એક જ દિવસમાં મુખ્યમંત્રી દ્વારા અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું
શહેરમાં કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર મુખ્યમંત્રીએ કર્યા આકરા પ્રહારો
WatchGujarat. કોરોનાકાળમાં પણ વિકાસયાત્રાને જારી રાખતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ્દ હસ્તે સુરતીઓને કરોડોના વિકાસકામોની ભેટ સાથે સુરત શહેરમાં વિકાસપર્વ ઉજવાયો હતો. સાથે જ સીએમ રૂપાણી ખજોદ ખાતે નિર્માણાધીન આ ડાયમંડ બુર્સની પણ મુલાકાત લીધી હતી. ડિસેમ્બર માસમાં આ ડાયમંડ બુર્સ નો ઉદ્ઘાટન પીએમ મોદી કરી શકે છે સાથે જ તેઓ પૂર્વ પાણી પુરવઠા પ્રધાન નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત સુરતના વિવિધ પ્રકલ્પોના ઉદ્ધાટન અને લોકાર્પણ કાર્યક્રમમાં સી.એમ.વિજય રૂપાણી હાજર રહ્યા હતા. સુરતમાં તેઓએ આડ કતરી રીતે આપ પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે સુરતીઓને કરોડોના વિકાસકામોની ભેટ સાથે સુરત શહેરમાં વિકાસપર્વ ઉજવાયો હતો. મુખ્યમંત્રીએ મનપા અને સુડાના રૂ.1,270 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું હતું. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં રૂા. 307. 40 કરોડના ખર્ચે સાકારિત 4311 આવાસોનું લોકાર્પણ ઉપરાંત મનપા દ્વારા નિર્મિત રૂ. 129.76 કરોડના 1865 આવાસો અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા રૂા. 67.61 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 1689 આવાસોના ડ્રો કર્યો હતો. સાથો સાથ રૂ. 90 કરોડના ખર્ચે તાપી નદી પર ઉમરા-પાલને જોડતા નવનિર્મિત બ્રિજને ખુલ્લો મુક્યો હતો.
કતારગામ, રાંદેર અને જહાંગીરાબાદમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ
સી.એમ વિજયભાઈ રૂપાણીએ અમૃત યોજના અંતર્ગત કતારગામ ઝોન વિસ્તારમાં રૂ. 229.80 કરોડના ખર્ચે હયાત સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (155 એમ.એલ.ડી. ક્ષમતાથી ૨૫૫ એમ.એલ.ડી. ક્ષમતા સુધી) સહિતના તથા રાંદેર ઝોન વિસ્તારમાં રૂ।. 189.35 કરોડના ખર્ચે હયાત ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (100 એમ.એલ.ડી. ક્ષમતાથી 200 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) અને જહાંગીરાબાદ સુએઝ પંપીંગ સ્ટેશનના ઇલેકટ્રીકલ-મિકેનીકલ વિસ્તૃતિકરણ સહિતના પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું.
લિંબાયતમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ અને પાંડેસરામાં ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ
સ્માર્ટસિટી મિશન અંતર્ગત લિંબાયત ઝોન વિસ્તારમાં રૂા 256.31 કરોડના ખર્ચે હયાત ડિંડોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (66 એમ.એલ.ડી. ક્ષમતાથી 167 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) તથા પાંડેસરા સ્થિત ઔદ્યોગિક એકમોને ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ પાણી તૈયાર કરી પુરૂ પાડવા 40 એમ.એલ.ડી. ક્ષમતાનો ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદોને મળશે 'ઘરનું ઘર'
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદોને 'ઘરનું ઘર' મળશે. જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનની સામે, મોટા વરાછા ખાતે EWS-II પ્રકારના તમામ આંતરિક સુવિધાઓ સાથેના 520 આવાસો, સુમન આસ્થા એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II ૩૦૪ આવાસો, સુમન સંજીવની, મહિલા આઈટીઆઈની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II પ્રકારના 360 આવાસો, સુમન ભાર્ગવ, ભગવાન મહાવીર કોલેજની બાજુમાં, ભરથાણા-વેસુ ખાતે EWS-II પ્રકારના 1148 આવાસો, કતારગામમાં સુમન સારથી, રવજી ફાર્મની બાજુમાં, સિદ્ધિવિનાયક સોસાયટીની બાજુમાં, વેડરોડ ખાતે EWS-II પ્રકારના 203 આવાસો તેમજ વરીયાવમાં સુમન સાધના, શીતલ રેસિડેન્સી પાસે 518 આવાસો નું લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું
પાલ ઉમરા બ્રીજનું લોકાર્પણ કર્યું
બ્રિજ સિટીની ઓળખ ધરાવતા સુરત શહેરમાં રવિવારે 115મો અને તાપી નદી પરના 14મા પાલ-ઉમરા બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું છે. અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો ફાયદો થશે. 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજને તૈયાર થતાં 16 વર્ષ લાગી ગયા હતા. 2005માં ઉમરા ગામથી પાલ ગામને જોડતો રિવર બ્રિજ બનાવવા નિર્ણય કરાયો હતો. 2006માં શહેરનું હદ વિસ્તરણ થતા નદી પારના પાલ વિસ્તારનો સુરત શહેરમાં સમાવેશ કરાયો આ પછી આ બ્રિજને બીઆરટીએસ ફેઝ-2 પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો હતો. ત્યાર બાદ 2014માં આ બ્રિજના નકશા તૈયાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટેન્ડર મંગાવાયું હતું. 90 કરોડના ખર્ચે 2015માં ટેન્ડર મંજૂર કરાયું હતું. 2018માં બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું પરંતુ ઉમરા ગામ તરફના છેડે બ્રિજ ઉતારવા માટે પુરતી જગ્યા ન હતી. જેથી અહીંની કેટલીક મિલકતો તોડવી પડે તેમ હોવાથી તેનો વિવાદ થયો હતો.અંતે સ્થાનિક રહીશો સાથે વાટાઘાટો બાદ ડિસેમ્બર 2020માં બ્રિજ ઉતારવા માટે જગ્યા મળી હતી. ત્યારબાદ 10 દિવસ પૂર્વે આ બ્રિજનું કામ પૂર્ણ થયું હતું. ભાઠા-ઇચ્છાપોર અને હજીરાને પણ આ બ્રિજનો લાભ મળશે. તેમજ અઠવાલાઇન્સ અને પીપલોદ વિસ્તારનું અંતર ઘટશે. ડુમસ અને પીપલોદમાં અવર-જવર કરતા અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો લાભ થશે.
આપ અને કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં આવેલા વિજયભાઈ રૂપાણીએ આપ પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સુરતમાં તેઓએ આમ આદમી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે અમે ક્યારેય ફૂલ પેજ ખોટી જાહેરાતો આપી નથી. કેટલાક લોકો માત્ર જાહેરાતો આપી રહ્યા છે પરંતુ અમે ખરા અર્થમાં કામ કરી રહ્યા છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર આ બાળકોને અમે મહિને 4000 રૂપિયા આપી રહ્યા છીએ. કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં ઘરનું ઘર આપવાની જાહેરાતો કરીને માત્ર ફોર્મ છપાવીને સંતોષ માની લીધો હતો. જ્યારે વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત અનેક લોકોને આવાસ આપીને પોતાના ઘરનું સપનું સાકાર કર્યું છે.
એક જ દિવસમાં મુખ્યમંત્રી દ્વારા અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું
શહેરમાં કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર મુખ્યમંત્રીએ કર્યા આકરા પ્રહારો
WatchGujarat. કોરોનાકાળમાં પણ વિકાસયાત્રાને જારી રાખતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ્દ હસ્તે સુરતીઓને કરોડોના વિકાસકામોની ભેટ સાથે સુરત શહેરમાં વિકાસપર્વ ઉજવાયો હતો. સાથે જ સીએમ રૂપાણી ખજોદ ખાતે નિર્માણાધીન આ ડાયમંડ બુર્સની પણ મુલાકાત લીધી હતી. ડિસેમ્બર માસમાં આ ડાયમંડ બુર્સ નો ઉદ્ઘાટન પીએમ મોદી કરી શકે છે સાથે જ તેઓ પૂર્વ પાણી પુરવઠા પ્રધાન નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત સુરતના વિવિધ પ્રકલ્પોના ઉદ્ધાટન અને લોકાર્પણ કાર્યક્રમમાં સી.એમ.વિજય રૂપાણી હાજર રહ્યા હતા. સુરતમાં તેઓએ આડ કતરી રીતે આપ પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે સુરતીઓને કરોડોના વિકાસકામોની ભેટ સાથે સુરત શહેરમાં વિકાસપર્વ ઉજવાયો હતો. મુખ્યમંત્રીએ મનપા અને સુડાના રૂ.1,270 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું હતું. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં રૂા. 307. 40 કરોડના ખર્ચે સાકારિત 4311 આવાસોનું લોકાર્પણ ઉપરાંત મનપા દ્વારા નિર્મિત રૂ. 129.76 કરોડના 1865 આવાસો અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા રૂા. 67.61 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 1689 આવાસોના ડ્રો કર્યો હતો. સાથો સાથ રૂ. 90 કરોડના ખર્ચે તાપી નદી પર ઉમરા-પાલને જોડતા નવનિર્મિત બ્રિજને ખુલ્લો મુક્યો હતો.
કતારગામ, રાંદેર અને જહાંગીરાબાદમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ
સી.એમ વિજયભાઈ રૂપાણીએ અમૃત યોજના અંતર્ગત કતારગામ ઝોન વિસ્તારમાં રૂ. 229.80 કરોડના ખર્ચે હયાત સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (155 એમ.એલ.ડી. ક્ષમતાથી ૨૫૫ એમ.એલ.ડી. ક્ષમતા સુધી) સહિતના તથા રાંદેર ઝોન વિસ્તારમાં રૂ।. 189.35 કરોડના ખર્ચે હયાત ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (100 એમ.એલ.ડી. ક્ષમતાથી 200 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) અને જહાંગીરાબાદ સુએઝ પંપીંગ સ્ટેશનના ઇલેકટ્રીકલ-મિકેનીકલ વિસ્તૃતિકરણ સહિતના પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદોને 'ઘરનું ઘર' મળશે. જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનની સામે, મોટા વરાછા ખાતે EWS-II પ્રકારના તમામ આંતરિક સુવિધાઓ સાથેના 520 આવાસો, સુમન આસ્થા એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II ૩૦૪ આવાસો, સુમન સંજીવની, મહિલા આઈટીઆઈની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II પ્રકારના 360 આવાસો, સુમન ભાર્ગવ, ભગવાન મહાવીર કોલેજની બાજુમાં, ભરથાણા-વેસુ ખાતે EWS-II પ્રકારના 1148 આવાસો, કતારગામમાં સુમન સારથી, રવજી ફાર્મની બાજુમાં, સિદ્ધિવિનાયક સોસાયટીની બાજુમાં, વેડરોડ ખાતે EWS-II પ્રકારના 203 આવાસો તેમજ વરીયાવમાં સુમન સાધના, શીતલ રેસિડેન્સી પાસે 518 આવાસો નું લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું
પાલ ઉમરા બ્રીજનું લોકાર્પણ કર્યું
બ્રિજ સિટીની ઓળખ ધરાવતા સુરત શહેરમાં રવિવારે 115મો અને તાપી નદી પરના 14મા પાલ-ઉમરા બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું છે. અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો ફાયદો થશે. 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજને તૈયાર થતાં 16 વર્ષ લાગી ગયા હતા. 2005માં ઉમરા ગામથી પાલ ગામને જોડતો રિવર બ્રિજ બનાવવા નિર્ણય કરાયો હતો. 2006માં શહેરનું હદ વિસ્તરણ થતા નદી પારના પાલ વિસ્તારનો સુરત શહેરમાં સમાવેશ કરાયો આ પછી આ બ્રિજને બીઆરટીએસ ફેઝ-2 પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો હતો. ત્યાર બાદ 2014માં આ બ્રિજના નકશા તૈયાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટેન્ડર મંગાવાયું હતું. 90 કરોડના ખર્ચે 2015માં ટેન્ડર મંજૂર કરાયું હતું. 2018માં બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું પરંતુ ઉમરા ગામ તરફના છેડે બ્રિજ ઉતારવા માટે પુરતી જગ્યા ન હતી. જેથી અહીંની કેટલીક મિલકતો તોડવી પડે તેમ હોવાથી તેનો વિવાદ થયો હતો.અંતે સ્થાનિક રહીશો સાથે વાટાઘાટો બાદ ડિસેમ્બર 2020માં બ્રિજ ઉતારવા માટે જગ્યા મળી હતી. ત્યારબાદ 10 દિવસ પૂર્વે આ બ્રિજનું કામ પૂર્ણ થયું હતું. ભાઠા-ઇચ્છાપોર અને હજીરાને પણ આ બ્રિજનો લાભ મળશે. તેમજ અઠવાલાઇન્સ અને પીપલોદ વિસ્તારનું અંતર ઘટશે. ડુમસ અને પીપલોદમાં અવર-જવર કરતા અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો લાભ થશે.
આપ અને કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં આવેલા વિજયભાઈ રૂપાણીએ આપ પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સુરતમાં તેઓએ આમ આદમી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે અમે ક્યારેય ફૂલ પેજ ખોટી જાહેરાતો આપી નથી. કેટલાક લોકો માત્ર જાહેરાતો આપી રહ્યા છે પરંતુ અમે ખરા અર્થમાં કામ કરી રહ્યા છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર આ બાળકોને અમે મહિને 4000 રૂપિયા આપી રહ્યા છીએ. કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં ઘરનું ઘર આપવાની જાહેરાતો કરીને માત્ર ફોર્મ છપાવીને સંતોષ માની લીધો હતો. જ્યારે વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત અનેક લોકોને આવાસ આપીને પોતાના ઘરનું સપનું સાકાર કર્યું છે.