સોશિયલ મીડિયામાં રાજ્યના 6 મહાનગરોમાં લોકડાઉનની અંગેની પશોટ વાયરલ કરી હતી
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગનો બોગસ ડીજીટલ લેટર પેડ પર તારીખ 11-4-2021 થી 17-4-2021 સુધી 6 મોટા શહેરોમાં લોકડાઉન લાગવાનું પોસ્ટ કરાઈ હતી
સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ પોસ્ટ બનાવનાર અને વાયરલ કરનારા મુખ્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરી
WatchGujarat. સુરતના સોશિયલ મીડિયામાં રાજ્યના 6 મહાનગરોમાં લોકડાઉન લાગવાનું છે. જેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરનારા વ્યક્તિની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહે છે. અને કપડાના વેપાર સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું.
ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતના શોશ્યલ મીડિયામાં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગનો બોગસ ડીજીટલ લેટર પેડ પર તારીખ 11-4-2021 થી 17-4-2021 સુધી ગુજરાતના 6 મોટા શહેરોમાં લોકડાઉન લાગવાનું છે તેવા લખાણો સાથે એક લેટર પેડ વાયરલ થયો હતો. લોકોમાં ગભરાટ અને અફવા ફેલાતા સાયબર ક્રાઈમ સેલ હરકતમાં આવી હતી. અને લોકોને આવી ખોટી અફવા ન ફેલાવવા અને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી.
બીજી તરફ આ મામલે સુરત સાયબર સેલે ગુનો નોંધી આવી અફવા ફેલાવનારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન સુરતના ભેસ્તાન ખાતે રહેતા 48 વર્ષીય આંનદ ગિરજાશંકર શુક્લાએ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ખરાઈ કર્યા વિના શેર કરી દીધી હતી. આ પોસ્ટ થકી વધુ અફવા ફેલાઈ શકે તેમ હતી. જેથી સુરત સાયબર ક્રાઈમ દ્વારા તેની ધરપકડ કરાઈ હતી. ઝડપાયેલો આરોપી આંનદ ગિરજાશંકર શુક્લા ભેસ્તાન વિસ્તારમાં રહે છે. તે કાપડના વેપાર સાથે સંકળાયેલો છે. જો કે બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ પોસ્ટ બનાવનાર અને વાયરલ કરનારા મુખ્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે.
ખોટી અફવા ફેલાવનારા થઇ જજો સાવધાન
ઉલ્લેખનીય છે કે સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. તો બીજી તરફ કેટલાક લોકો ખોટી પોસ્ટ બનાવી અફવા અને ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. ત્યારે સુરત સાયબર સેલ દ્વારા આ મામલે સતત શોશ્યલ મીડિયામાં વોચ રાખવામાં આવી રહી છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ પોસ્ટ બનાવનાર અને વાયરલ કરનારા મુખ્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે.
સોશિયલ મીડિયામાં રાજ્યના 6 મહાનગરોમાં લોકડાઉનની અંગેની પશોટ વાયરલ કરી હતી
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગનો બોગસ ડીજીટલ લેટર પેડ પર તારીખ 11-4-2021 થી 17-4-2021 સુધી 6 મોટા શહેરોમાં લોકડાઉન લાગવાનું પોસ્ટ કરાઈ હતી
સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ પોસ્ટ બનાવનાર અને વાયરલ કરનારા મુખ્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરી
WatchGujarat. સુરતના સોશિયલ મીડિયામાં રાજ્યના 6 મહાનગરોમાં લોકડાઉન લાગવાનું છે. જેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરનારા વ્યક્તિની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહે છે. અને કપડાના વેપાર સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું.
ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતના શોશ્યલ મીડિયામાં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગનો બોગસ ડીજીટલ લેટર પેડ પર તારીખ 11-4-2021 થી 17-4-2021 સુધી ગુજરાતના 6 મોટા શહેરોમાં લોકડાઉન લાગવાનું છે તેવા લખાણો સાથે એક લેટર પેડ વાયરલ થયો હતો. લોકોમાં ગભરાટ અને અફવા ફેલાતા સાયબર ક્રાઈમ સેલ હરકતમાં આવી હતી. અને લોકોને આવી ખોટી અફવા ન ફેલાવવા અને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી.
બીજી તરફ આ મામલે સુરત સાયબર સેલે ગુનો નોંધી આવી અફવા ફેલાવનારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન સુરતના ભેસ્તાન ખાતે રહેતા 48 વર્ષીય આંનદ ગિરજાશંકર શુક્લાએ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ખરાઈ કર્યા વિના શેર કરી દીધી હતી. આ પોસ્ટ થકી વધુ અફવા ફેલાઈ શકે તેમ હતી. જેથી સુરત સાયબર ક્રાઈમ દ્વારા તેની ધરપકડ કરાઈ હતી. ઝડપાયેલો આરોપી આંનદ ગિરજાશંકર શુક્લા ભેસ્તાન વિસ્તારમાં રહે છે. તે કાપડના વેપાર સાથે સંકળાયેલો છે. જો કે બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ પોસ્ટ બનાવનાર અને વાયરલ કરનારા મુખ્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે.
ખોટી અફવા ફેલાવનારા થઇ જજો સાવધાન
ઉલ્લેખનીય છે કે સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. તો બીજી તરફ કેટલાક લોકો ખોટી પોસ્ટ બનાવી અફવા અને ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. ત્યારે સુરત સાયબર સેલ દ્વારા આ મામલે સતત શોશ્યલ મીડિયામાં વોચ રાખવામાં આવી રહી છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ પોસ્ટ બનાવનાર અને વાયરલ કરનારા મુખ્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે.