સુરતના વરાછા હીરાબાગ સર્કલ પાસેની ઘટના
રાઝધાની લકઝરી બસમાં અચાનક ભભૂકી
લકઝરીમાં બસમાં સવાર મુસાફરો જીવ બચાવવા કાંચ તોડી બહાર આવવા પ્રયાસો કર્યા
સ્થાનિકો મદદ આવતા લકઝરી બસમાં સવાર કેટલાક મુસાફરોને બચાવ્યા
WatchGujarat. સુરતના હીરાબાગ સર્કલ પાસે મુસાફરો ભરેલી બસમાં આગ (Burning Bus) લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ આ ઘટનામાં એક મહિલા મુસાફરોનુ મોત થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તથા બે જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાટલ થયા હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
સુરતના વરાછા હીરાબાગ સર્કલ પાસે ખાનગી લકઝરી બસ રાજધાની પસાર થઈ રહી હતી, તે વેળાએ બસમાં અચાનક આગ લાગી હતી. ચાલુ બસમાં આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે રસ્તા પરથી પસાર થઇ રહેલા રાહદરીઓ તેમજ અન્ય સ્થાનિકો લકઝરી બસમાં ફસાયેલા મુસાફરોનો જીવ બચાવવા કામે લાગ્યા હતા.
જોકે લકઝરી બસમાં કયા કારણોસર આગ લાગી તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ આગ લાગવાની સાથે આગે સમગ્ર બસને ખૂબ ઝડપથી ચપેટ લઈ લીધી હતી. બસમાં ફસાયેલા મુસાફરો રીતસરના જીવ બચાવવા ભાગ્યા હતા. લોકોએ મુસાફરોને બચાવવાના પ્રયાસો કર્યા હતા.
આ દુર્ઘટનાનો એક વિડઓ સામે આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે એક એક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે બસની બારીમાંથી નીચે કૂદવાનું પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તે વ્યક્તિ બસની બારીમાં ફસાઈ ગયો હતો અને ત્યાં જ તેનું મોત થયું હતું. એ વ્યક્તિની લાશ બસના બારીમાંથી અડધી સળગેલી હાલતમાં બસમાં બહાર દેખાતી હતી તસવીરો એટલી ભયાવહ છે કે વોચ ગુજરાત ડોટ કોમ સમગ્ર તસવીરો આપને બતાવી નથી શકતા.
ઘટનાની જાણ થતા તરત જ ફાયર અને 108 એમ્બ્યુલન્સ નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટના બાદ વરાછા રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનામાં હાલ બે થી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થવાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે.
ઘટનાની ગંભીરતા જોતા સુરતના મેયર હેમાલી બેન ગોગા વાળા ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘરની વ્યક્તિઓને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા આ કયા કારણોસર લાગી છે તે હજી સુધી જાણી શકાયું નથી આ મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
સુરતના વરાછા હીરાબાગ સર્કલ પાસેની ઘટના
રાઝધાની લકઝરી બસમાં અચાનક ભભૂકી
લકઝરીમાં બસમાં સવાર મુસાફરો જીવ બચાવવા કાંચ તોડી બહાર આવવા પ્રયાસો કર્યા
સ્થાનિકો મદદ આવતા લકઝરી બસમાં સવાર કેટલાક મુસાફરોને બચાવ્યા
WatchGujarat. સુરતના હીરાબાગ સર્કલ પાસે મુસાફરો ભરેલી બસમાં આગ (Burning Bus) લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ આ ઘટનામાં એક મહિલા મુસાફરોનુ મોત થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તથા બે જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાટલ થયા હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
સુરતના વરાછા હીરાબાગ સર્કલ પાસે ખાનગી લકઝરી બસ રાજધાની પસાર થઈ રહી હતી, તે વેળાએ બસમાં અચાનક આગ લાગી હતી. ચાલુ બસમાં આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે રસ્તા પરથી પસાર થઇ રહેલા રાહદરીઓ તેમજ અન્ય સ્થાનિકો લકઝરી બસમાં ફસાયેલા મુસાફરોનો જીવ બચાવવા કામે લાગ્યા હતા.
જોકે લકઝરી બસમાં કયા કારણોસર આગ લાગી તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ આગ લાગવાની સાથે આગે સમગ્ર બસને ખૂબ ઝડપથી ચપેટ લઈ લીધી હતી. બસમાં ફસાયેલા મુસાફરો રીતસરના જીવ બચાવવા ભાગ્યા હતા. લોકોએ મુસાફરોને બચાવવાના પ્રયાસો કર્યા હતા.
આ દુર્ઘટનાનો એક વિડઓ સામે આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે એક એક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે બસની બારીમાંથી નીચે કૂદવાનું પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તે વ્યક્તિ બસની બારીમાં ફસાઈ ગયો હતો અને ત્યાં જ તેનું મોત થયું હતું. એ વ્યક્તિની લાશ બસના બારીમાંથી અડધી સળગેલી હાલતમાં બસમાં બહાર દેખાતી હતી તસવીરો એટલી ભયાવહ છે કે વોચ ગુજરાત ડોટ કોમ સમગ્ર તસવીરો આપને બતાવી નથી શકતા.
ઘટનાની જાણ થતા તરત જ ફાયર અને 108 એમ્બ્યુલન્સ નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટના બાદ વરાછા રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનામાં હાલ બે થી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થવાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે.
ઘટનાની ગંભીરતા જોતા સુરતના મેયર હેમાલી બેન ગોગા વાળા ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘરની વ્યક્તિઓને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા આ કયા કારણોસર લાગી છે તે હજી સુધી જાણી શકાયું નથી આ મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.