સુરતમાં સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજવતા કર્મચારી રીટાયર થતા તેમને સહર્ષ આંસુ સાથે વિદાય આપવામાં આવી
રમણભાઈ સોલંકી 1988માં નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કામગીરી માટે જોડાયા હતા
કોરોના પોઝીટીવ દર્દીઓના મૃતદેહોનું પણ પોસ્ટમોર્ટમ કર્યું છતાં કોરોના રહ્યો કોસો દૂર
WatchGujarat. સામાન્ય રીતે કલાસ વન અધિકારીઓ કે વ્હાઇટ કોલર ધરાવતા અધિકારીઓના સન્માનભેર વિદાય સમારંભ તો તમે ઘણા જોયા હશે. પરંતુ સુરતમાં સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા કર્મચારી રીટાયર થતા તેમને સહર્ષ આંસુ સાથે સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા વિદાય આપવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં રમણભાઈ છેલ્લા 33 વર્ષથી પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહોનો પોસ્ટમોર્ટમ કરવાની ફરજ બજાવે છે. 33 વર્ષની આ સફરમાં તેમણે 50 હજાર કરતા પણ વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે. તેઓ રીટાયર થતા તેમની કામગીરીને સૌએ યાદ કરી હતી.
મળતી વિગતો મુજબ ભટારમાં સોમનાથ સોસાયટી ખાતે રહેતા રમણભાઈ સોલંકી 1988માં નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કામગીરી માટે જોડાયા હતા. પરિવારમાં તેમને પત્ની અને બે સંતાનો છે. પોસ્ટમોર્ટમની કામગીરી દરમ્યાન શરૂઆતમાં તેમને ભોજન કરવાનું પણ ગમતું ન હતું. કારણ કે ઘણીવાર ડિકમ્પોઝ થયેલી ડેડબોડીનું પણ પોસ્ટમોર્ટમ કરવું પડતું હતું. જેમાંથી નીકળતા કીડા તેમના પર ચડી જતા હતા. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓએ પોસ્ટમોર્ટમ કર્યું છે.
આ અંગે વાત કરતાં રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેમના માટે સૌથી પડકારજનક સમય કોરોનામાં કામ કરવાનો હતો. ઘણા મૃતદેહોના તેમને પોસ્ટમોર્ટમ કર્યા હતા જે કોરોના શંકાસ્પદ હતા. પછીથી માલુમ પડ્યું હતું કે તે મૃતદેહ વાસ્તવમાં કોરોના પોઝિટિવ દર્દીઓની હતી. પણ રામ રાખે તેને કોણ ચાખે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમ્યાન કોરોના તેમને અડી પણ શક્યો નથી.
તમને જણાવી દઈએ કે અત્યારસુધી પીએમ રૂમમાં ફરજ માટે બીજા 3 સર્વન્ટ હતા જે રીટાયર થાય તે પહેલાં જ ગુજરી ગયા હતા. પણ રમણભાઈ એકમાત્ર એવા કર્મચારી છે જેમણે તેમની પૂર્ણકાળની સર્વિસ પુરી કરી છે. રમણભાઈની પોસ્ટમોર્ટમ કામગીરી પર તબીબોને પણ એટલો ભરોસો હતો કે તેઓ મૃતદેહ ખોલીને તુરંત જ કહી દેતા હતા કે આ ડેડબોડી હત્યાની છે, આત્મહત્યાની કે બીજી કોઈ બીમારીની. રમણભાઈ રીટાયર થતા સિવિલના તબીબોએ તેમને સન્માનભેર અલવિદા કહીને તેમની કામગીરીને યાદ કરી હતી.
સુરતમાં સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજવતા કર્મચારી રીટાયર થતા તેમને સહર્ષ આંસુ સાથે વિદાય આપવામાં આવી
રમણભાઈ સોલંકી 1988માં નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કામગીરી માટે જોડાયા હતા
કોરોના પોઝીટીવ દર્દીઓના મૃતદેહોનું પણ પોસ્ટમોર્ટમ કર્યું છતાં કોરોના રહ્યો કોસો દૂર
WatchGujarat. સામાન્ય રીતે કલાસ વન અધિકારીઓ કે વ્હાઇટ કોલર ધરાવતા અધિકારીઓના સન્માનભેર વિદાય સમારંભ તો તમે ઘણા જોયા હશે. પરંતુ સુરતમાં સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા કર્મચારી રીટાયર થતા તેમને સહર્ષ આંસુ સાથે સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા વિદાય આપવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં રમણભાઈ છેલ્લા 33 વર્ષથી પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહોનો પોસ્ટમોર્ટમ કરવાની ફરજ બજાવે છે. 33 વર્ષની આ સફરમાં તેમણે 50 હજાર કરતા પણ વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે. તેઓ રીટાયર થતા તેમની કામગીરીને સૌએ યાદ કરી હતી.
મળતી વિગતો મુજબ ભટારમાં સોમનાથ સોસાયટી ખાતે રહેતા રમણભાઈ સોલંકી 1988માં નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કામગીરી માટે જોડાયા હતા. પરિવારમાં તેમને પત્ની અને બે સંતાનો છે. પોસ્ટમોર્ટમની કામગીરી દરમ્યાન શરૂઆતમાં તેમને ભોજન કરવાનું પણ ગમતું ન હતું. કારણ કે ઘણીવાર ડિકમ્પોઝ થયેલી ડેડબોડીનું પણ પોસ્ટમોર્ટમ કરવું પડતું હતું. જેમાંથી નીકળતા કીડા તેમના પર ચડી જતા હતા. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓએ પોસ્ટમોર્ટમ કર્યું છે.
આ અંગે વાત કરતાં રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેમના માટે સૌથી પડકારજનક સમય કોરોનામાં કામ કરવાનો હતો. ઘણા મૃતદેહોના તેમને પોસ્ટમોર્ટમ કર્યા હતા જે કોરોના શંકાસ્પદ હતા. પછીથી માલુમ પડ્યું હતું કે તે મૃતદેહ વાસ્તવમાં કોરોના પોઝિટિવ દર્દીઓની હતી. પણ રામ રાખે તેને કોણ ચાખે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમ્યાન કોરોના તેમને અડી પણ શક્યો નથી.
તમને જણાવી દઈએ કે અત્યારસુધી પીએમ રૂમમાં ફરજ માટે બીજા 3 સર્વન્ટ હતા જે રીટાયર થાય તે પહેલાં જ ગુજરી ગયા હતા. પણ રમણભાઈ એકમાત્ર એવા કર્મચારી છે જેમણે તેમની પૂર્ણકાળની સર્વિસ પુરી કરી છે. રમણભાઈની પોસ્ટમોર્ટમ કામગીરી પર તબીબોને પણ એટલો ભરોસો હતો કે તેઓ મૃતદેહ ખોલીને તુરંત જ કહી દેતા હતા કે આ ડેડબોડી હત્યાની છે, આત્મહત્યાની કે બીજી કોઈ બીમારીની. રમણભાઈ રીટાયર થતા સિવિલના તબીબોએ તેમને સન્માનભેર અલવિદા કહીને તેમની કામગીરીને યાદ કરી હતી.