પણ જયારે જગ્યા મળી નથી રહી ત્યારે શું ભાજપ કાર્યલય પરથી જ મૃતકોને અગ્નિદાહ આપવામાં આવશે ? તેવો સવાલ પણ ઉભો થઇ રહ્યો છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે અમે કોવીડ કેર સેન્ટર પણ ઉભા કરવા જઈ રહ્યા છે. જે પણ સેવાભાવી ડોક્ટર મદદ કરવા માંગતા હોય તેઓએ અમારી પાર્ટી કાર્યલયનો સંપર્ક કરવો.