દાવેદારી વેળા સરકારની યોજના કેટલી- કોને પહોંચાડી તેની માહિતી આપવી પડશે : CR પાટીલ
પેજ કમિટિની કામગીરી પણ ધ્યાને રખાશે
સુરતના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ટીપ્પણી
WatchGujarat શહેરમાં ભાજપાની 25 વર્ષની વિકાસ ગાથા બુકનું વિમોચન કરાયું હતું. વિકાસનું સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતાની સાથે રાજકારણમાં રહેલા અને કામ નથી કરતા તેવા નેતાઓને આડકતરી રીતે ઘરે બેસવાનો સંકેત આપી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 23મીની સાંજ સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થવાના ભણકારા વાગી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકામાં 1995થી 2020 એટલે કે 25 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે તે દરમિયાન કરવામા આવેલી કામગીરીની બુક ભાજપ દ્વારા બહાર પડાઇ હતી. સુરત ભાજપ કાર્યાલય ખાતે વિમોચન પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતના વિકાસની ગતિ દેશના અન્ય શહેરો કરતાં અનેકગણી વધારે છે. સુરતનો રાજ્યના વિકાસમાં પણ મોટો ફાળો રહ્યો છે.
https://youtu.be/YglpnvSgUjk
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, મ્યુનિ. ચૂંટણીમાં દરેક વોર્ડમાંથી 100થી વધુ દાવેદારો આવે તેમ છે. પણ સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાની કામગીરી કોણે કરી છે ? અને કોને લાભ મળ્યો છે તે માટે દાવેદારી વેળા આપવી પડશે. તેમણે એવી ટીપ્પણી પણ કરી હતી કે, પંચાવન વર્ષથી વધુ ઉંમર ધરાવનારોએ દાવેદારી માટે ફોર્મ ભરવું નહી. પેજ કમિટીની કામગીરીને પણ ધ્યાને લેવાશે. રાજકારણમાં કોઇ સ્વૈચ્છીક નિવૃત્તિ લેતું નથી પણ કામ કરનારાઓની કદર કરાશે. ચૂંટણીમાં પણ આ ફોર્મ્યુલા અપનાવાશે તેવા સંકેત તેમણે આપ્યા હતા. સુરતમાં 120 બેઠક છે બધા દાવેદારોને ટિકિટ મળવાની નથી. ટિકિટ નહી મળે તેને અન્ય કામગીરી સોંપાશે.
પેજ કમિટીની કામગીરીને પણ ધ્યાને લેવાશે. જો કે આ ટીપ્પણી તેમણે રમુજમાં કહી હતી. 24મીથી તો નિરીક્ષકો સુરત આવવાના છે.આપણે ત્યાં પાર્ટીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ કોઈ લેતા નથી, ફરજિયાત જ કરવું પડે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં સેવાની ઈચ્છા એટલી હોય છે કે, નિવૃત્તિ લેતા નથી. તેમ કહી રાજકારણમાં રહેલા અને કામ નથી કરતા તેવા નેતાઓને આડકતરી રીતે ઘરે બેસવાનો સંકેત આપી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 23મીની સાંજ સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થવાના ભણકારા વાગી રહ્યા છે.
દાવેદારી વેળા સરકારની યોજના કેટલી- કોને પહોંચાડી તેની માહિતી આપવી પડશે : CR પાટીલ
પેજ કમિટિની કામગીરી પણ ધ્યાને રખાશે
સુરતના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ટીપ્પણી
WatchGujarat શહેરમાં ભાજપાની 25 વર્ષની વિકાસ ગાથા બુકનું વિમોચન કરાયું હતું. વિકાસનું સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતાની સાથે રાજકારણમાં રહેલા અને કામ નથી કરતા તેવા નેતાઓને આડકતરી રીતે ઘરે બેસવાનો સંકેત આપી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 23મીની સાંજ સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થવાના ભણકારા વાગી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકામાં 1995થી 2020 એટલે કે 25 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે તે દરમિયાન કરવામા આવેલી કામગીરીની બુક ભાજપ દ્વારા બહાર પડાઇ હતી. સુરત ભાજપ કાર્યાલય ખાતે વિમોચન પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતના વિકાસની ગતિ દેશના અન્ય શહેરો કરતાં અનેકગણી વધારે છે. સુરતનો રાજ્યના વિકાસમાં પણ મોટો ફાળો રહ્યો છે.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, મ્યુનિ. ચૂંટણીમાં દરેક વોર્ડમાંથી 100થી વધુ દાવેદારો આવે તેમ છે. પણ સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાની કામગીરી કોણે કરી છે ? અને કોને લાભ મળ્યો છે તે માટે દાવેદારી વેળા આપવી પડશે. તેમણે એવી ટીપ્પણી પણ કરી હતી કે, પંચાવન વર્ષથી વધુ ઉંમર ધરાવનારોએ દાવેદારી માટે ફોર્મ ભરવું નહી. પેજ કમિટીની કામગીરીને પણ ધ્યાને લેવાશે. રાજકારણમાં કોઇ સ્વૈચ્છીક નિવૃત્તિ લેતું નથી પણ કામ કરનારાઓની કદર કરાશે. ચૂંટણીમાં પણ આ ફોર્મ્યુલા અપનાવાશે તેવા સંકેત તેમણે આપ્યા હતા. સુરતમાં 120 બેઠક છે બધા દાવેદારોને ટિકિટ મળવાની નથી. ટિકિટ નહી મળે તેને અન્ય કામગીરી સોંપાશે.
પેજ કમિટીની કામગીરીને પણ ધ્યાને લેવાશે. જો કે આ ટીપ્પણી તેમણે રમુજમાં કહી હતી. 24મીથી તો નિરીક્ષકો સુરત આવવાના છે.આપણે ત્યાં પાર્ટીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ કોઈ લેતા નથી, ફરજિયાત જ કરવું પડે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં સેવાની ઈચ્છા એટલી હોય છે કે, નિવૃત્તિ લેતા નથી. તેમ કહી રાજકારણમાં રહેલા અને કામ નથી કરતા તેવા નેતાઓને આડકતરી રીતે ઘરે બેસવાનો સંકેત આપી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 23મીની સાંજ સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થવાના ભણકારા વાગી રહ્યા છે.