બીજી તરફ 120 બેઠકના સપના જોતું ભાજપ 93 બેઠક સાથે ફરી એક વખત સત્તામાં આવ્યું
આભાર માનતી વેળાએ CR પાટીલે કૂતરું કાઢતાં બિલાડું પેસી ગયું કહી આડકતરી રીતે કોંગ્રેસને કૂતરું અને આપને બિલાડું કહીને બળાપો વ્યક્ત કર્યો
WatchGujarat મહાનગરપાલિકાની રવિવારના રોજ યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર થયાબાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સત્તાવાર એન્ટ્રી કરી છે. સુરતમાં 27 બેઠકો પર વિજય મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીના રોજ સુરત આવશે. જ્યાં તેઓ વારછા ખાતે અલગ લેગ વિસ્તારમાં ભવ્ય રોડ શો કરશે. તેમજ સરથાણા તક્ષશીલા કોમ્પ્લેક્ષ પાસે જાહેર સભા યોજશે. બીજી તરફ 120 બેઠકના સપના જોતું ભાજપ 93 બેઠક સાથે ફરી એક વખત સત્તામાં આવ્યું છે.
સુરતમાં ભાજપના ઉમેદવારોની જીત થતા ભવ્ય રેલીઓ યોજી હતી. ઉમેદવારોએ ફટકડા ફોડી જીતને વધાવી લીધી હતી. સુરતના મહામંત્રી લલિત વેકરીયાની હાર મોટો અપસેટ ગણવામાં આવે છે. છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ મહાનગરપાલિકામાં સત્તા માં રહી છે. હવે ફરીથી પાંચ વર્ષ સુધી સત્તામાં રહેશે. ત્યારે સી.આર.પાટીલે જીતની ખુશી અને મતદારોનો આભાર માનતી વખતે પાટીલે ભાષણમાં કહ્યું હતું કે કૂતરું કાઢતાં બિલાડું પેસી ગયું છે. આ કહેવત કહેતાં તેમણે આડકતરી રીતે કોંગ્રેસને કૂતરું અને આપને બિલાડું કહીને બળાપો વ્યક્ત કર્યો છે.
ફરિયાદ આવવી જોઈએ નહિ કે કોર્પોરેટરો દેખાતા નથી : CR પાટીલ
ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ ચૂંટાયેલા કોર્પોરેટરને સી.આર. પાટીલ અભિનંદન આપવા પહોંચી ગયા હતા. સીઆર પાટીલે જણાવ્યું હતું કે, જીતનાર અને ન જીતનારને પણ અભિનંદન આપું છું, પરંતુ હવે કરોળિયાની જેમ કામે લાગી જાઓ. કોઈને દોષ દેવાની જરૂર નથી. ચૂંટાયેલા પ્રતિનિધિને સીઆર પાટીલએ શીખ આપી હતી કે કામે લાગો, પરંતુ ફરિયાદ આવવી જોઈએ નહી. કોઈ કહેવું જોઈએ નહીં કે કોર્પોરેટર દેખાતા નથી. એવી ફરિયાદ આવશે તો એક્શન લેવામાં આવશે. આવનારા 6 મહિનામાં ખબર પડી જશે. કોર્પોરેટર થઈ ગયા એટલે સાહેબ થઈ ગયા એવું ન કરતા, તમામની સમસ્યાનો ઉકેલ લાવજો. ન સમજાય તો વરિષ્ઠ નેતાને પૂછી કામ કરજો.
મહિલા કોર્પોરેટરના પતિએ જાતે કામ કરવું નહિ : પાટીલે ટોણો માર્યો
ભુતકાળમાં મહિલા કોર્પોરેટરોના પતિ લાંચ લેવાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે પાટીલે આ મામલે ટોણો મારતા જણાવ્યું હતું કે, મહિલા કોર્પોરેટરના પતિએ જાતે કામ કરવું નહિ. મહિલા કોર્પોરેટરને જ કામ કરવા દેવું. ભાજપના હારેલા લલિત વેકરિયા અને બાબુ જીરાને સીઆર પાટીલે કહ્યું હતું કે તમે હારી જાઓ એ માનવામાં આવતું નથી. કોંગ્રેસ એકપણ બેઠક ન જીતતાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જનતાનો આભાર માની કહ્યું હતું કે ઐતિહાસિક જીત તો મળી છે; પણ સોનાની થાળીમાં લોઢાની મેખ લાગી ગઈ છે, એમ કહીને આમ આદમી વિશે ટિપ્પણી કરી હતી.
બીજી તરફ 120 બેઠકના સપના જોતું ભાજપ 93 બેઠક સાથે ફરી એક વખત સત્તામાં આવ્યું
આભાર માનતી વેળાએ CR પાટીલે કૂતરું કાઢતાં બિલાડું પેસી ગયું કહી આડકતરી રીતે કોંગ્રેસને કૂતરું અને આપને બિલાડું કહીને બળાપો વ્યક્ત કર્યો
WatchGujarat મહાનગરપાલિકાની રવિવારના રોજ યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર થયાબાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સત્તાવાર એન્ટ્રી કરી છે. સુરતમાં 27 બેઠકો પર વિજય મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીના રોજ સુરત આવશે. જ્યાં તેઓ વારછા ખાતે અલગ લેગ વિસ્તારમાં ભવ્ય રોડ શો કરશે. તેમજ સરથાણા તક્ષશીલા કોમ્પ્લેક્ષ પાસે જાહેર સભા યોજશે. બીજી તરફ 120 બેઠકના સપના જોતું ભાજપ 93 બેઠક સાથે ફરી એક વખત સત્તામાં આવ્યું છે.
સુરતમાં ભાજપના ઉમેદવારોની જીત થતા ભવ્ય રેલીઓ યોજી હતી. ઉમેદવારોએ ફટકડા ફોડી જીતને વધાવી લીધી હતી. સુરતના મહામંત્રી લલિત વેકરીયાની હાર મોટો અપસેટ ગણવામાં આવે છે. છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ મહાનગરપાલિકામાં સત્તા માં રહી છે. હવે ફરીથી પાંચ વર્ષ સુધી સત્તામાં રહેશે. ત્યારે સી.આર.પાટીલે જીતની ખુશી અને મતદારોનો આભાર માનતી વખતે પાટીલે ભાષણમાં કહ્યું હતું કે કૂતરું કાઢતાં બિલાડું પેસી ગયું છે. આ કહેવત કહેતાં તેમણે આડકતરી રીતે કોંગ્રેસને કૂતરું અને આપને બિલાડું કહીને બળાપો વ્યક્ત કર્યો છે.
ફરિયાદ આવવી જોઈએ નહિ કે કોર્પોરેટરો દેખાતા નથી : CR પાટીલ
ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ ચૂંટાયેલા કોર્પોરેટરને સી.આર. પાટીલ અભિનંદન આપવા પહોંચી ગયા હતા. સીઆર પાટીલે જણાવ્યું હતું કે, જીતનાર અને ન જીતનારને પણ અભિનંદન આપું છું, પરંતુ હવે કરોળિયાની જેમ કામે લાગી જાઓ. કોઈને દોષ દેવાની જરૂર નથી. ચૂંટાયેલા પ્રતિનિધિને સીઆર પાટીલએ શીખ આપી હતી કે કામે લાગો, પરંતુ ફરિયાદ આવવી જોઈએ નહી. કોઈ કહેવું જોઈએ નહીં કે કોર્પોરેટર દેખાતા નથી. એવી ફરિયાદ આવશે તો એક્શન લેવામાં આવશે. આવનારા 6 મહિનામાં ખબર પડી જશે. કોર્પોરેટર થઈ ગયા એટલે સાહેબ થઈ ગયા એવું ન કરતા, તમામની સમસ્યાનો ઉકેલ લાવજો. ન સમજાય તો વરિષ્ઠ નેતાને પૂછી કામ કરજો.
ભુતકાળમાં મહિલા કોર્પોરેટરોના પતિ લાંચ લેવાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે પાટીલે આ મામલે ટોણો મારતા જણાવ્યું હતું કે, મહિલા કોર્પોરેટરના પતિએ જાતે કામ કરવું નહિ. મહિલા કોર્પોરેટરને જ કામ કરવા દેવું. ભાજપના હારેલા લલિત વેકરિયા અને બાબુ જીરાને સીઆર પાટીલે કહ્યું હતું કે તમે હારી જાઓ એ માનવામાં આવતું નથી. કોંગ્રેસ એકપણ બેઠક ન જીતતાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જનતાનો આભાર માની કહ્યું હતું કે ઐતિહાસિક જીત તો મળી છે; પણ સોનાની થાળીમાં લોઢાની મેખ લાગી ગઈ છે, એમ કહીને આમ આદમી વિશે ટિપ્પણી કરી હતી.